Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - મારા એક મતથી શો ફર્ક પડે? એ વિચારવાનું તું છોડી દે...


  • Published By :
  • Published Date : 2024-05-07 14:24:38

આજે 93 બેઠકના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે... એક વાગ્યા સુધી સામે આવેલા આંકડા કહી રહ્યા છે કે મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે.. લોકો કદાચ માની રહ્યા છે કે તેમના એક વોટથી ક્યાં ફરક પડવાનો છે? આપણે નહીં કરીએ તો ચાલશે.. જો તમે એવું માનતા હોવ તો એ વાત તદ્દન ખોટી છે.. તમારા એક મતની પણ કિંમત છે આ લોકશાહીમાં.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..


શ્રી કૃષ્ણએ ઉંચક્યો ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત

તું એક આંગળીથી બટન ના દબાવી શકે?

તું એકવાર મતદાન કરી દે..


તારાં માટે સૈનીકો જાગે છે રાતભર સરદહ પર..

તું એક દિવસ ઉંઘ છોડીને મતદાન મથક સુધી ના જઈ શકે?

તું એક વાર મતદાન કરી દે...


  

લોભ, લાલચને તું મૂક બાજુએ

પછી પાંચ વર્ષ સુધી કોણ સહન કરશે

તું એકવાર મતદાન કરી દે...


દેશની પરિસ્થિતિ પર ફરિયાદ કરવાનું તું બંધ કર

ઉકેલ તારા હાથમાં છે

તું એકવાર મતદાન કરી દે...


મારા એક મતથી શો ફર્ક પડે? એ વિચારવાનું તું છોડી દે

તારા દેશનું ભવિષ્ય તું બદલી દે

તું એકવાર મતદાન કરી દે..

                -નીરજ ચૂડાસમા 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે