Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના -માતા પિતાની જેમ હકથી ફરજ નિભાવતો..


  • Published By :
  • Published Date : 2024-05-24 16:18:21

ભાઈ બહેનના સંબંધો વિશે ઘણું બધું કહેવાયું છે. ભાઈ બહેન ગમે તેટલું ઝઘડે પરંતુ અંતે તો એક દુખી થાય તો બીજો આપોઆપ દુખી થઈ જાય.. નાના હોઈએ ત્યારે સૌથી વધારે એની જોડે ઝઘડતા હોઈએ છે પરંતુ જ્યારે દૂર જાય ત્યારે સૌથી વધારે યાદ ભાઈની આવતી હોય છે. ભાઈને પિતા તુલ્ય પડછાયો માનવામાં આવે છે. બહેનની ઢાલ ભાઈને મનાય છે. આજે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો..   



સદાયે ઢાલ બની રહેતો

બેનીનો દુ:ખનો આધાર

રાખડીના પ્રેમરક્ષાના ધાગાનો 

જાણે કવચ બની રક્ષે

એનું નામ ભાઈ


માતા પિતાની જેમ હકથી

ફરજ નિભાવતો..

પજવે ઘણોય હંમેશા પણ

સૌને પજવતા રોકતો

એનું નામ ભાઈ


ઘરમાં એ હોય તો આનંદ

સદાબહાર ખીલવતી દિવાલ

પણ થોડોય વિખૂટો પડે તો

લાગતી ગમગીન ચાર દિવાલ

એનું નામ ભાઈ


મા બાપની મુસ્કાનનો આધાર

ઘડપણનો લાકડીરૂપ આધાર

આંખો વાંચી ઈચ્છાઓ પૂરતો

પરિવારનો એ ઉત્સાહજનક આધાર

એનું નામ ભાઈ


દુ:ખ આવે બેની પર તો

સતત વરસાવતો લાગણીના 

હામ..!

દૂર કરી દુ:ખોનેએ 

જાણે બનતો કોઈ ફરીશતો

મહાન...!

એનું નામ ભાઈ


જેની આંખો કહે સદાય હસતી 

રહો

હૃદય કહે સદાય સુખી રહો...!

દેતા આશીર્વાદ સદા

જાણે એ બન્યો બેનીનો

પડછાયો...!

એનું નામ ભાઈ


આ કળયુગના વાયરાથી

બદલાયા માનવના મગજ

પ્રીત, લાણી ઓછા થાવા

લાગ્યા

પણ હજુએ ક્યાંક ક્યાંક તો

જીવે છે ભીની ભીની

લાગણી..

એનું નામ ભાઈ.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.