Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દયારામની રચના - કૃષ્ણને કરવું હોય તે કરે...


  • Published By :
  • Published Date : 2024-05-23 16:35:27

ઈશ્વરની ઈચ્છા મુજબ આખી દુનિયા ચાલે છે, હરિ જે કરે તે સારા માટે જેવા વાક્યો આપણે અનેક વખત સાંભળ્યા હશે.. ઘણી વખત એવું બને કે આપણે જે ધાર્યું હોય તેવું ના બને.. ધાર્યા પરિણામ ના આવે.. કંઈ સારૂં જ લખાયું હશે થવાનું તે આપણે માની લેતા હોઈએ છીએ.. કૃષ્ણને અનેક લોકો માનતા હોય છે.. આ એક એવા ભગવાન છે જેમની પૂજા અલગ અલગ સ્વરૂપોમાં થાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દયારામની રચના.. આ એવી રચના છે જે અનેક લોકોને આવડતી હશે અને અનેક વખત તમે પણ બોલતા હશો..    



ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..


સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;

સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;

માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?

ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;

જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;

જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને કરવું હોય તે કરે...


જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;

એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;

આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. 

કૃષ્ણને કરવું હોય તે કરે...


થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;

રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ..

કૃષ્ણને કરવું હોય તે કરે...

- દયારામ



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે