Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ દલપતરામની રચના - અંધેરી નગરને. ગંડુ રાજા...


  • Published By :
  • Published Date : 2024-06-14 18:08:18

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા.. દરેક વસ્તુઓ એક જ ભાવે વેચાય તેવું કહેવાનો ભાવાર્થ છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દલપતરામની રચના જે બધાએ વાંચી હશે અને મતલબ પણ ખબર હશે.. 



પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,

ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;

બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,

કદી સારી બૂરી ન વેચે વિવેકે.


ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,

ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;

લીધી સુખડી હાટથી આપી આટો,

ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”


ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,

સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;

હશે ચોરને શાહનો ન્યાય એકે,

નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.


ન એ વસ્તીમાં એક વાસો વસીજે,

ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”

કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,

તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”


ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,

“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”

ન માની કશી વાત તે શિષ્ય જયારે,

ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.


રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,

બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;

પછીથી થયા તેહના હાલ કેવા,

કહું છું હવે હું સુણો સદ્ય તેવા.


તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;

તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.

માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;

શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.


“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;

રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”

વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;

ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”


કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;

ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.

ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;

એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”


પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,

આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”

“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;

પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”


મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;

શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.

ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;

એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.


ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;

શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”

જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;

બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ


શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;

ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.

જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,

આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”


ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”

અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”

ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;

રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે