Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - માણસ છીએ..


  • Published By :
  • Published Date : 2024-08-01 18:06:11

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે માણસને ઓળખવા અઘરા છે..  ઘણી વખત થાય કે માણસને સમજવું અઘરૂં છે પરંતુ અનેક માણસો એવા હોય જેમને મળ્યા બાદ લાગે કે આ માણસ તો સારા છે. કોઈ માણસ બીજાનું દુ:ખ જોઈને હસી લે છે તો કોઈ વખત બીજાનું દુ:ખ જોઈ દુ:ખી થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના માણસ છીએ.... આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  


માણસ છીએ ક્યારેક લડી લઈએ છીએ

તો ક્યારેક સાથે મળીને હસી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક કાતર બની તોડી દઈએ છીએ 

તો ક્યારેક સોય બની જોડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખી જોઈ દુખી થઈ જઈએ છીએ

તો ક્યારેક કોઈકનું દુ:ખ જોઈ મનમાં હસી લઈએ છીએ.


ક્યારેક માગેલું નાં મળે તો ભગવાન સાથે લડી લઈએ છીએ

ક્યારેક વણ માંગેલું મળી જાય તો ઈશ્વરનો આભાર માની લઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખમાં ભાંગી પડીએ છીએ

તો સુખમાં થોડું અભિમાન કરી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ધન સંપત્તિની પાછળ આંધળી દોટ મૂકીએ છીએ

તો ક્યારેક ઘરમાં રહેલા માતા પિતાને રાજી કરી ઈશ્વરને પણ મનાવી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ખોટા લોકોની તરફેણ કરી લઈએ છીએ

તો ક્યારેક સાચાને જીતાડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક આત્માને છેતરી લઈએ છીએ

તો ક્યારેક સારા કર્મો કરી આખરતનું ભાથું બાંધી લઈએ છીએ


માણસ છીએ જાણે અજાણે ઘણી ભૂલો કરી લઈએ છીએ

તો ક્યારેક ભૂલોનો પસ્તાવો પણ કરી લઈએ છીએ...



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.