Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના -માતા પિતાની જેમ હકથી ફરજ નિભાવતો..


  • Published By :
  • Published Date : 2024-05-24 16:18:21

ભાઈ બહેનના સંબંધો વિશે ઘણું બધું કહેવાયું છે. ભાઈ બહેન ગમે તેટલું ઝઘડે પરંતુ અંતે તો એક દુખી થાય તો બીજો આપોઆપ દુખી થઈ જાય.. નાના હોઈએ ત્યારે સૌથી વધારે એની જોડે ઝઘડતા હોઈએ છે પરંતુ જ્યારે દૂર જાય ત્યારે સૌથી વધારે યાદ ભાઈની આવતી હોય છે. ભાઈને પિતા તુલ્ય પડછાયો માનવામાં આવે છે. બહેનની ઢાલ ભાઈને મનાય છે. આજે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો..   



સદાયે ઢાલ બની રહેતો

બેનીનો દુ:ખનો આધાર

રાખડીના પ્રેમરક્ષાના ધાગાનો 

જાણે કવચ બની રક્ષે

એનું નામ ભાઈ


માતા પિતાની જેમ હકથી

ફરજ નિભાવતો..

પજવે ઘણોય હંમેશા પણ

સૌને પજવતા રોકતો

એનું નામ ભાઈ


ઘરમાં એ હોય તો આનંદ

સદાબહાર ખીલવતી દિવાલ

પણ થોડોય વિખૂટો પડે તો

લાગતી ગમગીન ચાર દિવાલ

એનું નામ ભાઈ


મા બાપની મુસ્કાનનો આધાર

ઘડપણનો લાકડીરૂપ આધાર

આંખો વાંચી ઈચ્છાઓ પૂરતો

પરિવારનો એ ઉત્સાહજનક આધાર

એનું નામ ભાઈ


દુ:ખ આવે બેની પર તો

સતત વરસાવતો લાગણીના 

હામ..!

દૂર કરી દુ:ખોનેએ 

જાણે બનતો કોઈ ફરીશતો

મહાન...!

એનું નામ ભાઈ


જેની આંખો કહે સદાય હસતી 

રહો

હૃદય કહે સદાય સુખી રહો...!

દેતા આશીર્વાદ સદા

જાણે એ બન્યો બેનીનો

પડછાયો...!

એનું નામ ભાઈ


આ કળયુગના વાયરાથી

બદલાયા માનવના મગજ

પ્રીત, લાણી ઓછા થાવા

લાગ્યા

પણ હજુએ ક્યાંક ક્યાંક તો

જીવે છે ભીની ભીની

લાગણી..

એનું નામ ભાઈ.. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે