Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


  • Published By :
  • Published Date : 2024-11-08 13:46:36

આપણામાંથી અનેક લોકો એવા હશે જે પૈસાને પરમેશ્વર માનતા હશે. પૈસાદાર લોકો સાથે જ સંબંધો રાખવાનું પસંદ કરે છે... જે લોકો પાસે ઓછા પૈસા હોય છે અથવા તો ગરીબ હોય છે તેમની સાથે સંબંધો રાખવામાં તેને interest નથી હોતો...  પરંતુ અનેક લોકો એવા હોય છે જે પ્રકૃતિને જ ઉચ્ચ સ્થાન આપે છે... પ્રકૃતિ સાથે તે જોડાયેલા હોય છે.. એવા માણસોને મળવાનું પસંદ કરે છે જે દિલના સાફ હોય છે.... ઈશ્વર પર ભરોસો રાખતા હોય છે... રોજનું ઈશ્વર પૂરું કરાવે છે તેનો તે આભાર માનતા હશે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના... આ રચના અનેક લોકોને ખબર હશે.... 



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ,

સુખ-દુઃખોની વારતા કહેતા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે-પડખે માથે ભીડી આભ,

વચ્ચે એવું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ?


સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,

દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.


- મકરન્દ દવે



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.