Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત રચના - સદા તારી જ મમતા અમી હોય છે મા


  • Published By :
  • Published Date : 2024-05-13 16:16:06

ગઈકાલે મધર્સ ડેની ઉજવણી આપણે કરી.. માતા માટે જેટલું કહીએ, જેટલું લખીએ તેટલું ઓછું છે તેવું કહીએ તો તે અતિશયોક્તિ નથી.. માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. વાગ્યું બાળકને હોય અને દર્દ માતાને થાય છે.. બાળકની આસપાસ માતાનું આખું જીવન ફરતું રહેતું હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...


સદા તારી જ મમતા અમી હોય છે મા,

ખુશીથી કેટલા દુખો ખમી હોય છે મા..


કદી ના જાણ થાતી દર્દને ક્યાં છુપાવે, 

હંમેશા આંખમાં તારી નમી હોય છે મા..


ક્ષમા આપે સદા સૌને, દયાની મૂરત તું,

છબી તારી ખુદાને પણ ગમી હોય છે મા


દુવા તારી થતાં સંતાપ સર્વે ટળે જો,

વળી વાણી  સદા ગીતા સમી હોય છે મા


સદા વેઠી પરેશાની હસીને રહેતી

છતા રાખી ખુમારીને ભમી હોય છે મા


સહસાથી પચાવી લે નિરાશા સદાયે

ચહેરા પર હસી તો કાયમી હોય છે મા


જીવન આખું રસોડામાં વિતાવી જમાડે

વધેલું હોય બાકી એ જમી હોય છે મા..


આ રચના કોની છે એ ખબર નથી, જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો..  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .