Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એટલે ખટકું છું...


  • Published By :
  • Published Date : 2024-06-01 17:07:19

આપણે બધાને ગમીએ તે અશક્ય છે.. એવા લોકો હશે જ જેમને આપણે ખટકતા હોઈશું.. ગમે તેટલું તેમના માટે કેમ ના કરીએ તો પણ તે આપણને આ જ દ્રષ્ટીથી જોતા હોય છે.. હા અને નામાં જીવન પૂરૂં થઈ જાય છે.. ભૂલાયેલી યાદો તેમજ ફરિયાદોને સાથે લઈને અનેક લોકો ચાલે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એટલે જ ખટકું છું... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવો... 


સીધે સીધું માંગુ છું એટલે ખટકું છું

ના બોલીને આપું છું એટલે ખટકું છું..


માંગે એ આપું તો પણ ત્યાં અધૂરૂં લાગે,

પાછો એને ચાહું છું એટલે ખટકું છું..


હા ને ના માં જીવન પુરૂં અહીંયા થાશે

ધારી લીધું માનું છું એટલે ખટકું છું.


ભૂલાયેલી જૂની યાદો ફરિયાદોને 

સાથે સાથે ચાલું છું એટલે ખટકું છું.


વાળી ચોળી સાથે દીધું નથી સાથે ત્યાં,

મારૂં માની વારૂં છું એટલે ખટકું છું..


ઉછીનું આપ્યું પણ, લીધું નથી માગીને

સાચે સાચું પાળું છું એટલે ખટકું છું.


સૌને પોતાકા માની પારકાં માટે પણ

મારૂં હૈયું બાળું છું એટલે ખટકું છે..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.