Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના - હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,


  • Published By :
  • Published Date : 2024-08-14 17:57:57

સૈનિક.. આ શબ્દ સાંભળતા જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. સૈનિકોને આપમેળે સલામ આપણે કરી દઈએ.. દેશના જવાનો સરહદ પર તૈનાત છે એટલે જ આપણે ઘરમાં સૂરક્ષિત રહી શકીએ છીએ..કોઈ પણ તહેવાર કેમ ના હોય તે પોતાના ઘરથી પોતાના પરિવારથી દૂર રહે છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના. આ કોની રચના છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,

સઘળી ઈચ્છા મારી વતન માટે કુરબાન કરી જીવું છું.


ઠંડી, તાપ, વરસાદ કે કોઈ પણ પરિસ્થિતિ આવે,

મારી ફરજને સર્વોચ્ચ સ્થાન આપી હું જીવું છું.


મહિનાઓ થાય કે થાય વર્ષો પરિવારને જોયા વિના

મીઠી યાદોના સહારે ફરજના સન્માન માટે જીવું છું..


દેશની સુરક્ષાને અખંડિતતા જ છે જીવનમંત્ર મારો

એ જ ધ્યેય પૂરૂં કરવા રાત દિવસ એક કરી હું જીવું છું


આમ તો એક અદનો સૈનિક જ છું મા ભોમનો ખાલી

પણ વતનના એક એક નાગરિકના વિશ્વાસ માટે જીવું છું..




અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.