Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આવે યાદ આજે મને મારી સ્કૂલ...


  • Published By :
  • Published Date : 2024-09-09 18:56:27

આપણી જીંદગીનો સૌથી યાદગાર ફેઝ જો કોઈ હોય તો તે બાળપણ છે.. બાળપણની યાદો હંમેશા આપણને યાદ રહે છે.. આપણે કરેલી મસ્તી, આપણને પડેલી લડ, માતા પિતાનો પ્રેમ ભરેલો ગુસ્સો.. તે સિવાય સૌથી વધારે મજા જો બાળપણની હતી તો તે હતો સ્કૂલનો સમય.. સ્કૂલના મિત્રો મોટા ગઈ ગયા બાદ પણ નથી ભૂલાતા... તે દોસ્તી કાયમી ટકે છે.. શિક્ષકો દ્વારા આપવામાં આવતી શીખ, શિક્ષકો દ્વારા આપવામાં આવતો દંડ આપણને યાદ રહી જાય છે અને તે જીવનમાં આપણને ઉપયોગી પણ સાબિત થાય છે. શાળામાં કરેલી મસ્તીને તો કેવી રીતે ભૂલી શકાય.. જો આપણે વર્ષો બાદ પણ શાળાએ જઈએ છીએ ત્યારે આપણને આ બધા દ્રશ્યો આંખોની સામે દેખાય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



આવે યાદ આજે મને મારી સ્કૂલ

કેવા હતા એ દિવસો કલરફૂલ

સાથે બેસી ભણવું, ગણવું

ને સંપીને રમવું

સૌના થઈ સૌને ગમવું


અલગ અંદાજ, અલગ આનંદ

અલગ જ સમય હતો

મારી સ્કૂલનો,

શિક્ષક ભણાવતા, ગણાવતા

ને જીવનલક્ષી શિક્ષણ આપતા

શિસ્ત તો વળી મારી મારી શીખવાડતા

આજે એ જ ભણતરે 

કર્યું અમારા જીવનનું ચણતર


હતા અમે નાદાન

ના બુદ્ધિ, ના આવડત

જીવન જીવવાની પદ્ધતિ શું હોય રાખ!

આજે યાદ આવે ગુરૂ અમારા

જેના થકી જીવન ધન્ય અમારા

જેના જીવનમાં જોગુરૂ ન હોય

એનું જીવન પશુ સમાન હોય..


બાળકની જિંદગીનું

પહેલું પગથિયું સ્કૂલ છે

દીકરા દીકરીને ભણાવો

તેનું જીવન સુગંધી બનાવો

વિદ્યાએ જીવનનું સર્વશ્રેષ્ઠ ઈનામ છે..



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી