Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હાય અને હેલ્લોના હાહાકારમાં, સ્નેહ ભીના શબ્દો ગયા...


  • Published By :
  • Published Date : 2024-05-14 17:30:50

જેમ જેમ આપણે એડવાન્સ થઈ રહ્યા છીએ તેમ તેમ આપણી માતૃભાષાના અનેક શબ્દો પાછળ છૂટી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ઈન્ગલિશ ભાષાનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે.. ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું..    


આવો ગયું,

પધારો ગયું

અને નમસ્તે પણ ગયું,

"હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,

સ્નેહ ભીના શબ્દો ગયા.


મહેમાન ગયા,

પરોણા ગયા,

અને અશ્રુભીના આવકાર પણ ગયા,

"વેલ કમ" અને "બાય બાય" માં

લાગણીઓ તણાઈ ગયા.


કાકા ગયા,

મામા ગયા,

માસા ગયા,

અને ફુવા પણ ગયા,

એક "અંકલ" ના પેટમાં

એ બધા ગરકાવ થયા.


કાકી, મામી,

માસી, ફોઈ,

ને સ્વજનો વિસરાઈ ગયા,

એક "આંટી" માં બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો,

પંખી બધા વેરવિખેર થયા,


હું ને મારા માં

બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા,

લગ્નના ફટાણા ગયા,

ડીજે ને ડિસ્કોના તાન માં

બધા ગરકાઈ ગયા.


આઈસ્ક્રીમના આડંબરમાં

મીઠા ગોળ ને ધાણા ગયા.

લાપસી ગયા, કંસાર ગયા,

ખીર અને ખાજા ગયા,

"કેક" ના ચક્કરમાં

બધા ફસાઈ ગયા.


માણસ માંથી માણસાઇ

ને સંબંધ ગયા

ને કામપૂરતા માત્ર

મોબાઈલ નંબર રહી ગયા.. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે