Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જીવનને સમર્પિત રચના - આશા અરમાનો જગાવી જીવતાં


  • Published By :
  • Published Date : 2024-09-03 17:23:20

જીવનને માત્ર અમુક લોકો જ જીવતા હોય છે, બાકીના લોકો તો જીવનને પસાર જ કરતા હોય છે. જીવનને બોજાની જેમ જોતા હોય છે. જીવનમાં તેમને ગમે તેટલું સારૂં કેમ ના હોય તો પણ તેમને ઓછું જ લાગે છે.. સંવેદનાઓ પણ અનેક લોકોની મરી પરવારી હોય છે. સાહસ કરવાની પણ હિંમત તેમનામાં રહેતો નથી. દિલ તો હોય પરંતુ તેમનામાં લાગણી ના હોય, હૃદય પત્થર બની જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીવતાં...  આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


આશા અરમાનો જગાવી જીવતાં

વેદના મનની દબાવી જીવતાં..


આખરી સાંસો ભરે સંવેદના

કર્મને દાગો લગાવી જીવતાં


કેટલા સાહસ કરાવે જિંદગી

જાતને માથે ચડાવી જીવતાં


પત્થરો જેવા બનાવી દાળજા,

આગમાં ઘરને જલાવી જીવતાં


ભીતરે દાબી હૃદયના ઘાવને

બાળતાં સદમાં ઉઠાવી જીવતાં


વેઠવાને પીડ કઈ ઓછી નથી

દુ:ખમાં પણ મન મનાવી જીવતાં


યાર પણ યારી નભાવી ના શકે

ને ઘણું માસૂમ છુપાવી જીવતાં



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.