Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - બોલ્યા વગર ઘણું બધું આપવા માટે


  • Published By :
  • Published Date : 2024-11-29 14:11:16

પપ્પા... આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આંખમાં એક અલગ ચમક આવી જાય છે... આપણે ત્યાં માતા માટે જેટલું લખાયું છે તેટલું પિતા માટે નથી લખાયું... પપ્પા પરિવારનું બુલેટ પ્રૂફ જેકેટ હોય છે જે પરિવારને બધા સંકટોથી દૂર રાખે છે... પપ્પા કહ્યા વગર ઘણું બધું શિખવાડતા હોય છે... દુનિયાદારી અને દુનિયાને કેવી રીતે જોવી તે શિખવાડતા હોય છે... દીકરી પપ્પાને સૌથી વ્હાલી હોય છે.. અનેક પિતા એવા હોય છે જે દીકરીને બધુ કરવાની છૂટ આપે છે... પપ્પા કહ્યા વગર આપણને ઘણું બધુ આપે છે પરંતુ આપણે તેમને ક્યારેય થેંક યુ નથી કહેતા... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવજો.... 



આ દુનિયામાં પા... પા... પગલી કરાવવા માટે

પપ્પા તમને થેંક્યું...

જીવનની મહાભારતમાં કૃષ્ણનો કિરદાર નિભાવવા માટે 

પપ્પા તમને થેંક યુ...


દીકરીને પણ પોતાના સપનાં સાકાર કરવાની પ્રેરણા આપવા માટે

પપ્પા તમને થેંક યુ

અમારા સુખ દુ:ખ અમારો છાંયો બનવા માટે

પપ્પા તમને થેંક યુ...


બોલ્યા વગર ઘણું બધું આપવા માટે

પપ્પા તમને થેંક યુ

વગર બોલ્યે અમારી ભાવના સમજવા માટે

પપ્પા તમને થેંક યુ



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?