Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હવે જીવતાં શીખી ગયો છું..


  • Published By :
  • Published Date : 2024-07-05 18:14:30

આપણને બીજાને ખુશ કરતા આવડે છે પરંતુ પોતોને ખુશ કરતા નથી આવડતું.. બીજા શું વિચારશે તે વિચાર કરી આપણે આપણી રીતે આપણું જીવન નથી જીવતા. જ્યારે પ્રેમ સંબંધો તૂટે છે તો દુ:ખી થવાય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જે જિંદગી જીવવાની જ છોડી દેતા હોય છે. પોતાના પરથી વિશ્વાસ તે ગુમાવી દેતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના હવે જીવતા શીખી ગયો છું.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



સાથી શોધવાનું છોડી દીધું છે,

કારણ કે મિત્ર બનાવતા શીખી ગયો છું,

દુનિયા રૂપી આ ક્રૂર કસાઈવાડામાં પણ

હવે જીવતાં શીખી ગયો છું..


દરિયાની જેમ હું પણ હવે

કચરો બહાર કાઢતા શીખી ગયો છું,

નાશવંત મારા વિશ્વાસ પછી હું,

હવે જીવતાં શીખી ગયો છું..


કોકની આંખે પૂછેલા પ્રશ્નોનો હવે

જવાબ આપતા હું શીખી ગયો છું,

તો કોકની આંખોના જવાબ સમજીને

હવે જીવતાં શીખી ગયો છું..


થોડી ક્ષણોની મારી આ જિંદગીમાં

દુનિયાને ઉદગાર આપતા શીખી ગયો છું

ફરી એજ વૃક્ષ નીચે કોકબીજાની રાહ જોતા

હવે જીવતાં શીખી ગયો છું.


એની મુસ્કાનને પામવામાં

મારી જાતને ભૂલી જતાં શીખી ગયો હતો

છતાં આજે એને ભૂલ્યા પછી એવું લાગે કે

હવે હું જીવતા શીખી ગયો છું..


આખી દુનિયાને ભૂલી ગયો છું,

જાણે પોતાની જિંદગી જીવતા શીખી ગયો છું

દુનિયાદારીની હવે કાંઈ પડી નથી, કેમ કે

હવે હું જીવતાં શીખી ગયો છું.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.