Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પાછું આવશે આ બાળપણ ?


  • Published By :
  • Published Date : 2024-06-07 17:22:41

નાના હોઈએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય.. એવું થાય કે ક્યારે મોટા થઈશું અને ક્યારે આપણે આગળ વધીશું. પરંતુ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે બાળપણને યાદ કરીએ છીએ.. આપણે જ્યારે નાના બાળકને જોઈએ ત્યારે આપણને થાય કે એ દિવસો કેટલા સારા હતા. ના કોઈ ટેન્શન હતું ના કોઈ જવાબદારી.. બાળપણને યાદ કરીએ, વેકેશનના સમયને યાદ કરીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો..   



વિતાવ્યું એવું બાળપણ કે,

યાદ રહી ગયું

ખોળો ખુંદીને માનો લાડ ઘણા જાજા કરા

પ્રેમથી તેના હાથના કોળિયા ખાધાં કે, એ

એ યાદ રહી ગયું..


પિતાની હૂંફ મેળવીને નીડરતાથી જીવ્યા

આંગળી પકડીને મેળે ગયા કે

એ યાદ રહી ગયું

ભાઈનો સાથ લઈને કામ બહુ જાજા કર્યા

તોફાન ધીંગામસ્તી કે,

એ યાદ રહી ગયું.


મિત્રતા એવી મળી રમ્યા ખેલીયા કૂદીયા

રડ્યા આથડિયા પણ ના મેલુ એ રમવાનું કે

એ યાદ રહી ગયું

ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવા શાળાએ ગયા

જ્ઞાન સાથે જીવનના પાઠ ભણ્યા કે

એ યાદ રહી ગયું.


રમવા માટે રમતો બહુ ઝાઝી હતી

પણ કોણ જાણે એ આંબલી પીપળીને સંતાકૂકડી કે

એ યાદ રહી ગયું,

મોટા થયા જવાબદારીઓ આવી

સમજાયું બાળપણનું મહત્વ અને પછી થયું કે

પાછું આવશે બાળપણ? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે