Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે...


  • Published By :
  • Published Date : 2024-04-03 15:56:51

માતા પિતા આપણે પસંદ નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્ર પોતે પસંદ કરીએ છીએ.. મિત્ર છે તો જીવનમાં આનંદ છે, મસ્તી છે... મિત્ર છે તો જીવન જીવવા જેવું લાગે છે... મિત્રનું મહત્વ દરેકના જીવનમાં ખાસ હોય છે... જે વાતો કદાચ આપણે માતા પિતાને નથી કરી શક્તા તે વાતો આપણે આપણા મિત્રને કરતા હોઈએ છીએ... જેની પર આપણે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ રાખીએ છીએ.. મિત્ર જ્યારે પાસે નથી હોતો, સંપર્કમાં નથી હોતો ત્યારે તેને યાદ કરી આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને અને મિત્રતાને સમર્પિત એક રચના... 

   


શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.


ઘા સમય જે રૂઝવી શક્તો નથી,

તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.


કેવા ઝઘડા આપણે કરતા હતા,

યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !


બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !

આપણા જીવનનો સાચો ક્યાસ છે.


વીતી, વીતે , વીતશે તારા વગર

એ પળો જીવન નથી, ઉપહાસ છે.


હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,

તકલીફોના કાયમી ઉપવાસ છે.


એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,

એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.


– વિવેક મનહર ટેલર



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે