Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આવે યાદ આજે મને મારી સ્કૂલ...


  • Published By :
  • Published Date : 2024-09-09 18:56:27

આપણી જીંદગીનો સૌથી યાદગાર ફેઝ જો કોઈ હોય તો તે બાળપણ છે.. બાળપણની યાદો હંમેશા આપણને યાદ રહે છે.. આપણે કરેલી મસ્તી, આપણને પડેલી લડ, માતા પિતાનો પ્રેમ ભરેલો ગુસ્સો.. તે સિવાય સૌથી વધારે મજા જો બાળપણની હતી તો તે હતો સ્કૂલનો સમય.. સ્કૂલના મિત્રો મોટા ગઈ ગયા બાદ પણ નથી ભૂલાતા... તે દોસ્તી કાયમી ટકે છે.. શિક્ષકો દ્વારા આપવામાં આવતી શીખ, શિક્ષકો દ્વારા આપવામાં આવતો દંડ આપણને યાદ રહી જાય છે અને તે જીવનમાં આપણને ઉપયોગી પણ સાબિત થાય છે. શાળામાં કરેલી મસ્તીને તો કેવી રીતે ભૂલી શકાય.. જો આપણે વર્ષો બાદ પણ શાળાએ જઈએ છીએ ત્યારે આપણને આ બધા દ્રશ્યો આંખોની સામે દેખાય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



આવે યાદ આજે મને મારી સ્કૂલ

કેવા હતા એ દિવસો કલરફૂલ

સાથે બેસી ભણવું, ગણવું

ને સંપીને રમવું

સૌના થઈ સૌને ગમવું


અલગ અંદાજ, અલગ આનંદ

અલગ જ સમય હતો

મારી સ્કૂલનો,

શિક્ષક ભણાવતા, ગણાવતા

ને જીવનલક્ષી શિક્ષણ આપતા

શિસ્ત તો વળી મારી મારી શીખવાડતા

આજે એ જ ભણતરે 

કર્યું અમારા જીવનનું ચણતર


હતા અમે નાદાન

ના બુદ્ધિ, ના આવડત

જીવન જીવવાની પદ્ધતિ શું હોય રાખ!

આજે યાદ આવે ગુરૂ અમારા

જેના થકી જીવન ધન્ય અમારા

જેના જીવનમાં જોગુરૂ ન હોય

એનું જીવન પશુ સમાન હોય..


બાળકની જિંદગીનું

પહેલું પગથિયું સ્કૂલ છે

દીકરા દીકરીને ભણાવો

તેનું જીવન સુગંધી બનાવો

વિદ્યાએ જીવનનું સર્વશ્રેષ્ઠ ઈનામ છે..



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.