Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આંસુ તો આંસુ છે,


  • Published By :
  • Published Date : 2024-09-10 18:44:53

ઘણી વખત આપણે બહુ દુ:ખી હોઈએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. જ્યારે કોઈને આપણે આપણી વેદના કહેતા હોઈએ તો પણ આંખો ભરાઈ આવે છે. પરંતુ અનેક વખત બને છે કે કોઈ આપણી સામે હોય ત્યારે આંસુ ના આવે.. આંસુને એકદમ પવિત્ર માનવામાં આવે છે.. આંખોમાંથી નીકળતા આંસુ એ હૃદયની વાણી હોય છે. કોઈ વખત હરખના આંસુ નીકળે તો કોઈ વખત પીડાના આંસુ નીકળે.. દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે નીકળતા આંસુમાં અત્યંત પીડા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના આંસુની.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


આંસુ તો આંસુ છે,

એ ફક્ત નથી પાણી

એ તો છે હૃદયની વાણી


બચપણમાં રમકડાની જિદ માટેના આંસુ

જિદ પૂરી કરવાનું હથિયાર છે

જવાનીમાં કોઈ માટે વિરહના આંસુ

કોઈની યાદનું નજરાણું છે


કન્યા વિદાય વખતના આંસુ

પિતાની નજરથી દીકરી થવાના પીડાના આંસું હોય છે

હોય આંસુ એક સરખા

પણ ભાવ અલગ અલગ છે


ક્યારેક ખુશીના હોય આંસુ

તો ક્યારેક ઉદાસીના હોય આંસુ

ક્યારેક જુદાઈના હોય આંસુ

તો ક્યારેક મિલનના હોય આંસુ


ક્યારેક સફળતા લાવે આંખમાં આંસુ તો 

ક્યારેક નિષ્ફળતાની પીડા આપે આંસુ

આંસુ તો આંસુ છે

પછી સુખનાં હોય કે દુ:ખના


ભીતર પીડાઓનો સમંદર ઘૂઘવતો હશે

એટલે જ કદાચ ખારા હશે આંસુઓ

ક્યારેક સ્વજનની વિદાયથી આવતા આંસુ

સંસ્મારણોથી વ્યક્ત થાય આ આંસુ



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.