Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના - દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 15:13:16

આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે દરિયા-દરિયા કાંઠો બહુ ગમતો હોય છે. દરિયામાં જવું, દરિયા કિનારા પર કલાકો સુધી બેસી રહેવું તે તેમને ગમતું હોય છે. દરિયા કિનારા પર બેસીને મનને અલગ પ્રકારની શાંતિ મળે છે. એમ પણ પ્રકૃતિની સાથે રહીએ તો આપણે પ્રફૂલિત રહીએ છીએ. નદીઓ દરિયામાં મળી જાય છે, પરંતુ દરિયો ક્યાં જાય છે? ત્યારે દરિયાને લઈ ગુજરાતી સાહિત્યમાં લખાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમર્પિત છે અમૃત ઘાયલની રચના...   


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો...


કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,

મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.


દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,

અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.


કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?

લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.


ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !

નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.


પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !

કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !


જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,

કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !


ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,

કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.


બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,

નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!


ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,

દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !


– અમૃત ‘ઘાયલ’  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..