Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના - હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,


  • Published By :
  • Published Date : 2024-08-14 17:57:57

સૈનિક.. આ શબ્દ સાંભળતા જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. સૈનિકોને આપમેળે સલામ આપણે કરી દઈએ.. દેશના જવાનો સરહદ પર તૈનાત છે એટલે જ આપણે ઘરમાં સૂરક્ષિત રહી શકીએ છીએ..કોઈ પણ તહેવાર કેમ ના હોય તે પોતાના ઘરથી પોતાના પરિવારથી દૂર રહે છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના. આ કોની રચના છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,

સઘળી ઈચ્છા મારી વતન માટે કુરબાન કરી જીવું છું.


ઠંડી, તાપ, વરસાદ કે કોઈ પણ પરિસ્થિતિ આવે,

મારી ફરજને સર્વોચ્ચ સ્થાન આપી હું જીવું છું.


મહિનાઓ થાય કે થાય વર્ષો પરિવારને જોયા વિના

મીઠી યાદોના સહારે ફરજના સન્માન માટે જીવું છું..


દેશની સુરક્ષાને અખંડિતતા જ છે જીવનમંત્ર મારો

એ જ ધ્યેય પૂરૂં કરવા રાત દિવસ એક કરી હું જીવું છું


આમ તો એક અદનો સૈનિક જ છું મા ભોમનો ખાલી

પણ વતનના એક એક નાગરિકના વિશ્વાસ માટે જીવું છું..




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.