Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પાછું આવશે આ બાળપણ ?


  • Published By :
  • Published Date : 2024-06-07 17:22:41

નાના હોઈએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય.. એવું થાય કે ક્યારે મોટા થઈશું અને ક્યારે આપણે આગળ વધીશું. પરંતુ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે બાળપણને યાદ કરીએ છીએ.. આપણે જ્યારે નાના બાળકને જોઈએ ત્યારે આપણને થાય કે એ દિવસો કેટલા સારા હતા. ના કોઈ ટેન્શન હતું ના કોઈ જવાબદારી.. બાળપણને યાદ કરીએ, વેકેશનના સમયને યાદ કરીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો..   



વિતાવ્યું એવું બાળપણ કે,

યાદ રહી ગયું

ખોળો ખુંદીને માનો લાડ ઘણા જાજા કરા

પ્રેમથી તેના હાથના કોળિયા ખાધાં કે, એ

એ યાદ રહી ગયું..


પિતાની હૂંફ મેળવીને નીડરતાથી જીવ્યા

આંગળી પકડીને મેળે ગયા કે

એ યાદ રહી ગયું

ભાઈનો સાથ લઈને કામ બહુ જાજા કર્યા

તોફાન ધીંગામસ્તી કે,

એ યાદ રહી ગયું.


મિત્રતા એવી મળી રમ્યા ખેલીયા કૂદીયા

રડ્યા આથડિયા પણ ના મેલુ એ રમવાનું કે

એ યાદ રહી ગયું

ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવા શાળાએ ગયા

જ્ઞાન સાથે જીવનના પાઠ ભણ્યા કે

એ યાદ રહી ગયું.


રમવા માટે રમતો બહુ ઝાઝી હતી

પણ કોણ જાણે એ આંબલી પીપળીને સંતાકૂકડી કે

એ યાદ રહી ગયું,

મોટા થયા જવાબદારીઓ આવી

સમજાયું બાળપણનું મહત્વ અને પછી થયું કે

પાછું આવશે બાળપણ? 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."