Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના - દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો....


  • Published By :
  • Published Date : 2024-02-29 15:13:16

આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે દરિયા-દરિયા કાંઠો બહુ ગમતો હોય છે. દરિયામાં જવું, દરિયા કિનારા પર કલાકો સુધી બેસી રહેવું તે તેમને ગમતું હોય છે. દરિયા કિનારા પર બેસીને મનને અલગ પ્રકારની શાંતિ મળે છે. એમ પણ પ્રકૃતિની સાથે રહીએ તો આપણે પ્રફૂલિત રહીએ છીએ. નદીઓ દરિયામાં મળી જાય છે, પરંતુ દરિયો ક્યાં જાય છે? ત્યારે દરિયાને લઈ ગુજરાતી સાહિત્યમાં લખાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમર્પિત છે અમૃત ઘાયલની રચના...   


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો...


કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,

મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,

અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.


કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?

લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.


ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !

નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.


પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !

કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !


જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,

કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !


ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,

કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.


બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,

નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!


ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,

દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !


– અમૃત ‘ઘાયલ’  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.