Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આંસુ તો આંસુ છે,


  • Published By :
  • Published Date : 2024-09-10 18:44:53

ઘણી વખત આપણે બહુ દુ:ખી હોઈએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. જ્યારે કોઈને આપણે આપણી વેદના કહેતા હોઈએ તો પણ આંખો ભરાઈ આવે છે. પરંતુ અનેક વખત બને છે કે કોઈ આપણી સામે હોય ત્યારે આંસુ ના આવે.. આંસુને એકદમ પવિત્ર માનવામાં આવે છે.. આંખોમાંથી નીકળતા આંસુ એ હૃદયની વાણી હોય છે. કોઈ વખત હરખના આંસુ નીકળે તો કોઈ વખત પીડાના આંસુ નીકળે.. દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે નીકળતા આંસુમાં અત્યંત પીડા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના આંસુની.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


આંસુ તો આંસુ છે,

એ ફક્ત નથી પાણી

એ તો છે હૃદયની વાણી


બચપણમાં રમકડાની જિદ માટેના આંસુ

જિદ પૂરી કરવાનું હથિયાર છે

જવાનીમાં કોઈ માટે વિરહના આંસુ

કોઈની યાદનું નજરાણું છે


કન્યા વિદાય વખતના આંસુ

પિતાની નજરથી દીકરી થવાના પીડાના આંસું હોય છે

હોય આંસુ એક સરખા

પણ ભાવ અલગ અલગ છે


ક્યારેક ખુશીના હોય આંસુ

તો ક્યારેક ઉદાસીના હોય આંસુ

ક્યારેક જુદાઈના હોય આંસુ

તો ક્યારેક મિલનના હોય આંસુ


ક્યારેક સફળતા લાવે આંખમાં આંસુ તો 

ક્યારેક નિષ્ફળતાની પીડા આપે આંસુ

આંસુ તો આંસુ છે

પછી સુખનાં હોય કે દુ:ખના


ભીતર પીડાઓનો સમંદર ઘૂઘવતો હશે

એટલે જ કદાચ ખારા હશે આંસુઓ

ક્યારેક સ્વજનની વિદાયથી આવતા આંસુ

સંસ્મારણોથી વ્યક્ત થાય આ આંસુ



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી