Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જીંદગી રંગબેરંગી મેળાવડો


  • Published By :
  • Published Date : 2024-08-30 17:30:28

કોઈને જીંદગી એકદમ ખુશીઓથી ભરેલી લાગે છે તો કોઈને જીવનમાં માત્ર દુ:ખ દુ:ખ લાગે છે... કોઈ લોકો તો એવા હોય છે પોતાની જાતને પ્રેમ જ નથી કરતા.. પોતાની જાત સાથે મુલાકાત નથી કરતા.. પ્રશ્નો ઘણા હોય છે, જવાબ તે બહાર શોધે છે પરંતુ ઘણી વખત પ્રશ્નોના જવાબ પોતાની અંદર જ હોય છે, પોતાની પાસે જ હોય છે. જો તમે ખુદ માટે સમય નથી કાઢતા, પોતાના માટે સારૂં નથી વિચારી શકતા તો તે ખોટી વસ્તુ કહેવાય.. જો તમે ખુદને પ્રેમ કરશો તો જ તમે દુનિયાને પ્રેમ કરી શકશો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીંદગી રંગબેરંગી.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જીંદગી રંગબેરંગી મેળાવડો

ગમતો અણગમતો ખુદનો મેળો


ન ખુદને ખોઈ શકે તું,

ન ખુદને છોડી શકે તું


તું જ તારા પ્રશ્નોનો ઉત્તર

તું જ તારી તકલીફનું નિરાકરણ


ન ખોતર કે છેતર માનવી

ખુદને ખોજ લઈ દીર્ઘ દ્રષ્ટિ


ઉતર ભીતર ઝાંખ ખુદને

પામ ઉંડાણે વેંત છેટા સ્વને


ભીતર ઝળકે રંગબેરંગી મેળો

ઝળહળ તું સ્વ સ્વર્ગનો મેળાવડો


ચલ મન ભીતર સ્વને જીતવા 

તુજ રણની મીઠી વીરડી શોધવા



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.