Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે...


  • Published By :
  • Published Date : 2024-04-03 15:56:51

માતા પિતા આપણે પસંદ નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્ર પોતે પસંદ કરીએ છીએ.. મિત્ર છે તો જીવનમાં આનંદ છે, મસ્તી છે... મિત્ર છે તો જીવન જીવવા જેવું લાગે છે... મિત્રનું મહત્વ દરેકના જીવનમાં ખાસ હોય છે... જે વાતો કદાચ આપણે માતા પિતાને નથી કરી શક્તા તે વાતો આપણે આપણા મિત્રને કરતા હોઈએ છીએ... જેની પર આપણે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ રાખીએ છીએ.. મિત્ર જ્યારે પાસે નથી હોતો, સંપર્કમાં નથી હોતો ત્યારે તેને યાદ કરી આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને અને મિત્રતાને સમર્પિત એક રચના... 

   


શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.


ઘા સમય જે રૂઝવી શક્તો નથી,

તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.


કેવા ઝઘડા આપણે કરતા હતા,

યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !


બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !

આપણા જીવનનો સાચો ક્યાસ છે.


વીતી, વીતે , વીતશે તારા વગર

એ પળો જીવન નથી, ઉપહાસ છે.


હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,

તકલીફોના કાયમી ઉપવાસ છે.


એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,

એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.


– વિવેક મનહર ટેલર



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.