Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 15:41:22

રાજકોટમાં શનિવાર સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ.. 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. આ ઘટના બાદ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે... આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવશે, રિપોર્ટ આપવામાં આવશે.. સવાલ એ થાય કે એસઆઈટીનું ઘટન અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે... એ મોરબીની દુર્ઘટના હોય કે પછી સુરતમાં બનેલી ઘટના હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મનોજ સંતોકીની..   



થોડો સમય જવાદો થઈ જશે લાશના સોદા,

દલાલોની વસ્તી છે આ, કરશે શ્વાસના સોદા.


મોરબીનું માતમ, સુરતમાં સળગતો આતમ,

ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા.


હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે,

અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા.


આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત,

તડપાવી મારશે એ, કરશે તમારી પ્યાસના સોદા.


નહીં છોડવામાં આવે કોઈને, પૈસા આપ્યા વગર,

હેવાન બનેલ લોકો કરે, આંખની ભીનાશના સોદા.


રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?

મનોજ અહીં બંડલો ફેંકી થાય છે તપાસના સોદા.

મનોજ સંતોકી


ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.