Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સપનું એ તો સપનું છે....


  • Published By :
  • Published Date : 2024-10-14 17:40:42

જીવનમાં કઈ કરી છૂટવાની ભાવના દરેકમાં રહેલી છે.. આગળ વધવા માટે સપનાની જરૂર છે.. સપનું જ છે જે આગળ વધવા માટે પ્રોસ્તાહન આપે છે, હિંમત આપે છે.. સપનમાં માણસ જે ધારે તે માની શકે છે... કલ્પનાઓની બહારનું પણ લોકો સપનામાં જોતા હોય છે... કામનું હોય તેના જ સપના જોવે માણસ તે પણ જરૂરી નથી.. બંધ આંખે જે દેખાય તેને સપનું કહેવાય છે.. સપના પૂરા ના થાય તે જોવાનુ પણ એક સપનું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..... 



કોઈને ક્યાં ખપનું છે!

સપનું એ તો સપનું છે....


બેહિસાબ દ્રશ્યોનું માલિક છે,

બસ દેખાય એ બધું જ સપનું છે...


જરૂરી નથી કે કામનું જ જોવું!

મનને ગમે તે જોવું એ જ તો સપનું છે...


બંધ આંખે જોવું એ સપનું છે,

પણ ખુલ્લી આંખમાં ગુંથાતું પણ સપનું છે


જો આકાર પામે તો ખુશનસીબ સપનું છે,

પણ અધૂરાં સપનાં પૂરા થતાં જોવાનું પણ એક સપનું છે..


રંગ અનેક, રૂપ અનેક ભાત અનેક

પણ આંખ ખુલતા વાસ્તવિક્તા ધારણ કરતું એ સપનું છે...


આખી જિંદગી ચલતિત્રની જેમ જીવાતું સપનું છે.

અંતે બુઝાઈ જતા દીપમાં વિરામ પામતું સપનું છે



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.