Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એટલે ખટકું છું...


  • Published By :
  • Published Date : 2024-06-01 17:07:19

આપણે બધાને ગમીએ તે અશક્ય છે.. એવા લોકો હશે જ જેમને આપણે ખટકતા હોઈશું.. ગમે તેટલું તેમના માટે કેમ ના કરીએ તો પણ તે આપણને આ જ દ્રષ્ટીથી જોતા હોય છે.. હા અને નામાં જીવન પૂરૂં થઈ જાય છે.. ભૂલાયેલી યાદો તેમજ ફરિયાદોને સાથે લઈને અનેક લોકો ચાલે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એટલે જ ખટકું છું... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો... 


સીધે સીધું માંગુ છું એટલે ખટકું છું

ના બોલીને આપું છું એટલે ખટકું છું..


માંગે એ આપું તો પણ ત્યાં અધૂરૂં લાગે,

પાછો એને ચાહું છું એટલે ખટકું છું..


હા ને ના માં જીવન પુરૂં અહીંયા થાશે

ધારી લીધું માનું છું એટલે ખટકું છું.


ભૂલાયેલી જૂની યાદો ફરિયાદોને 

સાથે સાથે ચાલું છું એટલે ખટકું છું.


વાળી ચોળી સાથે દીધું નથી સાથે ત્યાં,

મારૂં માની વારૂં છું એટલે ખટકું છું..


ઉછીનું આપ્યું પણ, લીધું નથી માગીને

સાચે સાચું પાળું છું એટલે ખટકું છું.


સૌને પોતાકા માની પારકાં માટે પણ

મારૂં હૈયું બાળું છું એટલે ખટકું છે..  



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.