Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એક સફરની વાત છે કે રાહમાં,


  • Published By :
  • Published Date : 2024-10-05 17:16:08

મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ ત્યારે લોકો આપણને ટોકતા હોય છે કે આ રસ્તા પર ના જતા પરંતુ તો પણ અનેક લોકો તે રસ્તા પર જાય છે... રસ્તો તો હોય છે પરંતુ અનેક સફરો એકલાને તેય કરવી પડે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એક સફરની વાત છે રાહમાં...



એક સફરની વાત છે કે રાહમાં,

આંધળા અડફટમાં આવી જાય છે.

એક નજરની વાત છે કે પ્રેમમાં,

આંધળા રસ્તો બતાવી જાય છે.


તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો,

નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો.


તમે તો ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે,

તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો.


કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?

મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.


જતો તો એમને ત્યાં એવી રીતે સામા મળ્યો એવો,

પૂછી પૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો.


પ્રતીક્ષા નહી કરો તો પણ એ કરવાની ફરજ પડશે,

જુઓ “નાદાન” બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.


 – “નાદાન” 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."