Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હાય અને હેલ્લોના હાહાકારમાં, સ્નેહ ભીના શબ્દો ગયા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 17:30:50

જેમ જેમ આપણે એડવાન્સ થઈ રહ્યા છીએ તેમ તેમ આપણી માતૃભાષાના અનેક શબ્દો પાછળ છૂટી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ઈન્ગલિશ ભાષાનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે.. ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું..    


આવો ગયું,

પધારો ગયું

અને નમસ્તે પણ ગયું,

"હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,

સ્નેહ ભીના શબ્દો ગયા.


મહેમાન ગયા,

પરોણા ગયા,

અને અશ્રુભીના આવકાર પણ ગયા,

"વેલ કમ" અને "બાય બાય" માં

લાગણીઓ તણાઈ ગયા.


કાકા ગયા,

મામા ગયા,

માસા ગયા,

અને ફુવા પણ ગયા,

એક "અંકલ" ના પેટમાં

એ બધા ગરકાવ થયા.


કાકી, મામી,

માસી, ફોઈ,

ને સ્વજનો વિસરાઈ ગયા,

એક "આંટી" માં બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો,

પંખી બધા વેરવિખેર થયા,


હું ને મારા માં

બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા,

લગ્નના ફટાણા ગયા,

ડીજે ને ડિસ્કોના તાન માં

બધા ગરકાઈ ગયા.


આઈસ્ક્રીમના આડંબરમાં

મીઠા ગોળ ને ધાણા ગયા.

લાપસી ગયા, કંસાર ગયા,

ખીર અને ખાજા ગયા,

"કેક" ના ચક્કરમાં

બધા ફસાઈ ગયા.


માણસ માંથી માણસાઇ

ને સંબંધ ગયા

ને કામપૂરતા માત્ર

મોબાઈલ નંબર રહી ગયા.. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.