Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,


  • Published By :
  • Published Date : 2024-09-04 18:20:17

અનેક લોકો એવા હોય છે જેમને જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી. જીવનના લક્ષ્યની ખબર નથી હોતી એટલા માટે તે ભટકતા રહે છે, દિશાહીન હોય છે. જીવનમાં કંઈક કરવું હોય છે પરંતુ શું તેની જાણ નથી હોતી.. નક્કી કરવાની ક્ષમતા જ અનેક માણસોમાંથી ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે. કંઈના કરે તો પણ જીંદગી તો ચાલે પરંતુ બેસી ક્યાં સુધી રહેવું તેની ખબર હોવી જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગૌરાંગ ઠાકરની રચના.. 



સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,

બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.


આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,

ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?


કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?

તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.


આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,

કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.


રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,

મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.


હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?

આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.


છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,

જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.


– ગૌરાંગ ઠાકર



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.