Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના - વર્ગખંડમાં પહેલો પ્રવેશ...


  • Published By :
  • Published Date : 2024-06-13 15:48:54

આજથી શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આજથી શાળામાં ફરીથી બાળકોની ચહલપહલ જોવા મળશે. શાળાનો પ્રથમ દિવસ, નવા સત્રનો પ્રથમ દિવસ અનેક યાદોને લઈને આવે છે. સ્કૂલ શરૂ થાય તેની આગલી રાત વિદ્યાર્થીને ઉંઘ નથી આવતી.. સવાર જલ્દી પડે તેની રાહ જોવાતી હોય છે. નાનપણમાં મળતા મિત્રો જીંદગીભર યાદ રહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના તે શાળાને સમર્પિત છે. આ રચના કોની છે તેની ખબર નથી તમને જો ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આ વાંચ્યા પછી તમને પણ તમારા શાળાના દિવસો યાદ આવી જશે.. 



છે દફતર તૈયાર સાથે ચોપડીઓનો થોડો ભાર,

ઉત્કંઠા પણ ખરીને સાથે અંદર ડર અપરંપાર..


દિવસોની તૈયારી, મળવાની શું નવી યારી?

પ્રશ્નો પારાવાર, નજીક આવતા શાળાએ જવાની વાત..


તે આખી રાતના વિચારો સવારે વહેલું જાગવું,

પૂજા કરી ભગવાનની માતાપિતાને પગે લાગવું..


વધેલા હૃદયના ધબકારે તે વર્ગખંડમાં પહેલો પ્રવેશ,

કોની સાથે બેસવું અને કેવો રહેશે આજે વેશ.


તમામ ઉત્કંઠાઓ વચ્ચે થયા અજાણ્યા પોતાના,

તે પહેલો દિવસ શાળાનો આપી ગયો યાદોની ભરમાર  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.