Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પિતાની એકજ ઈચ્છા હોય છે, કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ


  • Published By :
  • Published Date : 2024-03-29 17:33:34

દીકરી...આ શબ્દ સાંભળતા જ અનેક લોકોના ચહેરા પર સ્મિત આવી જતું હોય છે. જે પિતા પોતાની દીકરીથી દૂર રહેતા હશે તેમને દીકરી યાદ આવી ગઈ હશે... દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ અવર્ણનીય છે.. દીકરીનો સૌથી પહેલો પ્રેમ તેનો પિતા હોય છે... પિતા ભલે એટલો પ્રેમ ના દર્શાવે જેટલો માતા દર્શાવે પરંતુ તે પ્રેમ તો માતા જેટલો અથવા તો માતા કરતા વધારે કરતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના જેના કવિ કોણ છે તેની ખબર નથી પરંતુ રચના રડાવી દે તેવી છે... !   



જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે,

માં નહિ પણ પિતાની લાડકી હોય છે,

પિતાનું તો એ સ્વાભિમાન હોય છે,

માં હમેશા ટોકતી હોય છે,

અને પિતા જીદ પૂરી કરતા હોય છે,

નાની હોય ત્યારથી પિતાની એકજ ઈચ્છા હોય છે,

કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ છે,

પિતાની આંખોમા દીકરીના લગ્નના સપના હોય છે,

દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે,


દીકરીનું કન્યાદાન તો સહુ થી મોટું પુણ્ય હોય છે,

આના થી મોટું દાન આ દુનિયામાં ક્યાય ના હોય છે,

દિલના ટુકડાને પોતાનાથી દુર કરવાનું જે દુખ હોય છે,

એ દુખ તો ફક્ત દીકરી ના પિતા જ સમજતા હોય છે,

દુખ ભલે થાય તોય પરણાવી તો પડે છે,

પ્રેમ તો ઘણો હોય પણ દુનિયા ની રીત નડે છે,

દીકરી ની વિદાય એ સહુ થી કપરો સમય બને છે,

જેમાં દીકરી નો બાપ કિંકીર્ત્વ્ય્મુઢ બને છે,

ખુશ રેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,

ખુશ હસે કે નહિ એની ચિંતા આજીવન રે છે,

એટલે કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,

ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો…


– અજ્ઞાત



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે