Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - મારું ખોવાણું રે સપનું


  • Published By :
  • Published Date : 2024-04-09 17:15:44

સપનું... આ શબ્દ અનેક લોકોને જીવનની આશા આપતું હોય છે. સપનું અનેક લોકોને સવારે જગાડવામાં મદદ કરતું હોય છે. પરંતુ અનેક લોકો જેમણે સપનું જોયું હોય અને તેમનું સપનું ખોવાઈ જાય તો... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - 

 

મારું ખોવાણું રે સપનું...


મારું ખોવાણું રે સપનું,

ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,

મારું ખોવાણું રે સપનું.


પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,

વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,

ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,

મારું ખોવાણું રે સપનું.


વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,

અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;

તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,

મારું ખોવાણું રે સપનું.


ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,

જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;

નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,

મારું ખોવાણું રે સપનું.


– ગની દહીંવાલા



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.