Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના - વર્ગખંડમાં પહેલો પ્રવેશ...


  • Published By :
  • Published Date : 2024-06-13 15:48:54

આજથી શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આજથી શાળામાં ફરીથી બાળકોની ચહલપહલ જોવા મળશે. શાળાનો પ્રથમ દિવસ, નવા સત્રનો પ્રથમ દિવસ અનેક યાદોને લઈને આવે છે. સ્કૂલ શરૂ થાય તેની આગલી રાત વિદ્યાર્થીને ઉંઘ નથી આવતી.. સવાર જલ્દી પડે તેની રાહ જોવાતી હોય છે. નાનપણમાં મળતા મિત્રો જીંદગીભર યાદ રહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના તે શાળાને સમર્પિત છે. આ રચના કોની છે તેની ખબર નથી તમને જો ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આ વાંચ્યા પછી તમને પણ તમારા શાળાના દિવસો યાદ આવી જશે.. 



છે દફતર તૈયાર સાથે ચોપડીઓનો થોડો ભાર,

ઉત્કંઠા પણ ખરીને સાથે અંદર ડર અપરંપાર..


દિવસોની તૈયારી, મળવાની શું નવી યારી?

પ્રશ્નો પારાવાર, નજીક આવતા શાળાએ જવાની વાત..


તે આખી રાતના વિચારો સવારે વહેલું જાગવું,

પૂજા કરી ભગવાનની માતાપિતાને પગે લાગવું..


વધેલા હૃદયના ધબકારે તે વર્ગખંડમાં પહેલો પ્રવેશ,

કોની સાથે બેસવું અને કેવો રહેશે આજે વેશ.


તમામ ઉત્કંઠાઓ વચ્ચે થયા અજાણ્યા પોતાના,

તે પહેલો દિવસ શાળાનો આપી ગયો યાદોની ભરમાર  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.