Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના - દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો....


  • Published By :
  • Published Date : 2024-02-29 15:13:16

આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે દરિયા-દરિયા કાંઠો બહુ ગમતો હોય છે. દરિયામાં જવું, દરિયા કિનારા પર કલાકો સુધી બેસી રહેવું તે તેમને ગમતું હોય છે. દરિયા કિનારા પર બેસીને મનને અલગ પ્રકારની શાંતિ મળે છે. એમ પણ પ્રકૃતિની સાથે રહીએ તો આપણે પ્રફૂલિત રહીએ છીએ. નદીઓ દરિયામાં મળી જાય છે, પરંતુ દરિયો ક્યાં જાય છે? ત્યારે દરિયાને લઈ ગુજરાતી સાહિત્યમાં લખાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમર્પિત છે અમૃત ઘાયલની રચના...   


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો...


કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,

મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,

અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.


કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?

લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.


ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !

નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.


પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !

કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !


જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,

કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !


ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,

કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.


બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,

નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!


ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,

દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !


– અમૃત ‘ઘાયલ’  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.