Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આંસુ તો આંસુ છે,


  • Published By :
  • Published Date : 2024-09-10 18:44:53

ઘણી વખત આપણે બહુ દુ:ખી હોઈએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. જ્યારે કોઈને આપણે આપણી વેદના કહેતા હોઈએ તો પણ આંખો ભરાઈ આવે છે. પરંતુ અનેક વખત બને છે કે કોઈ આપણી સામે હોય ત્યારે આંસુ ના આવે.. આંસુને એકદમ પવિત્ર માનવામાં આવે છે.. આંખોમાંથી નીકળતા આંસુ એ હૃદયની વાણી હોય છે. કોઈ વખત હરખના આંસુ નીકળે તો કોઈ વખત પીડાના આંસુ નીકળે.. દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે નીકળતા આંસુમાં અત્યંત પીડા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના આંસુની.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


આંસુ તો આંસુ છે,

એ ફક્ત નથી પાણી

એ તો છે હૃદયની વાણી


બચપણમાં રમકડાની જિદ માટેના આંસુ

જિદ પૂરી કરવાનું હથિયાર છે

જવાનીમાં કોઈ માટે વિરહના આંસુ

કોઈની યાદનું નજરાણું છે


કન્યા વિદાય વખતના આંસુ

પિતાની નજરથી દીકરી થવાના પીડાના આંસું હોય છે

હોય આંસુ એક સરખા

પણ ભાવ અલગ અલગ છે


ક્યારેક ખુશીના હોય આંસુ

તો ક્યારેક ઉદાસીના હોય આંસુ

ક્યારેક જુદાઈના હોય આંસુ

તો ક્યારેક મિલનના હોય આંસુ


ક્યારેક સફળતા લાવે આંખમાં આંસુ તો 

ક્યારેક નિષ્ફળતાની પીડા આપે આંસુ

આંસુ તો આંસુ છે

પછી સુખનાં હોય કે દુ:ખના


ભીતર પીડાઓનો સમંદર ઘૂઘવતો હશે

એટલે જ કદાચ ખારા હશે આંસુઓ

ક્યારેક સ્વજનની વિદાયથી આવતા આંસુ

સંસ્મારણોથી વ્યક્ત થાય આ આંસુ



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."