Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - શું કહેવું આ સમયનું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-09 18:13:04

ખરાબ સમય જ્યારે કોઈનો ચાલતો તો આપણે કહેતા હોઈએ છીએ કે આ સમય પણ વીતિ જશે.. પરંતુ આપણે એ નથી કહેતા કે સારો સમય પણ વીતિ જશે. દુ:ખનો સમય હોય તો જલ્દી જતો નથી જ્યારે ખુશીનો સમય હોય તો તે બહુ જલ્દી પસાર થઈ જાય છે.. સમય સતત આપણી પરીક્ષા લીધા કરે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



આ સમયને કઈ સહન નથી થતું સાહેબ

જરાક ખુશીના પલ માણી લઉંને, તો જાણી જોઈને

 આ ખરાબ ચાલવા લાગે છે..


આને માત્ર એક જ કિતાબ વાંચતા આવડે છે

ને એ છે કિસ્મતની,

શું લખ્યું છે ને એમાં, દરેક પળ

બરોબર વાંચી જાયે છે...


લોકો કહેતા હોય છે કે

સમય બધા ઝખમને ભરી દે છે

ના સાહેબ,

આ સમય તો બહુ દોઢ ડાહ્યો છે,

એ એક પીડા પછી બીજી

એટલી મોટી પીડા આપી દે છે

કે પહેલીનો અફસોસ જ થતો નથી,


કોઈ વિષય નહિં કોઈ તૈયારી નહિં

પણ સતત પરીક્ષા જ લીધા કરે છે,

કોઈને માંદગીનું, કોઈને બેરોજગારીનું

કોઈને જુદાઈનું પ્રશ્નપત્ર આફે છે

પણ સુખની વાત તો એટલી છે

કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી

આ સમય કોઈને નાપાસ કરતો નથી



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.