Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હવે જીવતાં શીખી ગયો છું..


  • Published By :
  • Published Date : 2024-07-05 18:14:30

આપણને બીજાને ખુશ કરતા આવડે છે પરંતુ પોતોને ખુશ કરતા નથી આવડતું.. બીજા શું વિચારશે તે વિચાર કરી આપણે આપણી રીતે આપણું જીવન નથી જીવતા. જ્યારે પ્રેમ સંબંધો તૂટે છે તો દુ:ખી થવાય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જે જિંદગી જીવવાની જ છોડી દેતા હોય છે. પોતાના પરથી વિશ્વાસ તે ગુમાવી દેતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના હવે જીવતા શીખી ગયો છું.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



સાથી શોધવાનું છોડી દીધું છે,

કારણ કે મિત્ર બનાવતા શીખી ગયો છું,

દુનિયા રૂપી આ ક્રૂર કસાઈવાડામાં પણ

હવે જીવતાં શીખી ગયો છું..


દરિયાની જેમ હું પણ હવે

કચરો બહાર કાઢતા શીખી ગયો છું,

નાશવંત મારા વિશ્વાસ પછી હું,

હવે જીવતાં શીખી ગયો છું..


કોકની આંખે પૂછેલા પ્રશ્નોનો હવે

જવાબ આપતા હું શીખી ગયો છું,

તો કોકની આંખોના જવાબ સમજીને

હવે જીવતાં શીખી ગયો છું..


થોડી ક્ષણોની મારી આ જિંદગીમાં

દુનિયાને ઉદગાર આપતા શીખી ગયો છું

ફરી એજ વૃક્ષ નીચે કોકબીજાની રાહ જોતા

હવે જીવતાં શીખી ગયો છું.


એની મુસ્કાનને પામવામાં

મારી જાતને ભૂલી જતાં શીખી ગયો હતો

છતાં આજે એને ભૂલ્યા પછી એવું લાગે કે

હવે હું જીવતા શીખી ગયો છું..


આખી દુનિયાને ભૂલી ગયો છું,

જાણે પોતાની જિંદગી જીવતા શીખી ગયો છું

દુનિયાદારીની હવે કાંઈ પડી નથી, કેમ કે

હવે હું જીવતાં શીખી ગયો છું.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.