Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દયારામની રચના - કૃષ્ણને કરવું હોય તે કરે...


  • Published By :
  • Published Date : 2024-05-23 16:35:27

ઈશ્વરની ઈચ્છા મુજબ આખી દુનિયા ચાલે છે, હરિ જે કરે તે સારા માટે જેવા વાક્યો આપણે અનેક વખત સાંભળ્યા હશે.. ઘણી વખત એવું બને કે આપણે જે ધાર્યું હોય તેવું ના બને.. ધાર્યા પરિણામ ના આવે.. કંઈ સારૂં જ લખાયું હશે થવાનું તે આપણે માની લેતા હોઈએ છીએ.. કૃષ્ણને અનેક લોકો માનતા હોય છે.. આ એક એવા ભગવાન છે જેમની પૂજા અલગ અલગ સ્વરૂપોમાં થાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દયારામની રચના.. આ એવી રચના છે જે અનેક લોકોને આવડતી હશે અને અનેક વખત તમે પણ બોલતા હશો..    



ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..


સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;

સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;

માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?

ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;

જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;

જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને કરવું હોય તે કરે...


જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;

એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;

આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;

રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ..

કૃષ્ણને કરવું હોય તે કરે...

- દયારામ



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.