Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના - તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે


  • Published By :
  • Published Date : 2024-08-22 17:15:16

આપણે ત્યાં કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો કામ થશે અને જો ઈચ્છા નહીં હોય તેની તો કામ નહીં થાય.. ઈશ્વર પર આસ્થા રાખનાર આપણે માણસો છીએ.. આપણે જીવીએ છીએ તો એ પણ ઈશ્વરની કૃપા છે તેવું માનનાર અનેક લોકો છે. હિંમત રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખી લોકો આગળ વધે છે. ભગવાન પર અપાર શ્રદ્ધા રાખનારા પણ અનેક હોય છે અને લોકો એવા હોય છે જે ઈશ્વરમાં ઓછું માને છે અથવા નથી માનતા.. કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય લોકો તેનો સહર્ષ સ્વીકાર કરે છે એમ માની કે આમાં પણ ભગવાને આપણા માટે સારૂં જ વિચાર્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે;

શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


સારી નરસી વેળા આવે હિમ્મત રાખી આગળ વધજે

શ્વાસે શ્વાસે એને સ્મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


દરિયામાં ઝંઝા તોફાનો સાવ સહજ એ ઘટનાક્રમ છે

તું કેવળ જુસ્સાથી તરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જીવનમાં જે કંઇ મળશે એની ઈચ્છા છે સમજીને,

અંતે એના ચરણે ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જ્યાં પહોંચીને એવું લાગે પોતીકાં પણ આઘા ભાગે,

ત્યાંથી તુર્તજ પાછો ફરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જેવું છે એવું જાણીને, જીવન આખ્ખુએ માણીને,

મૃત્યુ આવે ત્યારે મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો ‘નાદાન’

સત કર્મોનું ભાથું ભરજે બાકી સઘળું ઈશ્વર કરશે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.