Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના - ગુજરાત અફલાતૂન છે....


  • Published By :
  • Published Date : 2024-05-01 11:06:45

ગુજરાત... ગુજરાતીઓ માટે આ માત્ર શબ્દ નથી પરંતુ એક લાગણી છે.. ગુજરાતની સ્થાપના ભલે 1960માં થઈ પરંતુ ગુજરાતના ઈતિહાસ પર નજર કરીએ ત્યારે લાગે કેટલી સદીઓનો ઈતિહાસ સાચવીને ગુજરાત બેઠું છે... આ ધરા પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓ થઈ ગઈ... આ ધરા પર ઝવેરચંદ મેઘાણી અને વીર નર્મદ જેવા સાહિત્યકાર થઈ ગયા... ગુજરાતીઓ જેટલા વેપાર માટે જાણીતા છે તેટલા જ જાણીતા તે ખાવા માટે પણ છે.... ગુજરાતીઓ એવા છે જેમને ઘરમાં હોટલ જેવું જોઈએ અને હોટલમાં ઘર જેવું... ! ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત એક રચના...    



ગુજરાત અફલાતૂન છે,

ગુજરાતી અફલાતૂન છે..


નેહ તણાં જ્યાં નેણલાં દૂઝે, 

સુખ સમુદ્ધિ સદાય રીઝે

એના એવા શુકુન છે,

ગુજરાત અફલાતૂન છે...


બુદ્ધિધન એનો ખોળો ખૂંદે,

મહેનત એની બુંદે બુંદે

એવી દેશદાઝનું ઝનૂન છે,

ગુજરાત અફલાતૂન છે..


વિશ્વપ્રવાસી છે ગુજરાતી

શાંતસ્વભાવી છે ગુજરાતી

વેપાર વણજ એનો ગુણ છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે

પાણી ઉલેચે પૈસો ફૂટે

ધર્મધ્યાનેય નંબર વન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે


વિશ્વ વિજયના પંથે ચાલે 

ગગને વિહરે જરૂર કાલે

સપના એનો સંગીન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


વિજય તિલક કર્યું છે ભાલે,

નિશાન તાકે દુશ્મન ગાલે

એની નસ નસ ખુન્નસ ખૂન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે...


બનાસવાસી, અમદાવાદી,

સુરત કચ્છી કે કાઠી

એનો જનજન બેનમૂન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતની અફલાતૂન છે...


છે ભરતખંડની પુણ્યભૂમિ

વીર વીરાંગના શૌર્યભૂમિ

એને કોટિ કોટિ વંદન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતી અફલાતૂન છે....



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે