Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે...


  • Published By :
  • Published Date : 2024-04-03 15:56:51

માતા પિતા આપણે પસંદ નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્ર પોતે પસંદ કરીએ છીએ.. મિત્ર છે તો જીવનમાં આનંદ છે, મસ્તી છે... મિત્ર છે તો જીવન જીવવા જેવું લાગે છે... મિત્રનું મહત્વ દરેકના જીવનમાં ખાસ હોય છે... જે વાતો કદાચ આપણે માતા પિતાને નથી કરી શક્તા તે વાતો આપણે આપણા મિત્રને કરતા હોઈએ છીએ... જેની પર આપણે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ રાખીએ છીએ.. મિત્ર જ્યારે પાસે નથી હોતો, સંપર્કમાં નથી હોતો ત્યારે તેને યાદ કરી આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને અને મિત્રતાને સમર્પિત એક રચના... 

   


શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.


ઘા સમય જે રૂઝવી શક્તો નથી,

તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.


કેવા ઝઘડા આપણે કરતા હતા,

યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !


બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !

આપણા જીવનનો સાચો ક્યાસ છે.


વીતી, વીતે , વીતશે તારા વગર

એ પળો જીવન નથી, ઉપહાસ છે.


હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,

તકલીફોના કાયમી ઉપવાસ છે.


એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,

એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.


– વિવેક મનહર ટેલર



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.