Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના - ગુજરાત અફલાતૂન છે....


  • Published By :
  • Published Date : 2024-05-01 11:06:45

ગુજરાત... ગુજરાતીઓ માટે આ માત્ર શબ્દ નથી પરંતુ એક લાગણી છે.. ગુજરાતની સ્થાપના ભલે 1960માં થઈ પરંતુ ગુજરાતના ઈતિહાસ પર નજર કરીએ ત્યારે લાગે કેટલી સદીઓનો ઈતિહાસ સાચવીને ગુજરાત બેઠું છે... આ ધરા પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓ થઈ ગઈ... આ ધરા પર ઝવેરચંદ મેઘાણી અને વીર નર્મદ જેવા સાહિત્યકાર થઈ ગયા... ગુજરાતીઓ જેટલા વેપાર માટે જાણીતા છે તેટલા જ જાણીતા તે ખાવા માટે પણ છે.... ગુજરાતીઓ એવા છે જેમને ઘરમાં હોટલ જેવું જોઈએ અને હોટલમાં ઘર જેવું... ! ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત એક રચના...    



ગુજરાત અફલાતૂન છે,

ગુજરાતી અફલાતૂન છે..


નેહ તણાં જ્યાં નેણલાં દૂઝે, 

સુખ સમુદ્ધિ સદાય રીઝે

એના એવા શુકુન છે,

ગુજરાત અફલાતૂન છે...


બુદ્ધિધન એનો ખોળો ખૂંદે,

મહેનત એની બુંદે બુંદે

એવી દેશદાઝનું ઝનૂન છે,

ગુજરાત અફલાતૂન છે..


વિશ્વપ્રવાસી છે ગુજરાતી

શાંતસ્વભાવી છે ગુજરાતી

વેપાર વણજ એનો ગુણ છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે

પાણી ઉલેચે પૈસો ફૂટે

ધર્મધ્યાનેય નંબર વન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે


વિશ્વ વિજયના પંથે ચાલે 

ગગને વિહરે જરૂર કાલે

સપના એનો સંગીન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


વિજય તિલક કર્યું છે ભાલે,

નિશાન તાકે દુશ્મન ગાલે

એની નસ નસ ખુન્નસ ખૂન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે...


બનાસવાસી, અમદાવાદી,

સુરત કચ્છી કે કાઠી

એનો જનજન બેનમૂન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતની અફલાતૂન છે...


છે ભરતખંડની પુણ્યભૂમિ

વીર વીરાંગના શૌર્યભૂમિ

એને કોટિ કોટિ વંદન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતી અફલાતૂન છે....



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.