Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હવે જીવતાં શીખી ગયો છું..


  • Published By :
  • Published Date : 2024-07-05 18:14:30

આપણને બીજાને ખુશ કરતા આવડે છે પરંતુ પોતોને ખુશ કરતા નથી આવડતું.. બીજા શું વિચારશે તે વિચાર કરી આપણે આપણી રીતે આપણું જીવન નથી જીવતા. જ્યારે પ્રેમ સંબંધો તૂટે છે તો દુ:ખી થવાય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જે જિંદગી જીવવાની જ છોડી દેતા હોય છે. પોતાના પરથી વિશ્વાસ તે ગુમાવી દેતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના હવે જીવતા શીખી ગયો છું.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



સાથી શોધવાનું છોડી દીધું છે,

કારણ કે મિત્ર બનાવતા શીખી ગયો છું,

દુનિયા રૂપી આ ક્રૂર કસાઈવાડામાં પણ

હવે જીવતાં શીખી ગયો છું..


દરિયાની જેમ હું પણ હવે

કચરો બહાર કાઢતા શીખી ગયો છું,

નાશવંત મારા વિશ્વાસ પછી હું,

હવે જીવતાં શીખી ગયો છું..


કોકની આંખે પૂછેલા પ્રશ્નોનો હવે

જવાબ આપતા હું શીખી ગયો છું,

તો કોકની આંખોના જવાબ સમજીને

હવે જીવતાં શીખી ગયો છું..


થોડી ક્ષણોની મારી આ જિંદગીમાં

દુનિયાને ઉદગાર આપતા શીખી ગયો છું

ફરી એજ વૃક્ષ નીચે કોકબીજાની રાહ જોતા

હવે જીવતાં શીખી ગયો છું.


એની મુસ્કાનને પામવામાં

મારી જાતને ભૂલી જતાં શીખી ગયો હતો

છતાં આજે એને ભૂલ્યા પછી એવું લાગે કે

હવે હું જીવતા શીખી ગયો છું..


આખી દુનિયાને ભૂલી ગયો છું,

જાણે પોતાની જિંદગી જીવતા શીખી ગયો છું

દુનિયાદારીની હવે કાંઈ પડી નથી, કેમ કે

હવે હું જીવતાં શીખી ગયો છું.. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.