Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - મારા એક મતથી શો ફર્ક પડે? એ વિચારવાનું તું છોડી દે...


  • Published By :
  • Published Date : 2024-05-07 14:24:38

આજે 93 બેઠકના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે... એક વાગ્યા સુધી સામે આવેલા આંકડા કહી રહ્યા છે કે મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે.. લોકો કદાચ માની રહ્યા છે કે તેમના એક વોટથી ક્યાં ફરક પડવાનો છે? આપણે નહીં કરીએ તો ચાલશે.. જો તમે એવું માનતા હોવ તો એ વાત તદ્દન ખોટી છે.. તમારા એક મતની પણ કિંમત છે આ લોકશાહીમાં.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..


શ્રી કૃષ્ણએ ઉંચક્યો ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત

તું એક આંગળીથી બટન ના દબાવી શકે?

તું એકવાર મતદાન કરી દે..


તારાં માટે સૈનીકો જાગે છે રાતભર સરદહ પર..

તું એક દિવસ ઉંઘ છોડીને મતદાન મથક સુધી ના જઈ શકે?

તું એક વાર મતદાન કરી દે...


  

લોભ, લાલચને તું મૂક બાજુએ

પછી પાંચ વર્ષ સુધી કોણ સહન કરશે

તું એકવાર મતદાન કરી દે...


દેશની પરિસ્થિતિ પર ફરિયાદ કરવાનું તું બંધ કર

ઉકેલ તારા હાથમાં છે

તું એકવાર મતદાન કરી દે...


મારા એક મતથી શો ફર્ક પડે? એ વિચારવાનું તું છોડી દે

તારા દેશનું ભવિષ્ય તું બદલી દે

તું એકવાર મતદાન કરી દે..

                -નીરજ ચૂડાસમા 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે