Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,


  • Published By :
  • Published Date : 2024-09-04 18:20:17

અનેક લોકો એવા હોય છે જેમને જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી. જીવનના લક્ષ્યની ખબર નથી હોતી એટલા માટે તે ભટકતા રહે છે, દિશાહીન હોય છે. જીવનમાં કંઈક કરવું હોય છે પરંતુ શું તેની જાણ નથી હોતી.. નક્કી કરવાની ક્ષમતા જ અનેક માણસોમાંથી ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે. કંઈના કરે તો પણ જીંદગી તો ચાલે પરંતુ બેસી ક્યાં સુધી રહેવું તેની ખબર હોવી જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગૌરાંગ ઠાકરની રચના.. 



સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,

બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.


આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,

ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?


કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?

તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.


આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,

કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.


રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,

મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.


હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?

આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.


છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,

જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.


– ગૌરાંગ ઠાકર



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."