Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!


  • Published By :
  • Published Date : 2024-04-22 17:10:58

આપણે કહીએ છીએ કે સમય બહુ બળવાન છે.. આ પછીની ક્ષણ પછી શું થવાનું છે તેની ખબર નથી.. આવતી કાલની ચિંતામાં આપણે આજને માણવાનું ભૂલી જઈએ છીએ.. સામાન્ય રીતે આ રચનામાં ભગવાન રામ તેમજ મહાભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આજે આ કવિતાને સુરતના સંદર્ભમાં જોવી છે..! સુરતમાં મતદાતાઓને હતું કે તેઓ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે પરંતુ આજે તો સુરત લોકસભા બેઠક પર મતદાન વગર સાંસદ મળી ગયા...  



થવાનું  ના થવાનું   કહે, નજૂમી  કોણ  એવો   છે?

ન   જાણ્યું   જાનકીનાથે   સવારે   શું    થવાનું છે!


હતો  લંકેશ   બહુબળિયો, થયો   બેહાલ  ના જાણ્યું.

જગત સૌ  દાખલા  આપે, સવારે   શું   થવાનું છે?


જુઓ   પાંડવ  અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.

ન  જાણ્યું ભીષ્મ  જેવાએ    સવારે   શું  થવાનું છે?


થઈ  રાજા  રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ  સૌ સાથે,

ન   જાણ્યું ધર્મ   જેવાએ  સવારે  શું    થવાનું છે?


અરે!થઈ  નારી  શલ્યા તે કહો શું  વાત છાની છે?

જણાયું  તે  ન   ગૌતમથી  સવારે   શું થવાનું છે?


સ્વરૂપે   મોહિની   દેખી   સહુ   જન  દોડતાં ભાસે,

ભૂલ્યા યોગી   થઈ  ભોળા   સવારે   શું થવાનું છે.


હજારો   હાય નાખે છે, હજારો   મોજમાં  મશગુલ,

હજારો  શોચમાં  છે    કે    અમારું   શું થવાનું છે?


થવાનું તે  થવા દેજે   ભલે  મનમસ્ત  થઈ  રહેજે,

ન   જાણ્યું    જાનકીનાથે  સવારે   શું   થવાનું છે?




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.