Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના - વર્ગખંડમાં પહેલો પ્રવેશ...


  • Published By :
  • Published Date : 2024-06-13 15:48:54

આજથી શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આજથી શાળામાં ફરીથી બાળકોની ચહલપહલ જોવા મળશે. શાળાનો પ્રથમ દિવસ, નવા સત્રનો પ્રથમ દિવસ અનેક યાદોને લઈને આવે છે. સ્કૂલ શરૂ થાય તેની આગલી રાત વિદ્યાર્થીને ઉંઘ નથી આવતી.. સવાર જલ્દી પડે તેની રાહ જોવાતી હોય છે. નાનપણમાં મળતા મિત્રો જીંદગીભર યાદ રહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના તે શાળાને સમર્પિત છે. આ રચના કોની છે તેની ખબર નથી તમને જો ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આ વાંચ્યા પછી તમને પણ તમારા શાળાના દિવસો યાદ આવી જશે.. 



છે દફતર તૈયાર સાથે ચોપડીઓનો થોડો ભાર,

ઉત્કંઠા પણ ખરીને સાથે અંદર ડર અપરંપાર..


દિવસોની તૈયારી, મળવાની શું નવી યારી?

પ્રશ્નો પારાવાર, નજીક આવતા શાળાએ જવાની વાત..


તે આખી રાતના વિચારો સવારે વહેલું જાગવું,

પૂજા કરી ભગવાનની માતાપિતાને પગે લાગવું..


વધેલા હૃદયના ધબકારે તે વર્ગખંડમાં પહેલો પ્રવેશ,

કોની સાથે બેસવું અને કેવો રહેશે આજે વેશ.


તમામ ઉત્કંઠાઓ વચ્ચે થયા અજાણ્યા પોતાના,

તે પહેલો દિવસ શાળાનો આપી ગયો યાદોની ભરમાર  



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.