Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર અને મિત્રતાને સમર્પિત રચના - ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે...


  • Published By :
  • Published Date : 2024-08-03 17:04:47

આપણે આપણા સંબંધીઓને choose નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્રોને choose કરી શકીએ છીએ.. મિત્રનું હોવું જીવનમાં ખુબ અગત્યની વાત છે. જે વાતો તમે તમારા માતા પિતાને નથી કહી શકતા તે તમે તમારા મિત્ર સાથે કરી શકો છો.. આંખ બંધ કરી મિત્ર પર ભરોસો કરી શકો છો.. સાચા મિત્ર મળવા ખૂબ જરૂરી છે.. મિત્ર જ એક વ્યક્તિ હોય છે જે તમને તમારા કરતા સારી રીતે ઓળખે છે. આવતી કાલે Friendship Day છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર, મિત્રતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની જાણ તમને હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



ચાલો દોસ્તીની વ્યાખ્યાથી અવગત કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે મિત્ર

લોહીના સંબંધથી ગહેરો સંબંધ છે દોસ્તી

બેકદર દોસ્તોને વીતેલા સમયની કદર કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


સ્વાર્થ વગરનો એક નિ:સ્વાર્થ પ્રેમ છે મિત્ર

જીત હારથી ઉપરનો જુગાર છે મિત્ર

ભુલાઈ ગયેલા સમયને ફરી સ્મરણ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ખોવાયેલ પાનામાં ખુશીઓનો સમય છે મિત્ર

ના ભૂલી શકાય એવી યાદોની ભવર છે મિત્ર

સમય સાથે ભુલાયેલી યાદો આઝાદ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


દુ:ખની ક્ષણોમાં સુખદ અહેસાસ છે મિત્ર

તકલીફની પળોમાં જીવન કેરો શ્વાસ છે મિત્ર

સમજણ વિશ્વાસના અતૂટ તારથી સજાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.