Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - શું કહેવું આ સમયનું?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:13:04

ખરાબ સમય જ્યારે કોઈનો ચાલતો તો આપણે કહેતા હોઈએ છીએ કે આ સમય પણ વીતિ જશે.. પરંતુ આપણે એ નથી કહેતા કે સારો સમય પણ વીતિ જશે. દુ:ખનો સમય હોય તો જલ્દી જતો નથી જ્યારે ખુશીનો સમય હોય તો તે બહુ જલ્દી પસાર થઈ જાય છે.. સમય સતત આપણી પરીક્ષા લીધા કરે છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



આ સમયને કઈ સહન નથી થતું સાહેબ

જરાક ખુશીના પલ માણી લઉંને, તો જાણી જોઈને

 આ ખરાબ ચાલવા લાગે છે..


આને માત્ર એક જ કિતાબ વાંચતા આવડે છે

ને એ છે કિસ્મતની,

શું લખ્યું છે ને એમાં, દરેક પળ

બરોબર વાંચી જાયે છે...


લોકો કહેતા હોય છે કે

સમય બધા ઝખમને ભરી દે છે

ના સાહેબ,

આ સમય તો બહુ દોઢ ડાહ્યો છે,

એ એક પીડા પછી બીજી

એટલી મોટી પીડા આપી દે છે

કે પહેલીનો અફસોસ જ થતો નથી,


કોઈ વિષય નહિં કોઈ તૈયારી નહિં

પણ સતત પરીક્ષા જ લીધા કરે છે,

કોઈને માંદગીનું, કોઈને બેરોજગારીનું

કોઈને જુદાઈનું પ્રશ્નપત્ર આફે છે

પણ સુખની વાત તો એટલી છે

કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી

આ સમય કોઈને નાપાસ કરતો નથી



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.