Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!


  • Published By :
  • Published Date : 2024-04-22 17:10:58

આપણે કહીએ છીએ કે સમય બહુ બળવાન છે.. આ પછીની ક્ષણ પછી શું થવાનું છે તેની ખબર નથી.. આવતી કાલની ચિંતામાં આપણે આજને માણવાનું ભૂલી જઈએ છીએ.. સામાન્ય રીતે આ રચનામાં ભગવાન રામ તેમજ મહાભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આજે આ કવિતાને સુરતના સંદર્ભમાં જોવી છે..! સુરતમાં મતદાતાઓને હતું કે તેઓ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે પરંતુ આજે તો સુરત લોકસભા બેઠક પર મતદાન વગર સાંસદ મળી ગયા...  



થવાનું  ના થવાનું   કહે, નજૂમી  કોણ  એવો   છે?

ન   જાણ્યું   જાનકીનાથે   સવારે   શું    થવાનું છે!


હતો  લંકેશ   બહુબળિયો, થયો   બેહાલ  ના જાણ્યું.

જગત સૌ  દાખલા  આપે, સવારે   શું   થવાનું છે?


જુઓ   પાંડવ  અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.

ન  જાણ્યું ભીષ્મ  જેવાએ    સવારે   શું  થવાનું છે?


થઈ  રાજા  રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ  સૌ સાથે,

ન   જાણ્યું ધર્મ   જેવાએ  સવારે  શું    થવાનું છે?


અરે!થઈ  નારી  શલ્યા તે કહો શું  વાત છાની છે?

જણાયું  તે  ન   ગૌતમથી  સવારે   શું થવાનું છે?


સ્વરૂપે   મોહિની   દેખી   સહુ   જન  દોડતાં ભાસે,

ભૂલ્યા યોગી   થઈ  ભોળા   સવારે   શું થવાનું છે.


હજારો   હાય નાખે છે, હજારો   મોજમાં  મશગુલ,

હજારો  શોચમાં  છે    કે    અમારું   શું થવાનું છે?


થવાનું તે  થવા દેજે   ભલે  મનમસ્ત  થઈ  રહેજે,

ન   જાણ્યું    જાનકીનાથે  સવારે   શું   થવાનું છે?




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી