Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - મારા એક મતથી શો ફર્ક પડે? એ વિચારવાનું તું છોડી દે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-07 14:24:38

આજે 93 બેઠકના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે... એક વાગ્યા સુધી સામે આવેલા આંકડા કહી રહ્યા છે કે મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે.. લોકો કદાચ માની રહ્યા છે કે તેમના એક વોટથી ક્યાં ફરક પડવાનો છે? આપણે નહીં કરીએ તો ચાલશે.. જો તમે એવું માનતા હોવ તો એ વાત તદ્દન ખોટી છે.. તમારા એક મતની પણ કિંમત છે આ લોકશાહીમાં.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..


શ્રી કૃષ્ણએ ઉંચક્યો ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત

તું એક આંગળીથી બટન ના દબાવી શકે?

તું એકવાર મતદાન કરી દે..


તારાં માટે સૈનીકો જાગે છે રાતભર સરદહ પર..

તું એક દિવસ ઉંઘ છોડીને મતદાન મથક સુધી ના જઈ શકે?

તું એક વાર મતદાન કરી દે...


  

લોભ, લાલચને તું મૂક બાજુએ

પછી પાંચ વર્ષ સુધી કોણ સહન કરશે

તું એકવાર મતદાન કરી દે...


દેશની પરિસ્થિતિ પર ફરિયાદ કરવાનું તું બંધ કર

ઉકેલ તારા હાથમાં છે

તું એકવાર મતદાન કરી દે...


મારા એક મતથી શો ફર્ક પડે? એ વિચારવાનું તું છોડી દે

તારા દેશનું ભવિષ્ય તું બદલી દે

તું એકવાર મતદાન કરી દે..

                -નીરજ ચૂડાસમા 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે