Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના - ગુજરાત અફલાતૂન છે....


  • Published By :
  • Published Date : 2024-05-01 11:06:45

ગુજરાત... ગુજરાતીઓ માટે આ માત્ર શબ્દ નથી પરંતુ એક લાગણી છે.. ગુજરાતની સ્થાપના ભલે 1960માં થઈ પરંતુ ગુજરાતના ઈતિહાસ પર નજર કરીએ ત્યારે લાગે કેટલી સદીઓનો ઈતિહાસ સાચવીને ગુજરાત બેઠું છે... આ ધરા પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓ થઈ ગઈ... આ ધરા પર ઝવેરચંદ મેઘાણી અને વીર નર્મદ જેવા સાહિત્યકાર થઈ ગયા... ગુજરાતીઓ જેટલા વેપાર માટે જાણીતા છે તેટલા જ જાણીતા તે ખાવા માટે પણ છે.... ગુજરાતીઓ એવા છે જેમને ઘરમાં હોટલ જેવું જોઈએ અને હોટલમાં ઘર જેવું... ! ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત એક રચના...    



ગુજરાત અફલાતૂન છે,

ગુજરાતી અફલાતૂન છે..


નેહ તણાં જ્યાં નેણલાં દૂઝે, 

સુખ સમુદ્ધિ સદાય રીઝે

એના એવા શુકુન છે,

ગુજરાત અફલાતૂન છે...


બુદ્ધિધન એનો ખોળો ખૂંદે,

મહેનત એની બુંદે બુંદે

એવી દેશદાઝનું ઝનૂન છે,

ગુજરાત અફલાતૂન છે..


વિશ્વપ્રવાસી છે ગુજરાતી

શાંતસ્વભાવી છે ગુજરાતી

વેપાર વણજ એનો ગુણ છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે

પાણી ઉલેચે પૈસો ફૂટે

ધર્મધ્યાનેય નંબર વન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે


વિશ્વ વિજયના પંથે ચાલે 

ગગને વિહરે જરૂર કાલે

સપના એનો સંગીન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


વિજય તિલક કર્યું છે ભાલે,

નિશાન તાકે દુશ્મન ગાલે

એની નસ નસ ખુન્નસ ખૂન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે...


બનાસવાસી, અમદાવાદી,

સુરત કચ્છી કે કાઠી

એનો જનજન બેનમૂન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતની અફલાતૂન છે...


છે ભરતખંડની પુણ્યભૂમિ

વીર વીરાંગના શૌર્યભૂમિ

એને કોટિ કોટિ વંદન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતી અફલાતૂન છે....



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.