Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના - હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,


  • Published By :
  • Published Date : 2024-08-14 17:57:57

સૈનિક.. આ શબ્દ સાંભળતા જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. સૈનિકોને આપમેળે સલામ આપણે કરી દઈએ.. દેશના જવાનો સરહદ પર તૈનાત છે એટલે જ આપણે ઘરમાં સૂરક્ષિત રહી શકીએ છીએ..કોઈ પણ તહેવાર કેમ ના હોય તે પોતાના ઘરથી પોતાના પરિવારથી દૂર રહે છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના. આ કોની રચના છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,

સઘળી ઈચ્છા મારી વતન માટે કુરબાન કરી જીવું છું.


ઠંડી, તાપ, વરસાદ કે કોઈ પણ પરિસ્થિતિ આવે,

મારી ફરજને સર્વોચ્ચ સ્થાન આપી હું જીવું છું.


મહિનાઓ થાય કે થાય વર્ષો પરિવારને જોયા વિના

મીઠી યાદોના સહારે ફરજના સન્માન માટે જીવું છું..


દેશની સુરક્ષાને અખંડિતતા જ છે જીવનમંત્ર મારો

એ જ ધ્યેય પૂરૂં કરવા રાત દિવસ એક કરી હું જીવું છું


આમ તો એક અદનો સૈનિક જ છું મા ભોમનો ખાલી

પણ વતનના એક એક નાગરિકના વિશ્વાસ માટે જીવું છું..




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.