Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - માણસ છીએ..


  • Published By :
  • Published Date : 2024-08-01 18:06:11

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે માણસને ઓળખવા અઘરા છે..  ઘણી વખત થાય કે માણસને સમજવું અઘરૂં છે પરંતુ અનેક માણસો એવા હોય જેમને મળ્યા બાદ લાગે કે આ માણસ તો સારા છે. કોઈ માણસ બીજાનું દુ:ખ જોઈને હસી લે છે તો કોઈ વખત બીજાનું દુ:ખ જોઈ દુ:ખી થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના માણસ છીએ.... આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  


માણસ છીએ ક્યારેક લડી લઈએ છીએ

તો ક્યારેક સાથે મળીને હસી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક કાતર બની તોડી દઈએ છીએ 

તો ક્યારેક સોય બની જોડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખી જોઈ દુખી થઈ જઈએ છીએ

તો ક્યારેક કોઈકનું દુ:ખ જોઈ મનમાં હસી લઈએ છીએ.


ક્યારેક માગેલું નાં મળે તો ભગવાન સાથે લડી લઈએ છીએ

ક્યારેક વણ માંગેલું મળી જાય તો ઈશ્વરનો આભાર માની લઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખમાં ભાંગી પડીએ છીએ

તો સુખમાં થોડું અભિમાન કરી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ધન સંપત્તિની પાછળ આંધળી દોટ મૂકીએ છીએ

તો ક્યારેક ઘરમાં રહેલા માતા પિતાને રાજી કરી ઈશ્વરને પણ મનાવી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ખોટા લોકોની તરફેણ કરી લઈએ છીએ

તો ક્યારેક સાચાને જીતાડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક આત્માને છેતરી લઈએ છીએ

તો ક્યારેક સારા કર્મો કરી આખરતનું ભાથું બાંધી લઈએ છીએ


માણસ છીએ જાણે અજાણે ઘણી ભૂલો કરી લઈએ છીએ

તો ક્યારેક ભૂલોનો પસ્તાવો પણ કરી લઈએ છીએ...



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.