Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના - ગુજરાત અફલાતૂન છે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 11:06:45

ગુજરાત... ગુજરાતીઓ માટે આ માત્ર શબ્દ નથી પરંતુ એક લાગણી છે.. ગુજરાતની સ્થાપના ભલે 1960માં થઈ પરંતુ ગુજરાતના ઈતિહાસ પર નજર કરીએ ત્યારે લાગે કેટલી સદીઓનો ઈતિહાસ સાચવીને ગુજરાત બેઠું છે... આ ધરા પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓ થઈ ગઈ... આ ધરા પર ઝવેરચંદ મેઘાણી અને વીર નર્મદ જેવા સાહિત્યકાર થઈ ગયા... ગુજરાતીઓ જેટલા વેપાર માટે જાણીતા છે તેટલા જ જાણીતા તે ખાવા માટે પણ છે.... ગુજરાતીઓ એવા છે જેમને ઘરમાં હોટલ જેવું જોઈએ અને હોટલમાં ઘર જેવું... ! ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત એક રચના...    



ગુજરાત અફલાતૂન છે,

ગુજરાતી અફલાતૂન છે..


નેહ તણાં જ્યાં નેણલાં દૂઝે, 

સુખ સમુદ્ધિ સદાય રીઝે

એના એવા શુકુન છે,

ગુજરાત અફલાતૂન છે...


બુદ્ધિધન એનો ખોળો ખૂંદે,

મહેનત એની બુંદે બુંદે

એવી દેશદાઝનું ઝનૂન છે,

ગુજરાત અફલાતૂન છે..


વિશ્વપ્રવાસી છે ગુજરાતી

શાંતસ્વભાવી છે ગુજરાતી

વેપાર વણજ એનો ગુણ છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે

પાણી ઉલેચે પૈસો ફૂટે

ધર્મધ્યાનેય નંબર વન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે


વિશ્વ વિજયના પંથે ચાલે 

ગગને વિહરે જરૂર કાલે

સપના એનો સંગીન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


વિજય તિલક કર્યું છે ભાલે,

નિશાન તાકે દુશ્મન ગાલે

એની નસ નસ ખુન્નસ ખૂન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે...


બનાસવાસી, અમદાવાદી,

સુરત કચ્છી કે કાઠી

એનો જનજન બેનમૂન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતની અફલાતૂન છે...


છે ભરતખંડની પુણ્યભૂમિ

વીર વીરાંગના શૌર્યભૂમિ

એને કોટિ કોટિ વંદન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતી અફલાતૂન છે....



ભગવાન નારાયણે અનેક અવતારો લીધા છે ત્યારે આજે વાત કરવી છે ભગવાનના નૃસિંહ અવતારની. કારણ કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતી તરીકે મનાવવમાાં આવે છે.. નૃસિંહ ભગવાનનું અડધું શરીર નરનું હતું અને અડધું શરીર સિંહનું હતું.

ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે... તે સિવાય શક્તિસિંહ ગોહિલે જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા હતા.

રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.

પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કાઓ માટે મતદાન થવાનું શેષ છે. આ વખતે 2014-2019 જેવો માહોલ જોવા મળ્યો ના હતો. મતદાતા જાણે કન્ફ્યુઝ હોય તેવું લાગે છે..