Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે...


  • Published By :
  • Published Date : 2024-04-03 15:56:51

માતા પિતા આપણે પસંદ નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્ર પોતે પસંદ કરીએ છીએ.. મિત્ર છે તો જીવનમાં આનંદ છે, મસ્તી છે... મિત્ર છે તો જીવન જીવવા જેવું લાગે છે... મિત્રનું મહત્વ દરેકના જીવનમાં ખાસ હોય છે... જે વાતો કદાચ આપણે માતા પિતાને નથી કરી શક્તા તે વાતો આપણે આપણા મિત્રને કરતા હોઈએ છીએ... જેની પર આપણે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ રાખીએ છીએ.. મિત્ર જ્યારે પાસે નથી હોતો, સંપર્કમાં નથી હોતો ત્યારે તેને યાદ કરી આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને અને મિત્રતાને સમર્પિત એક રચના... 

   


શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.


ઘા સમય જે રૂઝવી શક્તો નથી,

તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.


કેવા ઝઘડા આપણે કરતા હતા,

યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !


બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !

આપણા જીવનનો સાચો ક્યાસ છે.


વીતી, વીતે , વીતશે તારા વગર

એ પળો જીવન નથી, ઉપહાસ છે.


હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,

તકલીફોના કાયમી ઉપવાસ છે.


એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,

એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.


– વિવેક મનહર ટેલર



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.