Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના - હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન


  • Published By :
  • Published Date : 2024-05-16 16:22:25

અનેક લોકો જમતા પહેલા અન્નને પ્રણામ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે.. ઈશ્વરનો આભાર માનતા હોય છે કે તેમની કૃપાથી આપણને અન્ન પ્રાપ્ત થયું.. ઈશ્વરનો તો આભાર માનવો જ જોઈએ પરંતુ સાથે સાથે એ ખેડૂતનો આભાર પણ માનવો જોઈએ જેમની મહેનતને કારણે આપણી થાળીમાં અન્ન આવ્યું છે.. અનેક કિસ્સાઓ આપણે જોયા હશે જેમાં લોકોનું પેટ ભરનાર ખેડૂતને ભૂખ્યા રહેવાનો વારો આવતો હોય છે... તેમના પરિવારના સભ્યોને ભૂખ્યા પેટે ઉંઘવાનો વારો આવતો હોય છે.. એક પાક પાછળ ખેડૂત પોતાનું સર્વસ્વ લગાવી દેતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના... જો તમને ખબર હોય આ રચના કોની છે તો અમને કમેન્ટબોક્સમાં જણાવજો...



જેનાં ધૈર્ય, શૌર્ય, સંયમ, પરિશ્રમની કુદરત સદા કરે કસોટી

હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન



પોઢેલું હોય જગત નિંદ્રામાં ભલે, તુજને નિત વહેલી પરોઢ

દિવાકરનાં રથલાની ગતિ માપવાં હળધરનાં હળ કરે ગમન



કંકર, પથ્થર, ધૂળને ઢેફા, કંટક કેરી કેડીઓ ચૂમે તવ ચરણ

ઉપજાવતો લીલું સોનુ માટી માંહેથી રગદોળી નિજનું તન



અન્નદાતા તું અમારો, વિપરીત પરિસ્થિતિમાં તું અમ આધાર

પાડી નિજ પરસેવો કરતો સદા પૃથ્વી તણાં બાળ કેરાં જતન



તવ પરિશ્રમે ધરણી લીલી ઓઢણી ઓઢી કરે કેવી કિલ્લોલ

હરી ભરી હરિયાળી તવ બળે 'દીપાવલી' ખેડૂતને કરે નમન



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.