Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - માણસ છીએ..


  • Published By :
  • Published Date : 2024-08-01 18:06:11

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે માણસને ઓળખવા અઘરા છે..  ઘણી વખત થાય કે માણસને સમજવું અઘરૂં છે પરંતુ અનેક માણસો એવા હોય જેમને મળ્યા બાદ લાગે કે આ માણસ તો સારા છે. કોઈ માણસ બીજાનું દુ:ખ જોઈને હસી લે છે તો કોઈ વખત બીજાનું દુ:ખ જોઈ દુ:ખી થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના માણસ છીએ.... આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  


માણસ છીએ ક્યારેક લડી લઈએ છીએ

તો ક્યારેક સાથે મળીને હસી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક કાતર બની તોડી દઈએ છીએ 

તો ક્યારેક સોય બની જોડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખી જોઈ દુખી થઈ જઈએ છીએ

તો ક્યારેક કોઈકનું દુ:ખ જોઈ મનમાં હસી લઈએ છીએ.


ક્યારેક માગેલું નાં મળે તો ભગવાન સાથે લડી લઈએ છીએ

ક્યારેક વણ માંગેલું મળી જાય તો ઈશ્વરનો આભાર માની લઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખમાં ભાંગી પડીએ છીએ

તો સુખમાં થોડું અભિમાન કરી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ધન સંપત્તિની પાછળ આંધળી દોટ મૂકીએ છીએ

તો ક્યારેક ઘરમાં રહેલા માતા પિતાને રાજી કરી ઈશ્વરને પણ મનાવી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ખોટા લોકોની તરફેણ કરી લઈએ છીએ

તો ક્યારેક સાચાને જીતાડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક આત્માને છેતરી લઈએ છીએ

તો ક્યારેક સારા કર્મો કરી આખરતનું ભાથું બાંધી લઈએ છીએ


માણસ છીએ જાણે અજાણે ઘણી ભૂલો કરી લઈએ છીએ

તો ક્યારેક ભૂલોનો પસ્તાવો પણ કરી લઈએ છીએ...



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.