Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ શું કરે?


  • Published By :
  • Published Date : 2024-07-12 18:20:09

ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે પોતાના માટે પોતે લડવું પડે છે. જો તમે પડી ગયા છો તો તમારે જાતે ઉઠવું પડશે, દુનિયા તમારી મદદ માટે આગળ નહીં આવે.. પોતાના કલ્યાણ માટે કામ પોતે જ કરવું પડશે.. જ્યાં સુધી આપણે પોતાની મદદ નથી કરતા ત્યાં સુધી ઈશ્વર પણ આપણી મદદ નથી કરતા તેવું આપણે સાંભળ્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે આવી જ કંઈક વાત કરી રહી છે. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું જાતને ના જોતરે તો કોઈ શું કરે?

ચીલો નવો ના ચાતરે તો કોઈ શું કરે?


માંગે મદદ તો કોઈ પણ રસ્તો ચીંધી શકે,

તુજને અહમ જો આંતરે તો કોઈ શું કરે?


જ્યાં ખાતરી કે પ્રેમથી દુનિયા ઝુકી જશે,

ત્યાં તુ ઘૃણાને નોતરે તો કોઈ શું કરે?


ચ્હેરા ઉપર તો સાચનો અભિનય ચમકચમક

પળવાળમાં જૂઠો ઠરે તો કોઈ શું કરે?


જીવનના ચક્રવ્યૂહમાં તું તો નવોસવો

કિસ્મત ઉપરથી છેતરે તો કોઈ શું કરે?


રણને તરસ છે એવી કે વરસાદ ભીંજવે

પણ થોર સઘળે વિસ્તરે તો કોઈ શું કરે?



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.