Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પિતાની એકજ ઈચ્છા હોય છે, કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 17:33:34

દીકરી...આ શબ્દ સાંભળતા જ અનેક લોકોના ચહેરા પર સ્મિત આવી જતું હોય છે. જે પિતા પોતાની દીકરીથી દૂર રહેતા હશે તેમને દીકરી યાદ આવી ગઈ હશે... દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ અવર્ણનીય છે.. દીકરીનો સૌથી પહેલો પ્રેમ તેનો પિતા હોય છે... પિતા ભલે એટલો પ્રેમ ના દર્શાવે જેટલો માતા દર્શાવે પરંતુ તે પ્રેમ તો માતા જેટલો અથવા તો માતા કરતા વધારે કરતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના જેના કવિ કોણ છે તેની ખબર નથી પરંતુ રચના રડાવી દે તેવી છે... !   



જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે,

માં નહિ પણ પિતાની લાડકી હોય છે,

પિતાનું તો એ સ્વાભિમાન હોય છે,

માં હમેશા ટોકતી હોય છે,

અને પિતા જીદ પૂરી કરતા હોય છે,

નાની હોય ત્યારથી પિતાની એકજ ઈચ્છા હોય છે,

કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ છે,

પિતાની આંખોમા દીકરીના લગ્નના સપના હોય છે,

દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે,


દીકરીનું કન્યાદાન તો સહુ થી મોટું પુણ્ય હોય છે,

આના થી મોટું દાન આ દુનિયામાં ક્યાય ના હોય છે,

દિલના ટુકડાને પોતાનાથી દુર કરવાનું જે દુખ હોય છે,

એ દુખ તો ફક્ત દીકરી ના પિતા જ સમજતા હોય છે,

દુખ ભલે થાય તોય પરણાવી તો પડે છે,

પ્રેમ તો ઘણો હોય પણ દુનિયા ની રીત નડે છે,

દીકરી ની વિદાય એ સહુ થી કપરો સમય બને છે,

જેમાં દીકરી નો બાપ કિંકીર્ત્વ્ય્મુઢ બને છે,

ખુશ રેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,

ખુશ હસે કે નહિ એની ચિંતા આજીવન રે છે,

એટલે કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,

ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો…


– અજ્ઞાત



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.