Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - બોલ્યા વગર ઘણું બધું આપવા માટે


  • Published By :
  • Published Date : 2024-11-29 14:11:16

પપ્પા... આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આંખમાં એક અલગ ચમક આવી જાય છે... આપણે ત્યાં માતા માટે જેટલું લખાયું છે તેટલું પિતા માટે નથી લખાયું... પપ્પા પરિવારનું બુલેટ પ્રૂફ જેકેટ હોય છે જે પરિવારને બધા સંકટોથી દૂર રાખે છે... પપ્પા કહ્યા વગર ઘણું બધું શિખવાડતા હોય છે... દુનિયાદારી અને દુનિયાને કેવી રીતે જોવી તે શિખવાડતા હોય છે... દીકરી પપ્પાને સૌથી વ્હાલી હોય છે.. અનેક પિતા એવા હોય છે જે દીકરીને બધુ કરવાની છૂટ આપે છે... પપ્પા કહ્યા વગર આપણને ઘણું બધુ આપે છે પરંતુ આપણે તેમને ક્યારેય થેંક યુ નથી કહેતા... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવજો.... 



આ દુનિયામાં પા... પા... પગલી કરાવવા માટે

પપ્પા તમને થેંક્યું...

જીવનની મહાભારતમાં કૃષ્ણનો કિરદાર નિભાવવા માટે 

પપ્પા તમને થેંક યુ...


દીકરીને પણ પોતાના સપનાં સાકાર કરવાની પ્રેરણા આપવા માટે

પપ્પા તમને થેંક યુ

અમારા સુખ દુ:ખ અમારો છાંયો બનવા માટે

પપ્પા તમને થેંક યુ...


બોલ્યા વગર ઘણું બધું આપવા માટે

પપ્પા તમને થેંક યુ

વગર બોલ્યે અમારી ભાવના સમજવા માટે

પપ્પા તમને થેંક યુ



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.