Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?


  • Published By :
  • Published Date : 2024-05-27 15:41:22

રાજકોટમાં શનિવાર સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ.. 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. આ ઘટના બાદ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે... આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવશે, રિપોર્ટ આપવામાં આવશે.. સવાલ એ થાય કે એસઆઈટીનું ઘટન અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે... એ મોરબીની દુર્ઘટના હોય કે પછી સુરતમાં બનેલી ઘટના હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મનોજ સંતોકીની..   



થોડો સમય જવાદો થઈ જશે લાશના સોદા,

દલાલોની વસ્તી છે આ, કરશે શ્વાસના સોદા.


મોરબીનું માતમ, સુરતમાં સળગતો આતમ,

ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા.


હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે,

અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા.


આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત,

તડપાવી મારશે એ, કરશે તમારી પ્યાસના સોદા.


નહીં છોડવામાં આવે કોઈને, પૈસા આપ્યા વગર,

હેવાન બનેલ લોકો કરે, આંખની ભીનાશના સોદા.


રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?

મનોજ અહીં બંડલો ફેંકી થાય છે તપાસના સોદા.

મનોજ સંતોકી


જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે