Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના -માતા પિતાની જેમ હકથી ફરજ નિભાવતો..


  • Published By :
  • Published Date : 2024-05-24 16:18:21

ભાઈ બહેનના સંબંધો વિશે ઘણું બધું કહેવાયું છે. ભાઈ બહેન ગમે તેટલું ઝઘડે પરંતુ અંતે તો એક દુખી થાય તો બીજો આપોઆપ દુખી થઈ જાય.. નાના હોઈએ ત્યારે સૌથી વધારે એની જોડે ઝઘડતા હોઈએ છે પરંતુ જ્યારે દૂર જાય ત્યારે સૌથી વધારે યાદ ભાઈની આવતી હોય છે. ભાઈને પિતા તુલ્ય પડછાયો માનવામાં આવે છે. બહેનની ઢાલ ભાઈને મનાય છે. આજે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો..   



સદાયે ઢાલ બની રહેતો

બેનીનો દુ:ખનો આધાર

રાખડીના પ્રેમરક્ષાના ધાગાનો 

જાણે કવચ બની રક્ષે

એનું નામ ભાઈ


માતા પિતાની જેમ હકથી

ફરજ નિભાવતો..

પજવે ઘણોય હંમેશા પણ

સૌને પજવતા રોકતો

એનું નામ ભાઈ


ઘરમાં એ હોય તો આનંદ

સદાબહાર ખીલવતી દિવાલ

પણ થોડોય વિખૂટો પડે તો

લાગતી ગમગીન ચાર દિવાલ

એનું નામ ભાઈ


મા બાપની મુસ્કાનનો આધાર

ઘડપણનો લાકડીરૂપ આધાર

આંખો વાંચી ઈચ્છાઓ પૂરતો

પરિવારનો એ ઉત્સાહજનક આધાર

એનું નામ ભાઈ


દુ:ખ આવે બેની પર તો

સતત વરસાવતો લાગણીના 

હામ..!

દૂર કરી દુ:ખોનેએ 

જાણે બનતો કોઈ ફરીશતો

મહાન...!

એનું નામ ભાઈ


જેની આંખો કહે સદાય હસતી 

રહો

હૃદય કહે સદાય સુખી રહો...!

દેતા આશીર્વાદ સદા

જાણે એ બન્યો બેનીનો

પડછાયો...!

એનું નામ ભાઈ


આ કળયુગના વાયરાથી

બદલાયા માનવના મગજ

પ્રીત, લાણી ઓછા થાવા

લાગ્યા

પણ હજુએ ક્યાંક ક્યાંક તો

જીવે છે ભીની ભીની

લાગણી..

એનું નામ ભાઈ.. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"