Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પિતાની એકજ ઈચ્છા હોય છે, કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ


  • Published By :
  • Published Date : 2024-03-29 17:33:34

દીકરી...આ શબ્દ સાંભળતા જ અનેક લોકોના ચહેરા પર સ્મિત આવી જતું હોય છે. જે પિતા પોતાની દીકરીથી દૂર રહેતા હશે તેમને દીકરી યાદ આવી ગઈ હશે... દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ અવર્ણનીય છે.. દીકરીનો સૌથી પહેલો પ્રેમ તેનો પિતા હોય છે... પિતા ભલે એટલો પ્રેમ ના દર્શાવે જેટલો માતા દર્શાવે પરંતુ તે પ્રેમ તો માતા જેટલો અથવા તો માતા કરતા વધારે કરતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના જેના કવિ કોણ છે તેની ખબર નથી પરંતુ રચના રડાવી દે તેવી છે... !   



જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે,

માં નહિ પણ પિતાની લાડકી હોય છે,

પિતાનું તો એ સ્વાભિમાન હોય છે,

માં હમેશા ટોકતી હોય છે,

અને પિતા જીદ પૂરી કરતા હોય છે,

નાની હોય ત્યારથી પિતાની એકજ ઈચ્છા હોય છે,

કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ છે,

પિતાની આંખોમા દીકરીના લગ્નના સપના હોય છે,

દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે,


દીકરીનું કન્યાદાન તો સહુ થી મોટું પુણ્ય હોય છે,

આના થી મોટું દાન આ દુનિયામાં ક્યાય ના હોય છે,

દિલના ટુકડાને પોતાનાથી દુર કરવાનું જે દુખ હોય છે,

એ દુખ તો ફક્ત દીકરી ના પિતા જ સમજતા હોય છે,

દુખ ભલે થાય તોય પરણાવી તો પડે છે,

પ્રેમ તો ઘણો હોય પણ દુનિયા ની રીત નડે છે,

દીકરી ની વિદાય એ સહુ થી કપરો સમય બને છે,

જેમાં દીકરી નો બાપ કિંકીર્ત્વ્ય્મુઢ બને છે,

ખુશ રેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,

ખુશ હસે કે નહિ એની ચિંતા આજીવન રે છે,

એટલે કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,

ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો…


– અજ્ઞાત



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.