Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એટલે ખટકું છું...


  • Published By :
  • Published Date : 2024-06-01 17:07:19

આપણે બધાને ગમીએ તે અશક્ય છે.. એવા લોકો હશે જ જેમને આપણે ખટકતા હોઈશું.. ગમે તેટલું તેમના માટે કેમ ના કરીએ તો પણ તે આપણને આ જ દ્રષ્ટીથી જોતા હોય છે.. હા અને નામાં જીવન પૂરૂં થઈ જાય છે.. ભૂલાયેલી યાદો તેમજ ફરિયાદોને સાથે લઈને અનેક લોકો ચાલે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એટલે જ ખટકું છું... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો... 


સીધે સીધું માંગુ છું એટલે ખટકું છું

ના બોલીને આપું છું એટલે ખટકું છું..


માંગે એ આપું તો પણ ત્યાં અધૂરૂં લાગે,

પાછો એને ચાહું છું એટલે ખટકું છું..


હા ને ના માં જીવન પુરૂં અહીંયા થાશે

ધારી લીધું માનું છું એટલે ખટકું છું.


ભૂલાયેલી જૂની યાદો ફરિયાદોને 

સાથે સાથે ચાલું છું એટલે ખટકું છું.


વાળી ચોળી સાથે દીધું નથી સાથે ત્યાં,

મારૂં માની વારૂં છું એટલે ખટકું છું..


ઉછીનું આપ્યું પણ, લીધું નથી માગીને

સાચે સાચું પાળું છું એટલે ખટકું છું.


સૌને પોતાકા માની પારકાં માટે પણ

મારૂં હૈયું બાળું છું એટલે ખટકું છે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.