Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના - તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે


  • Published By :
  • Published Date : 2024-08-22 17:15:16

આપણે ત્યાં કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો કામ થશે અને જો ઈચ્છા નહીં હોય તેની તો કામ નહીં થાય.. ઈશ્વર પર આસ્થા રાખનાર આપણે માણસો છીએ.. આપણે જીવીએ છીએ તો એ પણ ઈશ્વરની કૃપા છે તેવું માનનાર અનેક લોકો છે. હિંમત રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખી લોકો આગળ વધે છે. ભગવાન પર અપાર શ્રદ્ધા રાખનારા પણ અનેક હોય છે અને લોકો એવા હોય છે જે ઈશ્વરમાં ઓછું માને છે અથવા નથી માનતા.. કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય લોકો તેનો સહર્ષ સ્વીકાર કરે છે એમ માની કે આમાં પણ ભગવાને આપણા માટે સારૂં જ વિચાર્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે;

શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


સારી નરસી વેળા આવે હિમ્મત રાખી આગળ વધજે

શ્વાસે શ્વાસે એને સ્મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


દરિયામાં ઝંઝા તોફાનો સાવ સહજ એ ઘટનાક્રમ છે

તું કેવળ જુસ્સાથી તરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જીવનમાં જે કંઇ મળશે એની ઈચ્છા છે સમજીને,

અંતે એના ચરણે ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જ્યાં પહોંચીને એવું લાગે પોતીકાં પણ આઘા ભાગે,

ત્યાંથી તુર્તજ પાછો ફરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જેવું છે એવું જાણીને, જીવન આખ્ખુએ માણીને,

મૃત્યુ આવે ત્યારે મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો ‘નાદાન’

સત કર્મોનું ભાથું ભરજે બાકી સઘળું ઈશ્વર કરશે.



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.