Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - શું કહેવું આ સમયનું?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:13:04

ખરાબ સમય જ્યારે કોઈનો ચાલતો તો આપણે કહેતા હોઈએ છીએ કે આ સમય પણ વીતિ જશે.. પરંતુ આપણે એ નથી કહેતા કે સારો સમય પણ વીતિ જશે. દુ:ખનો સમય હોય તો જલ્દી જતો નથી જ્યારે ખુશીનો સમય હોય તો તે બહુ જલ્દી પસાર થઈ જાય છે.. સમય સતત આપણી પરીક્ષા લીધા કરે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



આ સમયને કઈ સહન નથી થતું સાહેબ

જરાક ખુશીના પલ માણી લઉંને, તો જાણી જોઈને

 આ ખરાબ ચાલવા લાગે છે..


આને માત્ર એક જ કિતાબ વાંચતા આવડે છે

ને એ છે કિસ્મતની,

શું લખ્યું છે ને એમાં, દરેક પળ

બરોબર વાંચી જાયે છે...


લોકો કહેતા હોય છે કે

સમય બધા ઝખમને ભરી દે છે

ના સાહેબ,

આ સમય તો બહુ દોઢ ડાહ્યો છે,

એ એક પીડા પછી બીજી

એટલી મોટી પીડા આપી દે છે

કે પહેલીનો અફસોસ જ થતો નથી,


કોઈ વિષય નહિં કોઈ તૈયારી નહિં

પણ સતત પરીક્ષા જ લીધા કરે છે,

કોઈને માંદગીનું, કોઈને બેરોજગારીનું

કોઈને જુદાઈનું પ્રશ્નપત્ર આફે છે

પણ સુખની વાત તો એટલી છે

કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી

આ સમય કોઈને નાપાસ કરતો નથી



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.