Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હાય અને હેલ્લોના હાહાકારમાં, સ્નેહ ભીના શબ્દો ગયા...


  • Published By :
  • Published Date : 2024-05-14 17:30:50

જેમ જેમ આપણે એડવાન્સ થઈ રહ્યા છીએ તેમ તેમ આપણી માતૃભાષાના અનેક શબ્દો પાછળ છૂટી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ઈન્ગલિશ ભાષાનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે.. ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું..    


આવો ગયું,

પધારો ગયું

અને નમસ્તે પણ ગયું,

"હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,

સ્નેહ ભીના શબ્દો ગયા.


મહેમાન ગયા,

પરોણા ગયા,

અને અશ્રુભીના આવકાર પણ ગયા,

"વેલ કમ" અને "બાય બાય" માં

લાગણીઓ તણાઈ ગયા.


કાકા ગયા,

મામા ગયા,

માસા ગયા,

અને ફુવા પણ ગયા,

એક "અંકલ" ના પેટમાં

એ બધા ગરકાવ થયા.


કાકી, મામી,

માસી, ફોઈ,

ને સ્વજનો વિસરાઈ ગયા,

એક "આંટી" માં બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો,

પંખી બધા વેરવિખેર થયા,


હું ને મારા માં

બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા,

લગ્નના ફટાણા ગયા,

ડીજે ને ડિસ્કોના તાન માં

બધા ગરકાઈ ગયા.


આઈસ્ક્રીમના આડંબરમાં

મીઠા ગોળ ને ધાણા ગયા.

લાપસી ગયા, કંસાર ગયા,

ખીર અને ખાજા ગયા,

"કેક" ના ચક્કરમાં

બધા ફસાઈ ગયા.


માણસ માંથી માણસાઇ

ને સંબંધ ગયા

ને કામપૂરતા માત્ર

મોબાઈલ નંબર રહી ગયા.. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.