Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - નથી ગમતા


  • Published By :
  • Published Date : 2024-09-20 15:58:31

જ્યારે સહારો જોઈતો હોય ત્યારે લોકો સહારો નહીં માત્ર વાતો કરતા હોય છે.. જૂઠ્ઠા દિલાસાઓ આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ.. પરંતુ વાસ્તવિક્તામાં એ આપણને મદદ નથી કરતા.. અનેક કિનારાઓ એવા હોય છે જે આપણને પસંદ નથી હોતા.. દુ:ખ અને દર્દ જ મળે છે કિનારા પર આવ્યા પછી.. અડગ વિશ્વાસ હોય છે પોતાની પર.. જ્યાં સુધી મંજિલ પર નથી પહોંચતા ત્યાં સુધી તેમને ચેન નથી પડતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નથી ગમતા.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


મને આ દિલ તણાં જૂઠા સહારાઓ નથી ગમતા

અને આ વિરાન બાગોના નઝારાઓ નથી ગમતા


બહેતર છે ડૂબી જવું, મઝધારે તોફાનોમાં

દુ:ખો અને દર્દ મળે એવા કિનારાઓ નથી ગમતાં.


રોઈ રોઈ ભરી લેજો દામન આ મહોબ્બતનું

જૂઠી યાદોને આશાના મિનારા નથી ગમતાં


અમે બસ ચાલતા રહીશું અડગ વિશ્વાસે મંઝિલના 

ન અમને રોકશો કોઈ, આ ઉતારાઓ નથી ગમતા


અમુલ્ય આ ઝિંદગીની અવદશા છે કેવી?

ફૂલોને પણ કાંટાના પનારાઓ નથી ગમતા




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.