Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત રચના - સદા તારી જ મમતા અમી હોય છે મા


  • Published By :
  • Published Date : 2024-05-13 16:16:06

ગઈકાલે મધર્સ ડેની ઉજવણી આપણે કરી.. માતા માટે જેટલું કહીએ, જેટલું લખીએ તેટલું ઓછું છે તેવું કહીએ તો તે અતિશયોક્તિ નથી.. માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. વાગ્યું બાળકને હોય અને દર્દ માતાને થાય છે.. બાળકની આસપાસ માતાનું આખું જીવન ફરતું રહેતું હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...


સદા તારી જ મમતા અમી હોય છે મા,

ખુશીથી કેટલા દુખો ખમી હોય છે મા..


કદી ના જાણ થાતી દર્દને ક્યાં છુપાવે, 

હંમેશા આંખમાં તારી નમી હોય છે મા..


ક્ષમા આપે સદા સૌને, દયાની મૂરત તું,

છબી તારી ખુદાને પણ ગમી હોય છે મા


દુવા તારી થતાં સંતાપ સર્વે ટળે જો,

વળી વાણી  સદા ગીતા સમી હોય છે મા


સદા વેઠી પરેશાની હસીને રહેતી

છતા રાખી ખુમારીને ભમી હોય છે મા


સહસાથી પચાવી લે નિરાશા સદાયે

ચહેરા પર હસી તો કાયમી હોય છે મા


જીવન આખું રસોડામાં વિતાવી જમાડે

વધેલું હોય બાકી એ જમી હોય છે મા..


આ રચના કોની છે એ ખબર નથી, જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો..  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.