Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સપનું એ તો સપનું છે....


  • Published By :
  • Published Date : 2024-10-14 17:40:42

જીવનમાં કઈ કરી છૂટવાની ભાવના દરેકમાં રહેલી છે.. આગળ વધવા માટે સપનાની જરૂર છે.. સપનું જ છે જે આગળ વધવા માટે પ્રોસ્તાહન આપે છે, હિંમત આપે છે.. સપનમાં માણસ જે ધારે તે માની શકે છે... કલ્પનાઓની બહારનું પણ લોકો સપનામાં જોતા હોય છે... કામનું હોય તેના જ સપના જોવે માણસ તે પણ જરૂરી નથી.. બંધ આંખે જે દેખાય તેને સપનું કહેવાય છે.. સપના પૂરા ના થાય તે જોવાનુ પણ એક સપનું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..... 



કોઈને ક્યાં ખપનું છે!

સપનું એ તો સપનું છે....


બેહિસાબ દ્રશ્યોનું માલિક છે,

બસ દેખાય એ બધું જ સપનું છે...


જરૂરી નથી કે કામનું જ જોવું!

મનને ગમે તે જોવું એ જ તો સપનું છે...


બંધ આંખે જોવું એ સપનું છે,

પણ ખુલ્લી આંખમાં ગુંથાતું પણ સપનું છે


જો આકાર પામે તો ખુશનસીબ સપનું છે,

પણ અધૂરાં સપનાં પૂરા થતાં જોવાનું પણ એક સપનું છે..


રંગ અનેક, રૂપ અનેક ભાત અનેક

પણ આંખ ખુલતા વાસ્તવિક્તા ધારણ કરતું એ સપનું છે...


આખી જિંદગી ચલતિત્રની જેમ જીવાતું સપનું છે.

અંતે બુઝાઈ જતા દીપમાં વિરામ પામતું સપનું છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે