Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કેવી રીતે 23 વર્ષથી 56 વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી...


  • Published By :
  • Published Date : 2024-04-26 16:48:06

આપણે જ્યારે આપણા વડીલો પાસે બેસીએ છીએ ત્યારે તે પોતાના વિતી ગયેલા દિવસોને યાદ કરતા હોય છે... અનેક વખત કહેતા આપણે સાંભળીએ છીએ કે પરિવારને સુખી કરવામાં તેમનું જીવન ક્યાં જતૂં રહ્યું તેની ખબર ના પડી...જીંદગીની સફર એટલી જલ્દી પૂરી થઈ જાય છે. એવું લાગે કે હમણાં તો હું દીકરો હતો ક્યારે સસરો બની ગયો તેની ખબર ના પડી.. કમાવવા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ખબર જ નથી પડતી કે ક્યારે ઘરડા થઈ ગયા..! ત્યારે સાહિત્યના સમીપમાં સમર્પિત છે રચના જે ઘણું બધુ આપણને સમજાવી જાય છે...       



ખબર જ ના પડી...


કેવી રીતે  23 વર્ષ થી 56 વર્ષ

ની આ સફર પુરી કરી

ખબર જ ના પડી 


શું પામ્યા શુ ગુમાવ્યું

ખબર જ ન પડી 


બચપણ ગયુ

ગઈ જવાની

ક્યારે પ્રોઢઃ થયા

ખબર જ ના પડી 


કાલ સુધી તો દીકરો હતો,

ક્યારે સસરો થયો

ખબર જ ના પડી 


 કોઈ કહેતું ડફોળ છે

કોઈ કહતું હોશિયાર છે

શુ સાચું હતું

ખબર જ ના પડી 


પહેલા માં બાપ નુ ચાલ્યું

પછી પત્ની નુ ચાલ્યું

પછી ચાલ્યું છોકરાઓ નુ

મારું ક્યારે ચાલ્યું

ખબર જ ના પડી 


દિલ કહે છે હજુ જવાન છુ,

ઉમ્ર કહે છે સાવ નાદાન છુ

બસ આ જ ચક્કર માં કયારે

પગ ઘસાઈ ગયા

ખબર જ ના પડી 


વાળ જતા રહ્યા

ગાલ લબડી ગયા

ચશ્માં આવી ગયા

કયારે સુરત બદલાઈ ગયી

ખબર જ ના પડી 


કાલ સુધી કુટુંબ જોડે હતા

કયારે કુટુંબ વિખરાયો

કયારે નજીક ના દૂર ગયા

ખબર જ ના પડી 


ભાઈ બહેન સગા સબંધી

ટાણે ત્યોહારે ભેગા મળે

ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી

ખબર જ ના પડી 


જીંદગી ને જી ભરી જીવી લે

પછી ન કહેતો કે............

ખબર જ ના પડી



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.