Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના - હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન


  • Published By :
  • Published Date : 2024-05-16 16:22:25

અનેક લોકો જમતા પહેલા અન્નને પ્રણામ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે.. ઈશ્વરનો આભાર માનતા હોય છે કે તેમની કૃપાથી આપણને અન્ન પ્રાપ્ત થયું.. ઈશ્વરનો તો આભાર માનવો જ જોઈએ પરંતુ સાથે સાથે એ ખેડૂતનો આભાર પણ માનવો જોઈએ જેમની મહેનતને કારણે આપણી થાળીમાં અન્ન આવ્યું છે.. અનેક કિસ્સાઓ આપણે જોયા હશે જેમાં લોકોનું પેટ ભરનાર ખેડૂતને ભૂખ્યા રહેવાનો વારો આવતો હોય છે... તેમના પરિવારના સભ્યોને ભૂખ્યા પેટે ઉંઘવાનો વારો આવતો હોય છે.. એક પાક પાછળ ખેડૂત પોતાનું સર્વસ્વ લગાવી દેતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના... જો તમને ખબર હોય આ રચના કોની છે તો અમને કમેન્ટબોક્સમાં જણાવજો...



જેનાં ધૈર્ય, શૌર્ય, સંયમ, પરિશ્રમની કુદરત સદા કરે કસોટી

હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન



પોઢેલું હોય જગત નિંદ્રામાં ભલે, તુજને નિત વહેલી પરોઢ

દિવાકરનાં રથલાની ગતિ માપવાં હળધરનાં હળ કરે ગમન



કંકર, પથ્થર, ધૂળને ઢેફા, કંટક કેરી કેડીઓ ચૂમે તવ ચરણ

ઉપજાવતો લીલું સોનુ માટી માંહેથી રગદોળી નિજનું તન



અન્નદાતા તું અમારો, વિપરીત પરિસ્થિતિમાં તું અમ આધાર

પાડી નિજ પરસેવો કરતો સદા પૃથ્વી તણાં બાળ કેરાં જતન



તવ પરિશ્રમે ધરણી લીલી ઓઢણી ઓઢી કરે કેવી કિલ્લોલ

હરી ભરી હરિયાળી તવ બળે 'દીપાવલી' ખેડૂતને કરે નમન



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"