Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!


  • Published By :
  • Published Date : 2024-04-22 17:10:58

આપણે કહીએ છીએ કે સમય બહુ બળવાન છે.. આ પછીની ક્ષણ પછી શું થવાનું છે તેની ખબર નથી.. આવતી કાલની ચિંતામાં આપણે આજને માણવાનું ભૂલી જઈએ છીએ.. સામાન્ય રીતે આ રચનામાં ભગવાન રામ તેમજ મહાભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આજે આ કવિતાને સુરતના સંદર્ભમાં જોવી છે..! સુરતમાં મતદાતાઓને હતું કે તેઓ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે પરંતુ આજે તો સુરત લોકસભા બેઠક પર મતદાન વગર સાંસદ મળી ગયા...  



થવાનું  ના થવાનું   કહે, નજૂમી  કોણ  એવો   છે?

ન   જાણ્યું   જાનકીનાથે   સવારે   શું    થવાનું છે!


હતો  લંકેશ   બહુબળિયો, થયો   બેહાલ  ના જાણ્યું.

જગત સૌ  દાખલા  આપે, સવારે   શું   થવાનું છે?


જુઓ   પાંડવ  અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.

ન  જાણ્યું ભીષ્મ  જેવાએ    સવારે   શું  થવાનું છે?


થઈ  રાજા  રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ  સૌ સાથે,

ન   જાણ્યું ધર્મ   જેવાએ  સવારે  શું    થવાનું છે?


અરે!થઈ  નારી  શલ્યા તે કહો શું  વાત છાની છે?

જણાયું  તે  ન   ગૌતમથી  સવારે   શું થવાનું છે?


સ્વરૂપે   મોહિની   દેખી   સહુ   જન  દોડતાં ભાસે,

ભૂલ્યા યોગી   થઈ  ભોળા   સવારે   શું થવાનું છે.


હજારો   હાય નાખે છે, હજારો   મોજમાં  મશગુલ,

હજારો  શોચમાં  છે    કે    અમારું   શું થવાનું છે?


થવાનું તે  થવા દેજે   ભલે  મનમસ્ત  થઈ  રહેજે,

ન   જાણ્યું    જાનકીનાથે  સવારે   શું   થવાનું છે?




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.