Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ દોસ્ત પૂછે કેમ છે કેડી...


  • Published By :
  • Published Date : 2024-06-29 17:24:44

મિત્રોનું આપણા જીવનમાં હોવું ખૂબ અગત્યનું છે. મિત્રો હોય છે તો જીવન જીવવા જેવું લાગે છે.. આપણે આપણા માતા પિતા કે પરિવારજનોની પસંદગી નથી કરી શકતા પરંતુ મિત્ર કોણ હશે તે આપણે પસંદ કરીએ છીએ.. આપણે નિરાશ હોઈએ અને દોસ્તને મળીએ તો આપણે ફ્રેશ થઈ જઈએ છીએ.. મનમાં ચાલી રહેલી વાતો આપણે દોસ્તને કહીએ તો સારૂં લાગે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો.. 



કોઈ દોસ્ત પૂછે કેમ છે કેડી

લગભગ મજામાં કહી દઉં છું,

નથી જાણતો હું કેવી હશે દુનિયા

મળે જો ઠપકો તો સહી લઉં છું..


ઘર કે ઓફિસ કામમાં વ્યસ્ત રહુ છતાં

મળે મિત્રો તો મહેફિલ માંડી લઉ છું,

સવારથી સાંજ નોકરી કરી

ગુજરાન રળી લઉં છું.


જીવનમાં અવનવા રસ્તાઓ

અને અજાણ્યા સ્ટેશનો વચ્ચે

મુસાફર બની દોસ્તો સાથે

રોજ સવારે સાંજ ફરી લઉં છું.


ઘોર પ્રવાસ આ સૃષ્ટિ પર કિન્તુ

ધર્મ અને કર્મમાં તાકાત છે બહુ

માનીને બધાઓનું સારૂં ઈચ્છું છું

ઘડીએ ઘડીનો અંત વિશે જાણું છું


કરીશું ખુશીઓના ઉત્સવો જિંદગીભર

ખુબી તો નથી પણ ખામી ઘણી હશે મારામાં

કહે કેડી સાથ રહેશે દોસ્ત તમારો તો

મંજિલે મળીશું સામા કિનારે કરીશું મોજ 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.