Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આપણી સામે અલગ ને લોકો સામે અલગ...


  • Published By :
  • Published Date : 2024-04-20 18:02:17

માણસની પરિસ્થિતિ જેમ જેમ બદલાય છે તેમ તેમ તેની સાથે સંબંધ રાખતા લોકોના વ્યવહાર પણ બદલાય છે.. માણસનો વ્યવહાર તો બદલાય છે પરંતુ માણસમાં રહેલી માણસાઈને પણ બદલાતા વાર નથી લાગતી.! ઘણી વખત બનતું હોય છે કે માણસ આપણી સામે અલગ હોય છે અને બીજાની સામે હોય છે.. દુનિયાની ફાલતુ પંચાતમાં અનેક લોકો જીવનને વેડફી નાખતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના જેમાં તે સંબોધની વાત કરી રહ્યા છે...


શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, 

માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...


આપણી સામે અલગ ને લોકો સામે અલગ, 

બદલાતા માણસની જાત નથી ગમતી મને..


અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.? 

દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...


પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, 

દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...


જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,

એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...


જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,

સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...


- બેફામ



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.