Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના - ના કોઈ સમજદારી ના કોઈ જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-10-16 16:39:14

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.. તે સમય એવો હતો જ્યારે કોઈ જવાબદારી ના હોય, માત્ર ખિલખિલાટ હાસ્ય હોય.. રમકડા હોય અને તેની આસપાસ ફરતી આપણી દુનિયા હોય.. ના આશાઓ હતી ના કોઈ અભિલાષા હતી.. જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણામાં રહેલી નિર્દોષતા ચાલી જઈ રહી છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



ના કોઈ સમજદારી ના કોઈ જવાબદારી

બચપણ એટલે જ્યાં હોય છે સ્વની જ હસ્તી ન્યારી


રમકડાઓની વચ્ચે કેવી વસતી હતી દુનિયા મારી

ખિલખિલાટ હાસ્ય ભરપૂર મસ્તીની અટારી


મનમાં ધરબાયેલા રહેતા કાંઈ કેટલા રહસ્યો

હરહંમેશ પ્રેમ વરસાવે કેવા સહુ સદસ્યો


ના ઝાઝી આશાઓ ના કોઈ મોટી અભિલાષા

ના કાંઈ પડે સમજણ પણ જીવવાની હતી ખુમારી


ચાલ્યા ગયા એ દિવસો કેમ આવી સમજદારી

ચાલી ગઈ જીવનમાંથી નિરદોષતાની સવારી


કાશ પાછું મળી જાય મુજને વ્હાલું એ બચપણ

જ્યાં સાચવવા ના પડતા હતા ક્યારેય કોઈ સગપણ



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.