Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કેવી રીતે 23 વર્ષથી 56 વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી...


  • Published By :
  • Published Date : 2024-04-26 16:48:06

આપણે જ્યારે આપણા વડીલો પાસે બેસીએ છીએ ત્યારે તે પોતાના વિતી ગયેલા દિવસોને યાદ કરતા હોય છે... અનેક વખત કહેતા આપણે સાંભળીએ છીએ કે પરિવારને સુખી કરવામાં તેમનું જીવન ક્યાં જતૂં રહ્યું તેની ખબર ના પડી...જીંદગીની સફર એટલી જલ્દી પૂરી થઈ જાય છે. એવું લાગે કે હમણાં તો હું દીકરો હતો ક્યારે સસરો બની ગયો તેની ખબર ના પડી.. કમાવવા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ખબર જ નથી પડતી કે ક્યારે ઘરડા થઈ ગયા..! ત્યારે સાહિત્યના સમીપમાં સમર્પિત છે રચના જે ઘણું બધુ આપણને સમજાવી જાય છે...       



ખબર જ ના પડી...


કેવી રીતે  23 વર્ષ થી 56 વર્ષ

ની આ સફર પુરી કરી

ખબર જ ના પડી 


શું પામ્યા શુ ગુમાવ્યું

ખબર જ ન પડી 


બચપણ ગયુ

ગઈ જવાની

ક્યારે પ્રોઢઃ થયા

ખબર જ ના પડી 


કાલ સુધી તો દીકરો હતો,

ક્યારે સસરો થયો

ખબર જ ના પડી 


 કોઈ કહેતું ડફોળ છે

કોઈ કહતું હોશિયાર છે

શુ સાચું હતું

ખબર જ ના પડી 


પહેલા માં બાપ નુ ચાલ્યું

પછી પત્ની નુ ચાલ્યું

પછી ચાલ્યું છોકરાઓ નુ

મારું ક્યારે ચાલ્યું

ખબર જ ના પડી 


દિલ કહે છે હજુ જવાન છુ,

ઉમ્ર કહે છે સાવ નાદાન છુ

બસ આ જ ચક્કર માં કયારે

પગ ઘસાઈ ગયા

ખબર જ ના પડી 


વાળ જતા રહ્યા

ગાલ લબડી ગયા

ચશ્માં આવી ગયા

કયારે સુરત બદલાઈ ગયી

ખબર જ ના પડી 


કાલ સુધી કુટુંબ જોડે હતા

કયારે કુટુંબ વિખરાયો

કયારે નજીક ના દૂર ગયા

ખબર જ ના પડી 


ભાઈ બહેન સગા સબંધી

ટાણે ત્યોહારે ભેગા મળે

ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી

ખબર જ ના પડી 


જીંદગી ને જી ભરી જીવી લે

પછી ન કહેતો કે............

ખબર જ ના પડી



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.