Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - એક સફરની વાત છે કે રાહમાં,


  • Published By :
  • Published Date : 2024-10-05 17:16:08

મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ ત્યારે લોકો આપણને ટોકતા હોય છે કે આ રસ્તા પર ના જતા પરંતુ તો પણ અનેક લોકો તે રસ્તા પર જાય છે... રસ્તો તો હોય છે પરંતુ અનેક સફરો એકલાને તેય કરવી પડે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના એક સફરની વાત છે રાહમાં...



એક સફરની વાત છે કે રાહમાં,

આંધળા અડફટમાં આવી જાય છે.

એક નજરની વાત છે કે પ્રેમમાં,

આંધળા રસ્તો બતાવી જાય છે.


તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો,

નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો.


તમે તો ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે,

તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો.


કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?

મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.


જતો તો એમને ત્યાં એવી રીતે સામા મળ્યો એવો,

પૂછી પૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો.


પ્રતીક્ષા નહી કરો તો પણ એ કરવાની ફરજ પડશે,

જુઓ “નાદાન” બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.


 – “નાદાન” 




અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.