Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હાય અને હેલ્લોના હાહાકારમાં, સ્નેહ ભીના શબ્દો ગયા...


  • Published By :
  • Published Date : 2024-05-14 17:30:50

જેમ જેમ આપણે એડવાન્સ થઈ રહ્યા છીએ તેમ તેમ આપણી માતૃભાષાના અનેક શબ્દો પાછળ છૂટી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ઈન્ગલિશ ભાષાનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે.. ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું..    


આવો ગયું,

પધારો ગયું

અને નમસ્તે પણ ગયું,

"હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,

સ્નેહ ભીના શબ્દો ગયા.


મહેમાન ગયા,

પરોણા ગયા,

અને અશ્રુભીના આવકાર પણ ગયા,

"વેલ કમ" અને "બાય બાય" માં

લાગણીઓ તણાઈ ગયા.


કાકા ગયા,

મામા ગયા,

માસા ગયા,

અને ફુવા પણ ગયા,

એક "અંકલ" ના પેટમાં

એ બધા ગરકાવ થયા.


કાકી, મામી,

માસી, ફોઈ,

ને સ્વજનો વિસરાઈ ગયા,

એક "આંટી" માં બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો,

પંખી બધા વેરવિખેર થયા,


હું ને મારા માં

બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા,

લગ્નના ફટાણા ગયા,

ડીજે ને ડિસ્કોના તાન માં

બધા ગરકાઈ ગયા.


આઈસ્ક્રીમના આડંબરમાં

મીઠા ગોળ ને ધાણા ગયા.

લાપસી ગયા, કંસાર ગયા,

ખીર અને ખાજા ગયા,

"કેક" ના ચક્કરમાં

બધા ફસાઈ ગયા.


માણસ માંથી માણસાઇ

ને સંબંધ ગયા

ને કામપૂરતા માત્ર

મોબાઈલ નંબર રહી ગયા.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.