Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - બોલ્યા વગર ઘણું બધું આપવા માટે


  • Published By :
  • Published Date : 2024-11-29 14:11:16

પપ્પા... આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આંખમાં એક અલગ ચમક આવી જાય છે... આપણે ત્યાં માતા માટે જેટલું લખાયું છે તેટલું પિતા માટે નથી લખાયું... પપ્પા પરિવારનું બુલેટ પ્રૂફ જેકેટ હોય છે જે પરિવારને બધા સંકટોથી દૂર રાખે છે... પપ્પા કહ્યા વગર ઘણું બધું શિખવાડતા હોય છે... દુનિયાદારી અને દુનિયાને કેવી રીતે જોવી તે શિખવાડતા હોય છે... દીકરી પપ્પાને સૌથી વ્હાલી હોય છે.. અનેક પિતા એવા હોય છે જે દીકરીને બધુ કરવાની છૂટ આપે છે... પપ્પા કહ્યા વગર આપણને ઘણું બધુ આપે છે પરંતુ આપણે તેમને ક્યારેય થેંક યુ નથી કહેતા... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવજો.... 



આ દુનિયામાં પા... પા... પગલી કરાવવા માટે

પપ્પા તમને થેંક્યું...

જીવનની મહાભારતમાં કૃષ્ણનો કિરદાર નિભાવવા માટે 

પપ્પા તમને થેંક યુ...


દીકરીને પણ પોતાના સપનાં સાકાર કરવાની પ્રેરણા આપવા માટે

પપ્પા તમને થેંક યુ

અમારા સુખ દુ:ખ અમારો છાંયો બનવા માટે

પપ્પા તમને થેંક યુ...


બોલ્યા વગર ઘણું બધું આપવા માટે

પપ્પા તમને થેંક યુ

વગર બોલ્યે અમારી ભાવના સમજવા માટે

પપ્પા તમને થેંક યુ



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.