Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પાછું આવશે આ બાળપણ ?


  • Published By :
  • Published Date : 2024-06-07 17:22:41

નાના હોઈએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય.. એવું થાય કે ક્યારે મોટા થઈશું અને ક્યારે આપણે આગળ વધીશું. પરંતુ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે બાળપણને યાદ કરીએ છીએ.. આપણે જ્યારે નાના બાળકને જોઈએ ત્યારે આપણને થાય કે એ દિવસો કેટલા સારા હતા. ના કોઈ ટેન્શન હતું ના કોઈ જવાબદારી.. બાળપણને યાદ કરીએ, વેકેશનના સમયને યાદ કરીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો..   



વિતાવ્યું એવું બાળપણ કે,

યાદ રહી ગયું

ખોળો ખુંદીને માનો લાડ ઘણા જાજા કરા

પ્રેમથી તેના હાથના કોળિયા ખાધાં કે, એ

એ યાદ રહી ગયું..


પિતાની હૂંફ મેળવીને નીડરતાથી જીવ્યા

આંગળી પકડીને મેળે ગયા કે

એ યાદ રહી ગયું

ભાઈનો સાથ લઈને કામ બહુ જાજા કર્યા

તોફાન ધીંગામસ્તી કે,

એ યાદ રહી ગયું.


મિત્રતા એવી મળી રમ્યા ખેલીયા કૂદીયા

રડ્યા આથડિયા પણ ના મેલુ એ રમવાનું કે

એ યાદ રહી ગયું

ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવા શાળાએ ગયા

જ્ઞાન સાથે જીવનના પાઠ ભણ્યા કે

એ યાદ રહી ગયું.


રમવા માટે રમતો બહુ ઝાઝી હતી

પણ કોણ જાણે એ આંબલી પીપળીને સંતાકૂકડી કે

એ યાદ રહી ગયું,

મોટા થયા જવાબદારીઓ આવી

સમજાયું બાળપણનું મહત્વ અને પછી થયું કે

પાછું આવશે બાળપણ? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.