Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - જીંદગી રંગબેરંગી મેળાવડો


  • Published By :
  • Published Date : 2024-08-30 17:30:28

કોઈને જીંદગી એકદમ ખુશીઓથી ભરેલી લાગે છે તો કોઈને જીવનમાં માત્ર દુ:ખ દુ:ખ લાગે છે... કોઈ લોકો તો એવા હોય છે પોતાની જાતને પ્રેમ જ નથી કરતા.. પોતાની જાત સાથે મુલાકાત નથી કરતા.. પ્રશ્નો ઘણા હોય છે, જવાબ તે બહાર શોધે છે પરંતુ ઘણી વખત પ્રશ્નોના જવાબ પોતાની અંદર જ હોય છે, પોતાની પાસે જ હોય છે. જો તમે ખુદ માટે સમય નથી કાઢતા, પોતાના માટે સારૂં નથી વિચારી શકતા તો તે ખોટી વસ્તુ કહેવાય.. જો તમે ખુદને પ્રેમ કરશો તો જ તમે દુનિયાને પ્રેમ કરી શકશો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીંદગી રંગબેરંગી.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


જીંદગી રંગબેરંગી મેળાવડો

ગમતો અણગમતો ખુદનો મેળો


ન ખુદને ખોઈ શકે તું,

ન ખુદને છોડી શકે તું


તું જ તારા પ્રશ્નોનો ઉત્તર

તું જ તારી તકલીફનું નિરાકરણ


ન ખોતર કે છેતર માનવી

ખુદને ખોજ લઈ દીર્ઘ દ્રષ્ટિ


ઉતર ભીતર ઝાંખ ખુદને

પામ ઉંડાણે વેંત છેટા સ્વને


ભીતર ઝળકે રંગબેરંગી મેળો

ઝળહળ તું સ્વ સ્વર્ગનો મેળાવડો


ચલ મન ભીતર સ્વને જીતવા 

તુજ રણની મીઠી વીરડી શોધવા



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."