Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પરિવારને સમર્પિત એક રચના - નથી જેને કોઈ પરિવાર..


  • Published By :
  • Published Date : 2024-05-15 14:15:35

ઘરને આપણે સ્વર્ગ કહેતા હોઈએ છીએ.. ઘરમાં જે હૂંફ મળે તે બહાર નથી મળતી.. ઘરના માટલામાંથી પીધેલું પાણી આપણા કલેજાને જે ઠંડક આપે છે તેવી ઠંડક ક્યાંય બીજેથી નથી મળતી..! ઘર સ્વર્ગ જેવું ત્યારે લાગે જ્યારે આપણી સાથે આપણો પરિવાર રહેતો હોય.. માતા પિતા, ભાઈ ભાભી રહેતા હોય.. પહેલાના જમાનામાં પરિવાર મોટો હોતો હતો પરંતુ ધીરે ધીરે પરિવાર નાનો થતો ગયો.. માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે..  બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ.. આજે વિશ્વ કુટુંબ દિવસ છે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે  પરિવારને સમર્પિત એક રચના...    



થાય ક્યારેક ભૂલ પોતાનાથી

ના ધમકી આપશો દૂર થવાની..


આપવી હોય તો ભલે આપજો

એ પહેલા અનાથાલય જઈ આવજો..


નથી જેને કોઈ પરિવાર

જાણજો એના દુ:ખ પારાવાર,


કહેશે આપે છે ભગવાન એને પરિવાર 

જે હોય આ જગતમાં ખૂબ જ નસીબદાર..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે