Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના - હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 16:22:25

અનેક લોકો જમતા પહેલા અન્નને પ્રણામ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે.. ઈશ્વરનો આભાર માનતા હોય છે કે તેમની કૃપાથી આપણને અન્ન પ્રાપ્ત થયું.. ઈશ્વરનો તો આભાર માનવો જ જોઈએ પરંતુ સાથે સાથે એ ખેડૂતનો આભાર પણ માનવો જોઈએ જેમની મહેનતને કારણે આપણી થાળીમાં અન્ન આવ્યું છે.. અનેક કિસ્સાઓ આપણે જોયા હશે જેમાં લોકોનું પેટ ભરનાર ખેડૂતને ભૂખ્યા રહેવાનો વારો આવતો હોય છે... તેમના પરિવારના સભ્યોને ભૂખ્યા પેટે ઉંઘવાનો વારો આવતો હોય છે.. એક પાક પાછળ ખેડૂત પોતાનું સર્વસ્વ લગાવી દેતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના... જો તમને ખબર હોય આ રચના કોની છે તો અમને કમેન્ટબોક્સમાં જણાવજો...



જેનાં ધૈર્ય, શૌર્ય, સંયમ, પરિશ્રમની કુદરત સદા કરે કસોટી

હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન



પોઢેલું હોય જગત નિંદ્રામાં ભલે, તુજને નિત વહેલી પરોઢ

દિવાકરનાં રથલાની ગતિ માપવાં હળધરનાં હળ કરે ગમન



કંકર, પથ્થર, ધૂળને ઢેફા, કંટક કેરી કેડીઓ ચૂમે તવ ચરણ

ઉપજાવતો લીલું સોનુ માટી માંહેથી રગદોળી નિજનું તન



અન્નદાતા તું અમારો, વિપરીત પરિસ્થિતિમાં તું અમ આધાર

પાડી નિજ પરસેવો કરતો સદા પૃથ્વી તણાં બાળ કેરાં જતન



તવ પરિશ્રમે ધરણી લીલી ઓઢણી ઓઢી કરે કેવી કિલ્લોલ

હરી ભરી હરિયાળી તવ બળે 'દીપાવલી' ખેડૂતને કરે નમન



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.