Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના - તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે


  • Published By :
  • Published Date : 2024-08-22 17:15:16

આપણે ત્યાં કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો કામ થશે અને જો ઈચ્છા નહીં હોય તેની તો કામ નહીં થાય.. ઈશ્વર પર આસ્થા રાખનાર આપણે માણસો છીએ.. આપણે જીવીએ છીએ તો એ પણ ઈશ્વરની કૃપા છે તેવું માનનાર અનેક લોકો છે. હિંમત રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખી લોકો આગળ વધે છે. ભગવાન પર અપાર શ્રદ્ધા રાખનારા પણ અનેક હોય છે અને લોકો એવા હોય છે જે ઈશ્વરમાં ઓછું માને છે અથવા નથી માનતા.. કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય લોકો તેનો સહર્ષ સ્વીકાર કરે છે એમ માની કે આમાં પણ ભગવાને આપણા માટે સારૂં જ વિચાર્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે;

શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


સારી નરસી વેળા આવે હિમ્મત રાખી આગળ વધજે

શ્વાસે શ્વાસે એને સ્મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


દરિયામાં ઝંઝા તોફાનો સાવ સહજ એ ઘટનાક્રમ છે

તું કેવળ જુસ્સાથી તરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જીવનમાં જે કંઇ મળશે એની ઈચ્છા છે સમજીને,

અંતે એના ચરણે ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જ્યાં પહોંચીને એવું લાગે પોતીકાં પણ આઘા ભાગે,

ત્યાંથી તુર્તજ પાછો ફરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જેવું છે એવું જાણીને, જીવન આખ્ખુએ માણીને,

મૃત્યુ આવે ત્યારે મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો ‘નાદાન’

સત કર્મોનું ભાથું ભરજે બાકી સઘળું ઈશ્વર કરશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી