Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના - ના કોઈ સમજદારી ના કોઈ જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-10-16 16:39:14

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.. તે સમય એવો હતો જ્યારે કોઈ જવાબદારી ના હોય, માત્ર ખિલખિલાટ હાસ્ય હોય.. રમકડા હોય અને તેની આસપાસ ફરતી આપણી દુનિયા હોય.. ના આશાઓ હતી ના કોઈ અભિલાષા હતી.. જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણામાં રહેલી નિર્દોષતા ચાલી જઈ રહી છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



ના કોઈ સમજદારી ના કોઈ જવાબદારી

બચપણ એટલે જ્યાં હોય છે સ્વની જ હસ્તી ન્યારી


રમકડાઓની વચ્ચે કેવી વસતી હતી દુનિયા મારી

ખિલખિલાટ હાસ્ય ભરપૂર મસ્તીની અટારી


મનમાં ધરબાયેલા રહેતા કાંઈ કેટલા રહસ્યો

હરહંમેશ પ્રેમ વરસાવે કેવા સહુ સદસ્યો


ના ઝાઝી આશાઓ ના કોઈ મોટી અભિલાષા

ના કાંઈ પડે સમજણ પણ જીવવાની હતી ખુમારી


ચાલ્યા ગયા એ દિવસો કેમ આવી સમજદારી

ચાલી ગઈ જીવનમાંથી નિરદોષતાની સવારી


કાશ પાછું મળી જાય મુજને વ્હાલું એ બચપણ

જ્યાં સાચવવા ના પડતા હતા ક્યારેય કોઈ સગપણ



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી