Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના - વર્ગખંડમાં પહેલો પ્રવેશ...


  • Published By :
  • Published Date : 2024-06-13 15:48:54

આજથી શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આજથી શાળામાં ફરીથી બાળકોની ચહલપહલ જોવા મળશે. શાળાનો પ્રથમ દિવસ, નવા સત્રનો પ્રથમ દિવસ અનેક યાદોને લઈને આવે છે. સ્કૂલ શરૂ થાય તેની આગલી રાત વિદ્યાર્થીને ઉંઘ નથી આવતી.. સવાર જલ્દી પડે તેની રાહ જોવાતી હોય છે. નાનપણમાં મળતા મિત્રો જીંદગીભર યાદ રહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના તે શાળાને સમર્પિત છે. આ રચના કોની છે તેની ખબર નથી તમને જો ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આ વાંચ્યા પછી તમને પણ તમારા શાળાના દિવસો યાદ આવી જશે.. 



છે દફતર તૈયાર સાથે ચોપડીઓનો થોડો ભાર,

ઉત્કંઠા પણ ખરીને સાથે અંદર ડર અપરંપાર..


દિવસોની તૈયારી, મળવાની શું નવી યારી?

પ્રશ્નો પારાવાર, નજીક આવતા શાળાએ જવાની વાત..


તે આખી રાતના વિચારો સવારે વહેલું જાગવું,

પૂજા કરી ભગવાનની માતાપિતાને પગે લાગવું..


વધેલા હૃદયના ધબકારે તે વર્ગખંડમાં પહેલો પ્રવેશ,

કોની સાથે બેસવું અને કેવો રહેશે આજે વેશ.


તમામ ઉત્કંઠાઓ વચ્ચે થયા અજાણ્યા પોતાના,

તે પહેલો દિવસ શાળાનો આપી ગયો યાદોની ભરમાર  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.