Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના -માતા પિતાની જેમ હકથી ફરજ નિભાવતો..


  • Published By :
  • Published Date : 2024-05-24 16:18:21

ભાઈ બહેનના સંબંધો વિશે ઘણું બધું કહેવાયું છે. ભાઈ બહેન ગમે તેટલું ઝઘડે પરંતુ અંતે તો એક દુખી થાય તો બીજો આપોઆપ દુખી થઈ જાય.. નાના હોઈએ ત્યારે સૌથી વધારે એની જોડે ઝઘડતા હોઈએ છે પરંતુ જ્યારે દૂર જાય ત્યારે સૌથી વધારે યાદ ભાઈની આવતી હોય છે. ભાઈને પિતા તુલ્ય પડછાયો માનવામાં આવે છે. બહેનની ઢાલ ભાઈને મનાય છે. આજે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો..   



સદાયે ઢાલ બની રહેતો

બેનીનો દુ:ખનો આધાર

રાખડીના પ્રેમરક્ષાના ધાગાનો 

જાણે કવચ બની રક્ષે

એનું નામ ભાઈ


માતા પિતાની જેમ હકથી

ફરજ નિભાવતો..

પજવે ઘણોય હંમેશા પણ

સૌને પજવતા રોકતો

એનું નામ ભાઈ


ઘરમાં એ હોય તો આનંદ

સદાબહાર ખીલવતી દિવાલ

પણ થોડોય વિખૂટો પડે તો

લાગતી ગમગીન ચાર દિવાલ

એનું નામ ભાઈ


મા બાપની મુસ્કાનનો આધાર

ઘડપણનો લાકડીરૂપ આધાર

આંખો વાંચી ઈચ્છાઓ પૂરતો

પરિવારનો એ ઉત્સાહજનક આધાર

એનું નામ ભાઈ


દુ:ખ આવે બેની પર તો

સતત વરસાવતો લાગણીના 

હામ..!

દૂર કરી દુ:ખોનેએ 

જાણે બનતો કોઈ ફરીશતો

મહાન...!

એનું નામ ભાઈ


જેની આંખો કહે સદાય હસતી 

રહો

હૃદય કહે સદાય સુખી રહો...!

દેતા આશીર્વાદ સદા

જાણે એ બન્યો બેનીનો

પડછાયો...!

એનું નામ ભાઈ


આ કળયુગના વાયરાથી

બદલાયા માનવના મગજ

પ્રીત, લાણી ઓછા થાવા

લાગ્યા

પણ હજુએ ક્યાંક ક્યાંક તો

જીવે છે ભીની ભીની

લાગણી..

એનું નામ ભાઈ.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.