Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું


  • Published By :
  • Published Date : 2024-07-08 17:26:49

આપણને બધા ઓળખે તે આપણને પસંદ હોય છે પરંતુ કોઈ આપણને ઓળખી જાય તે આપણને પસંદ નથી હોતા. આપણો પરિચય અનેક લોકો સાથે હોય છે પરંતુ સંબંધો માત્ર થોડા લોકો જોડે જ હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના..  


 

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,

મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.


અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,

ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.


કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,

નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.


ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,

પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.


પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,

ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.


‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,

હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.


– ગની દહીંવાલા




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .