Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


  • Published By :
  • Published Date : 2024-11-08 13:46:36

આપણામાંથી અનેક લોકો એવા હશે જે પૈસાને પરમેશ્વર માનતા હશે. પૈસાદાર લોકો સાથે જ સંબંધો રાખવાનું પસંદ કરે છે... જે લોકો પાસે ઓછા પૈસા હોય છે અથવા તો ગરીબ હોય છે તેમની સાથે સંબંધો રાખવામાં તેને interest નથી હોતો...  પરંતુ અનેક લોકો એવા હોય છે જે પ્રકૃતિને જ ઉચ્ચ સ્થાન આપે છે... પ્રકૃતિ સાથે તે જોડાયેલા હોય છે.. એવા માણસોને મળવાનું પસંદ કરે છે જે દિલના સાફ હોય છે.... ઈશ્વર પર ભરોસો રાખતા હોય છે... રોજનું ઈશ્વર પૂરું કરાવે છે તેનો તે આભાર માનતા હશે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના... આ રચના અનેક લોકોને ખબર હશે.... 



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ,

સુખ-દુઃખોની વારતા કહેતા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે-પડખે માથે ભીડી આભ,

વચ્ચે એવું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ?


સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,

દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.


- મકરન્દ દવે



અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .