Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એટલે ખટકું છું...


  • Published By :
  • Published Date : 2024-06-01 17:07:19

આપણે બધાને ગમીએ તે અશક્ય છે.. એવા લોકો હશે જ જેમને આપણે ખટકતા હોઈશું.. ગમે તેટલું તેમના માટે કેમ ના કરીએ તો પણ તે આપણને આ જ દ્રષ્ટીથી જોતા હોય છે.. હા અને નામાં જીવન પૂરૂં થઈ જાય છે.. ભૂલાયેલી યાદો તેમજ ફરિયાદોને સાથે લઈને અનેક લોકો ચાલે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એટલે જ ખટકું છું... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો... 


સીધે સીધું માંગુ છું એટલે ખટકું છું

ના બોલીને આપું છું એટલે ખટકું છું..


માંગે એ આપું તો પણ ત્યાં અધૂરૂં લાગે,

પાછો એને ચાહું છું એટલે ખટકું છું..


હા ને ના માં જીવન પુરૂં અહીંયા થાશે

ધારી લીધું માનું છું એટલે ખટકું છું.


ભૂલાયેલી જૂની યાદો ફરિયાદોને 

સાથે સાથે ચાલું છું એટલે ખટકું છું.


વાળી ચોળી સાથે દીધું નથી સાથે ત્યાં,

મારૂં માની વારૂં છું એટલે ખટકું છું..


ઉછીનું આપ્યું પણ, લીધું નથી માગીને

સાચે સાચું પાળું છું એટલે ખટકું છું.


સૌને પોતાકા માની પારકાં માટે પણ

મારૂં હૈયું બાળું છું એટલે ખટકું છે..  



મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.