Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હવે જીવતાં શીખી ગયો છું..


  • Published By :
  • Published Date : 2024-07-05 18:14:30

આપણને બીજાને ખુશ કરતા આવડે છે પરંતુ પોતોને ખુશ કરતા નથી આવડતું.. બીજા શું વિચારશે તે વિચાર કરી આપણે આપણી રીતે આપણું જીવન નથી જીવતા. જ્યારે પ્રેમ સંબંધો તૂટે છે તો દુ:ખી થવાય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જે જિંદગી જીવવાની જ છોડી દેતા હોય છે. પોતાના પરથી વિશ્વાસ તે ગુમાવી દેતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના હવે જીવતા શીખી ગયો છું.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



સાથી શોધવાનું છોડી દીધું છે,

કારણ કે મિત્ર બનાવતા શીખી ગયો છું,

દુનિયા રૂપી આ ક્રૂર કસાઈવાડામાં પણ

હવે જીવતાં શીખી ગયો છું..


દરિયાની જેમ હું પણ હવે

કચરો બહાર કાઢતા શીખી ગયો છું,

નાશવંત મારા વિશ્વાસ પછી હું,

હવે જીવતાં શીખી ગયો છું..


કોકની આંખે પૂછેલા પ્રશ્નોનો હવે

જવાબ આપતા હું શીખી ગયો છું,

તો કોકની આંખોના જવાબ સમજીને

હવે જીવતાં શીખી ગયો છું..


થોડી ક્ષણોની મારી આ જિંદગીમાં

દુનિયાને ઉદગાર આપતા શીખી ગયો છું

ફરી એજ વૃક્ષ નીચે કોકબીજાની રાહ જોતા

હવે જીવતાં શીખી ગયો છું.


એની મુસ્કાનને પામવામાં

મારી જાતને ભૂલી જતાં શીખી ગયો હતો

છતાં આજે એને ભૂલ્યા પછી એવું લાગે કે

હવે હું જીવતા શીખી ગયો છું..


આખી દુનિયાને ભૂલી ગયો છું,

જાણે પોતાની જિંદગી જીવતા શીખી ગયો છું

દુનિયાદારીની હવે કાંઈ પડી નથી, કેમ કે

હવે હું જીવતાં શીખી ગયો છું.. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.