Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પાછું આવશે આ બાળપણ ?


  • Published By :
  • Published Date : 2024-06-07 17:22:41

નાના હોઈએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય.. એવું થાય કે ક્યારે મોટા થઈશું અને ક્યારે આપણે આગળ વધીશું. પરંતુ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે બાળપણને યાદ કરીએ છીએ.. આપણે જ્યારે નાના બાળકને જોઈએ ત્યારે આપણને થાય કે એ દિવસો કેટલા સારા હતા. ના કોઈ ટેન્શન હતું ના કોઈ જવાબદારી.. બાળપણને યાદ કરીએ, વેકેશનના સમયને યાદ કરીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો..   



વિતાવ્યું એવું બાળપણ કે,

યાદ રહી ગયું

ખોળો ખુંદીને માનો લાડ ઘણા જાજા કરા

પ્રેમથી તેના હાથના કોળિયા ખાધાં કે, એ

એ યાદ રહી ગયું..


પિતાની હૂંફ મેળવીને નીડરતાથી જીવ્યા

આંગળી પકડીને મેળે ગયા કે

એ યાદ રહી ગયું

ભાઈનો સાથ લઈને કામ બહુ જાજા કર્યા

તોફાન ધીંગામસ્તી કે,

એ યાદ રહી ગયું.


મિત્રતા એવી મળી રમ્યા ખેલીયા કૂદીયા

રડ્યા આથડિયા પણ ના મેલુ એ રમવાનું કે

એ યાદ રહી ગયું

ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવા શાળાએ ગયા

જ્ઞાન સાથે જીવનના પાઠ ભણ્યા કે

એ યાદ રહી ગયું.


રમવા માટે રમતો બહુ ઝાઝી હતી

પણ કોણ જાણે એ આંબલી પીપળીને સંતાકૂકડી કે

એ યાદ રહી ગયું,

મોટા થયા જવાબદારીઓ આવી

સમજાયું બાળપણનું મહત્વ અને પછી થયું કે

પાછું આવશે બાળપણ? 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.