Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 15:41:22

રાજકોટમાં શનિવાર સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ.. 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. આ ઘટના બાદ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે... આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવશે, રિપોર્ટ આપવામાં આવશે.. સવાલ એ થાય કે એસઆઈટીનું ઘટન અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે... એ મોરબીની દુર્ઘટના હોય કે પછી સુરતમાં બનેલી ઘટના હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મનોજ સંતોકીની..   



થોડો સમય જવાદો થઈ જશે લાશના સોદા,

દલાલોની વસ્તી છે આ, કરશે શ્વાસના સોદા.


મોરબીનું માતમ, સુરતમાં સળગતો આતમ,

ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા.


હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે,

અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા.


આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત,

તડપાવી મારશે એ, કરશે તમારી પ્યાસના સોદા.


નહીં છોડવામાં આવે કોઈને, પૈસા આપ્યા વગર,

હેવાન બનેલ લોકો કરે, આંખની ભીનાશના સોદા.


રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?

મનોજ અહીં બંડલો ફેંકી થાય છે તપાસના સોદા.

મનોજ સંતોકી


થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .