Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું


  • Published By :
  • Published Date : 2024-07-08 17:26:49

આપણને બધા ઓળખે તે આપણને પસંદ હોય છે પરંતુ કોઈ આપણને ઓળખી જાય તે આપણને પસંદ નથી હોતા. આપણો પરિચય અનેક લોકો સાથે હોય છે પરંતુ સંબંધો માત્ર થોડા લોકો જોડે જ હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના..  


 

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,

મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.


અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,

ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.


કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,

નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.


ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,

પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.


પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,

ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.


‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,

હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.


– ગની દહીંવાલા




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.