Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર અને મિત્રતાને સમર્પિત રચના - ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે...


  • Published By :
  • Published Date : 2024-08-03 17:04:47

આપણે આપણા સંબંધીઓને choose નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્રોને choose કરી શકીએ છીએ.. મિત્રનું હોવું જીવનમાં ખુબ અગત્યની વાત છે. જે વાતો તમે તમારા માતા પિતાને નથી કહી શકતા તે તમે તમારા મિત્ર સાથે કરી શકો છો.. આંખ બંધ કરી મિત્ર પર ભરોસો કરી શકો છો.. સાચા મિત્ર મળવા ખૂબ જરૂરી છે.. મિત્ર જ એક વ્યક્તિ હોય છે જે તમને તમારા કરતા સારી રીતે ઓળખે છે. આવતી કાલે Friendship Day છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર, મિત્રતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની જાણ તમને હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



ચાલો દોસ્તીની વ્યાખ્યાથી અવગત કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે મિત્ર

લોહીના સંબંધથી ગહેરો સંબંધ છે દોસ્તી

બેકદર દોસ્તોને વીતેલા સમયની કદર કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


સ્વાર્થ વગરનો એક નિ:સ્વાર્થ પ્રેમ છે મિત્ર

જીત હારથી ઉપરનો જુગાર છે મિત્ર

ભુલાઈ ગયેલા સમયને ફરી સ્મરણ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ખોવાયેલ પાનામાં ખુશીઓનો સમય છે મિત્ર

ના ભૂલી શકાય એવી યાદોની ભવર છે મિત્ર

સમય સાથે ભુલાયેલી યાદો આઝાદ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


દુ:ખની ક્ષણોમાં સુખદ અહેસાસ છે મિત્ર

તકલીફની પળોમાં જીવન કેરો શ્વાસ છે મિત્ર

સમજણ વિશ્વાસના અતૂટ તારથી સજાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.