Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ શું કરે?


  • Published By :
  • Published Date : 2024-07-12 18:20:09

ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે પોતાના માટે પોતે લડવું પડે છે. જો તમે પડી ગયા છો તો તમારે જાતે ઉઠવું પડશે, દુનિયા તમારી મદદ માટે આગળ નહીં આવે.. પોતાના કલ્યાણ માટે કામ પોતે જ કરવું પડશે.. જ્યાં સુધી આપણે પોતાની મદદ નથી કરતા ત્યાં સુધી ઈશ્વર પણ આપણી મદદ નથી કરતા તેવું આપણે સાંભળ્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે આવી જ કંઈક વાત કરી રહી છે. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું જાતને ના જોતરે તો કોઈ શું કરે?

ચીલો નવો ના ચાતરે તો કોઈ શું કરે?


માંગે મદદ તો કોઈ પણ રસ્તો ચીંધી શકે,

તુજને અહમ જો આંતરે તો કોઈ શું કરે?


જ્યાં ખાતરી કે પ્રેમથી દુનિયા ઝુકી જશે,

ત્યાં તુ ઘૃણાને નોતરે તો કોઈ શું કરે?


ચ્હેરા ઉપર તો સાચનો અભિનય ચમકચમક

પળવાળમાં જૂઠો ઠરે તો કોઈ શું કરે?


જીવનના ચક્રવ્યૂહમાં તું તો નવોસવો

કિસ્મત ઉપરથી છેતરે તો કોઈ શું કરે?


રણને તરસ છે એવી કે વરસાદ ભીંજવે

પણ થોર સઘળે વિસ્તરે તો કોઈ શું કરે?



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .