Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કેવી રીતે 23 વર્ષથી 56 વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-26 16:48:06

આપણે જ્યારે આપણા વડીલો પાસે બેસીએ છીએ ત્યારે તે પોતાના વિતી ગયેલા દિવસોને યાદ કરતા હોય છે... અનેક વખત કહેતા આપણે સાંભળીએ છીએ કે પરિવારને સુખી કરવામાં તેમનું જીવન ક્યાં જતૂં રહ્યું તેની ખબર ના પડી...જીંદગીની સફર એટલી જલ્દી પૂરી થઈ જાય છે. એવું લાગે કે હમણાં તો હું દીકરો હતો ક્યારે સસરો બની ગયો તેની ખબર ના પડી.. કમાવવા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ખબર જ નથી પડતી કે ક્યારે ઘરડા થઈ ગયા..! ત્યારે સાહિત્યના સમીપમાં સમર્પિત છે રચના જે ઘણું બધુ આપણને સમજાવી જાય છે...       



ખબર જ ના પડી...


કેવી રીતે  23 વર્ષ થી 56 વર્ષ

ની આ સફર પુરી કરી

ખબર જ ના પડી 


શું પામ્યા શુ ગુમાવ્યું

ખબર જ ન પડી 


બચપણ ગયુ

ગઈ જવાની

ક્યારે પ્રોઢઃ થયા

ખબર જ ના પડી 


કાલ સુધી તો દીકરો હતો,

ક્યારે સસરો થયો

ખબર જ ના પડી 


 કોઈ કહેતું ડફોળ છે

કોઈ કહતું હોશિયાર છે

શુ સાચું હતું

ખબર જ ના પડી 


પહેલા માં બાપ નુ ચાલ્યું

પછી પત્ની નુ ચાલ્યું

પછી ચાલ્યું છોકરાઓ નુ

મારું ક્યારે ચાલ્યું

ખબર જ ના પડી 


દિલ કહે છે હજુ જવાન છુ,

ઉમ્ર કહે છે સાવ નાદાન છુ

બસ આ જ ચક્કર માં કયારે

પગ ઘસાઈ ગયા

ખબર જ ના પડી 


વાળ જતા રહ્યા

ગાલ લબડી ગયા

ચશ્માં આવી ગયા

કયારે સુરત બદલાઈ ગયી

ખબર જ ના પડી 


કાલ સુધી કુટુંબ જોડે હતા

કયારે કુટુંબ વિખરાયો

કયારે નજીક ના દૂર ગયા

ખબર જ ના પડી 


ભાઈ બહેન સગા સબંધી

ટાણે ત્યોહારે ભેગા મળે

ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી

ખબર જ ના પડી 


જીંદગી ને જી ભરી જીવી લે

પછી ન કહેતો કે............

ખબર જ ના પડી



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.