Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આપણી સામે અલગ ને લોકો સામે અલગ...


  • Published By :
  • Published Date : 2024-04-20 18:02:17

માણસની પરિસ્થિતિ જેમ જેમ બદલાય છે તેમ તેમ તેની સાથે સંબંધ રાખતા લોકોના વ્યવહાર પણ બદલાય છે.. માણસનો વ્યવહાર તો બદલાય છે પરંતુ માણસમાં રહેલી માણસાઈને પણ બદલાતા વાર નથી લાગતી.! ઘણી વખત બનતું હોય છે કે માણસ આપણી સામે અલગ હોય છે અને બીજાની સામે હોય છે.. દુનિયાની ફાલતુ પંચાતમાં અનેક લોકો જીવનને વેડફી નાખતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના જેમાં તે સંબોધની વાત કરી રહ્યા છે...


શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, 

માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...


આપણી સામે અલગ ને લોકો સામે અલગ, 

બદલાતા માણસની જાત નથી ગમતી મને..


અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.? 

દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...


પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, 

દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...


જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,

એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...


જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,

સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...


- બેફામ



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે