Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એક સફરની વાત છે કે રાહમાં,


  • Published By :
  • Published Date : 2024-10-05 17:16:08

મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ ત્યારે લોકો આપણને ટોકતા હોય છે કે આ રસ્તા પર ના જતા પરંતુ તો પણ અનેક લોકો તે રસ્તા પર જાય છે... રસ્તો તો હોય છે પરંતુ અનેક સફરો એકલાને તેય કરવી પડે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એક સફરની વાત છે રાહમાં...



એક સફરની વાત છે કે રાહમાં,

આંધળા અડફટમાં આવી જાય છે.

એક નજરની વાત છે કે પ્રેમમાં,

આંધળા રસ્તો બતાવી જાય છે.


તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો,

નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો.


તમે તો ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે,

તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો.


કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?

મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.


જતો તો એમને ત્યાં એવી રીતે સામા મળ્યો એવો,

પૂછી પૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો.


પ્રતીક્ષા નહી કરો તો પણ એ કરવાની ફરજ પડશે,

જુઓ “નાદાન” બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.


 – “નાદાન” 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.