Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત રચના - સદા તારી જ મમતા અમી હોય છે મા


  • Published By :
  • Published Date : 2024-05-13 16:16:06

ગઈકાલે મધર્સ ડેની ઉજવણી આપણે કરી.. માતા માટે જેટલું કહીએ, જેટલું લખીએ તેટલું ઓછું છે તેવું કહીએ તો તે અતિશયોક્તિ નથી.. માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. વાગ્યું બાળકને હોય અને દર્દ માતાને થાય છે.. બાળકની આસપાસ માતાનું આખું જીવન ફરતું રહેતું હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...


સદા તારી જ મમતા અમી હોય છે મા,

ખુશીથી કેટલા દુખો ખમી હોય છે મા..


કદી ના જાણ થાતી દર્દને ક્યાં છુપાવે, 

હંમેશા આંખમાં તારી નમી હોય છે મા..


ક્ષમા આપે સદા સૌને, દયાની મૂરત તું,

છબી તારી ખુદાને પણ ગમી હોય છે મા


દુવા તારી થતાં સંતાપ સર્વે ટળે જો,

વળી વાણી  સદા ગીતા સમી હોય છે મા


સદા વેઠી પરેશાની હસીને રહેતી

છતા રાખી ખુમારીને ભમી હોય છે મા


સહસાથી પચાવી લે નિરાશા સદાયે

ચહેરા પર હસી તો કાયમી હોય છે મા


જીવન આખું રસોડામાં વિતાવી જમાડે

વધેલું હોય બાકી એ જમી હોય છે મા..


આ રચના કોની છે એ ખબર નથી, જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો..  




ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.