Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સપનું એ તો સપનું છે....


  • Published By :
  • Published Date : 2024-10-14 17:40:42

જીવનમાં કઈ કરી છૂટવાની ભાવના દરેકમાં રહેલી છે.. આગળ વધવા માટે સપનાની જરૂર છે.. સપનું જ છે જે આગળ વધવા માટે પ્રોસ્તાહન આપે છે, હિંમત આપે છે.. સપનમાં માણસ જે ધારે તે માની શકે છે... કલ્પનાઓની બહારનું પણ લોકો સપનામાં જોતા હોય છે... કામનું હોય તેના જ સપના જોવે માણસ તે પણ જરૂરી નથી.. બંધ આંખે જે દેખાય તેને સપનું કહેવાય છે.. સપના પૂરા ના થાય તે જોવાનુ પણ એક સપનું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..... 



કોઈને ક્યાં ખપનું છે!

સપનું એ તો સપનું છે....


બેહિસાબ દ્રશ્યોનું માલિક છે,

બસ દેખાય એ બધું જ સપનું છે...


જરૂરી નથી કે કામનું જ જોવું!

મનને ગમે તે જોવું એ જ તો સપનું છે...


બંધ આંખે જોવું એ સપનું છે,

પણ ખુલ્લી આંખમાં ગુંથાતું પણ સપનું છે


જો આકાર પામે તો ખુશનસીબ સપનું છે,

પણ અધૂરાં સપનાં પૂરા થતાં જોવાનું પણ એક સપનું છે..


રંગ અનેક, રૂપ અનેક ભાત અનેક

પણ આંખ ખુલતા વાસ્તવિક્તા ધારણ કરતું એ સપનું છે...


આખી જિંદગી ચલતિત્રની જેમ જીવાતું સપનું છે.

અંતે બુઝાઈ જતા દીપમાં વિરામ પામતું સપનું છે



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.