Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આવે યાદ આજે મને મારી સ્કૂલ...


  • Published By :
  • Published Date : 2024-09-09 18:56:27

આપણી જીંદગીનો સૌથી યાદગાર ફેઝ જો કોઈ હોય તો તે બાળપણ છે.. બાળપણની યાદો હંમેશા આપણને યાદ રહે છે.. આપણે કરેલી મસ્તી, આપણને પડેલી લડ, માતા પિતાનો પ્રેમ ભરેલો ગુસ્સો.. તે સિવાય સૌથી વધારે મજા જો બાળપણની હતી તો તે હતો સ્કૂલનો સમય.. સ્કૂલના મિત્રો મોટા ગઈ ગયા બાદ પણ નથી ભૂલાતા... તે દોસ્તી કાયમી ટકે છે.. શિક્ષકો દ્વારા આપવામાં આવતી શીખ, શિક્ષકો દ્વારા આપવામાં આવતો દંડ આપણને યાદ રહી જાય છે અને તે જીવનમાં આપણને ઉપયોગી પણ સાબિત થાય છે. શાળામાં કરેલી મસ્તીને તો કેવી રીતે ભૂલી શકાય.. જો આપણે વર્ષો બાદ પણ શાળાએ જઈએ છીએ ત્યારે આપણને આ બધા દ્રશ્યો આંખોની સામે દેખાય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



આવે યાદ આજે મને મારી સ્કૂલ

કેવા હતા એ દિવસો કલરફૂલ

સાથે બેસી ભણવું, ગણવું

ને સંપીને રમવું

સૌના થઈ સૌને ગમવું


અલગ અંદાજ, અલગ આનંદ

અલગ જ સમય હતો

મારી સ્કૂલનો,

શિક્ષક ભણાવતા, ગણાવતા

ને જીવનલક્ષી શિક્ષણ આપતા

શિસ્ત તો વળી મારી મારી શીખવાડતા

આજે એ જ ભણતરે 

કર્યું અમારા જીવનનું ચણતર


હતા અમે નાદાન

ના બુદ્ધિ, ના આવડત

જીવન જીવવાની પદ્ધતિ શું હોય રાખ!

આજે યાદ આવે ગુરૂ અમારા

જેના થકી જીવન ધન્ય અમારા

જેના જીવનમાં જોગુરૂ ન હોય

એનું જીવન પશુ સમાન હોય..


બાળકની જિંદગીનું

પહેલું પગથિયું સ્કૂલ છે

દીકરા દીકરીને ભણાવો

તેનું જીવન સુગંધી બનાવો

વિદ્યાએ જીવનનું સર્વશ્રેષ્ઠ ઈનામ છે..



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."