Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કેવી રીતે 23 વર્ષથી 56 વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી...


  • Published By :
  • Published Date : 2024-04-26 16:48:06

આપણે જ્યારે આપણા વડીલો પાસે બેસીએ છીએ ત્યારે તે પોતાના વિતી ગયેલા દિવસોને યાદ કરતા હોય છે... અનેક વખત કહેતા આપણે સાંભળીએ છીએ કે પરિવારને સુખી કરવામાં તેમનું જીવન ક્યાં જતૂં રહ્યું તેની ખબર ના પડી...જીંદગીની સફર એટલી જલ્દી પૂરી થઈ જાય છે. એવું લાગે કે હમણાં તો હું દીકરો હતો ક્યારે સસરો બની ગયો તેની ખબર ના પડી.. કમાવવા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ખબર જ નથી પડતી કે ક્યારે ઘરડા થઈ ગયા..! ત્યારે સાહિત્યના સમીપમાં સમર્પિત છે રચના જે ઘણું બધુ આપણને સમજાવી જાય છે...       



ખબર જ ના પડી...


કેવી રીતે  23 વર્ષ થી 56 વર્ષ

ની આ સફર પુરી કરી

ખબર જ ના પડી 


શું પામ્યા શુ ગુમાવ્યું

ખબર જ ન પડી 


બચપણ ગયુ

ગઈ જવાની

ક્યારે પ્રોઢઃ થયા

ખબર જ ના પડી 


કાલ સુધી તો દીકરો હતો,

ક્યારે સસરો થયો

ખબર જ ના પડી 


 કોઈ કહેતું ડફોળ છે

કોઈ કહતું હોશિયાર છે

શુ સાચું હતું

ખબર જ ના પડી 


પહેલા માં બાપ નુ ચાલ્યું

પછી પત્ની નુ ચાલ્યું

પછી ચાલ્યું છોકરાઓ નુ

મારું ક્યારે ચાલ્યું

ખબર જ ના પડી 


દિલ કહે છે હજુ જવાન છુ,

ઉમ્ર કહે છે સાવ નાદાન છુ

બસ આ જ ચક્કર માં કયારે

પગ ઘસાઈ ગયા

ખબર જ ના પડી 


વાળ જતા રહ્યા

ગાલ લબડી ગયા

ચશ્માં આવી ગયા

કયારે સુરત બદલાઈ ગયી

ખબર જ ના પડી 


કાલ સુધી કુટુંબ જોડે હતા

કયારે કુટુંબ વિખરાયો

કયારે નજીક ના દૂર ગયા

ખબર જ ના પડી 


ભાઈ બહેન સગા સબંધી

ટાણે ત્યોહારે ભેગા મળે

ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી

ખબર જ ના પડી 


જીંદગી ને જી ભરી જીવી લે

પછી ન કહેતો કે............

ખબર જ ના પડી



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે