Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આવે યાદ આજે મને મારી સ્કૂલ...


  • Published By :
  • Published Date : 2024-09-09 18:56:27

આપણી જીંદગીનો સૌથી યાદગાર ફેઝ જો કોઈ હોય તો તે બાળપણ છે.. બાળપણની યાદો હંમેશા આપણને યાદ રહે છે.. આપણે કરેલી મસ્તી, આપણને પડેલી લડ, માતા પિતાનો પ્રેમ ભરેલો ગુસ્સો.. તે સિવાય સૌથી વધારે મજા જો બાળપણની હતી તો તે હતો સ્કૂલનો સમય.. સ્કૂલના મિત્રો મોટા ગઈ ગયા બાદ પણ નથી ભૂલાતા... તે દોસ્તી કાયમી ટકે છે.. શિક્ષકો દ્વારા આપવામાં આવતી શીખ, શિક્ષકો દ્વારા આપવામાં આવતો દંડ આપણને યાદ રહી જાય છે અને તે જીવનમાં આપણને ઉપયોગી પણ સાબિત થાય છે. શાળામાં કરેલી મસ્તીને તો કેવી રીતે ભૂલી શકાય.. જો આપણે વર્ષો બાદ પણ શાળાએ જઈએ છીએ ત્યારે આપણને આ બધા દ્રશ્યો આંખોની સામે દેખાય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



આવે યાદ આજે મને મારી સ્કૂલ

કેવા હતા એ દિવસો કલરફૂલ

સાથે બેસી ભણવું, ગણવું

ને સંપીને રમવું

સૌના થઈ સૌને ગમવું


અલગ અંદાજ, અલગ આનંદ

અલગ જ સમય હતો

મારી સ્કૂલનો,

શિક્ષક ભણાવતા, ગણાવતા

ને જીવનલક્ષી શિક્ષણ આપતા

શિસ્ત તો વળી મારી મારી શીખવાડતા

આજે એ જ ભણતરે 

કર્યું અમારા જીવનનું ચણતર


હતા અમે નાદાન

ના બુદ્ધિ, ના આવડત

જીવન જીવવાની પદ્ધતિ શું હોય રાખ!

આજે યાદ આવે ગુરૂ અમારા

જેના થકી જીવન ધન્ય અમારા

જેના જીવનમાં જોગુરૂ ન હોય

એનું જીવન પશુ સમાન હોય..


બાળકની જિંદગીનું

પહેલું પગથિયું સ્કૂલ છે

દીકરા દીકરીને ભણાવો

તેનું જીવન સુગંધી બનાવો

વિદ્યાએ જીવનનું સર્વશ્રેષ્ઠ ઈનામ છે..



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.