Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું...


  • Published By :
  • Published Date : 2024-04-01 15:38:34

આપણે આપણામાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે કોઈ આપણને યાદ ના કરે તો વધારે દુ:ખ નથી થતું... આપણે પોતે આપણા મનને મનાવી લઈએ છીએ કે તે પોતાનામાં મસ્ત હશે અને એટલે જ કદાચ તે આપણને યાદ નથી કરતા. પરંતુ જો કોઈ સામેથી આપણને યાદ કરે છે તો દિલથી સારૂં લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જે કદાચ અનેક લોકોના દિલમાં વસતી હશે... જ્યારે જ્યારે પણ આ કવિતા સાંભળી હશે ત્યારે ત્યારે તમને પણ કોઈની યાદ આવી હશે...! 



‘મનને સારું લાગે છે’


ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું

વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહી હોય મોટું

પણ યાદ કરે જો કોઈ, તો મન ને સારું લાગે છે

આજને ભૂલી ગઈકાલના સ્મરણો જાગે છે


 


ઓળખીતા પણ થાય અજાણ્યા નજર ફેરવી લેતા

ફોન કરું તો અવાજ સાંભળી “હેલો! હેલો!” કહેતા

મૂંગા રહી પીધું એ આંસુ ખારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે


 


જીબ્રા ક્રોસિંગ પર થંભીને રાહ જોવું ધીરજથી

નથી ઉતાવળ કોઈ, હવે ના હરીફાઈ કોઈ થી

આગળ પાછળ ચાલતું પગલું મારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


મળવાનું તો ગમે ઘણું પણ મીટર લાગે માઈલ

તોય જાઉં તો મો મલકાવી મુકે નહિ મોબઈલ

પગને લાગ્યો થાક હવે આ હૈયે જાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


રોંગ નંબર પર લાંબી વાતો કરવાનું હવે ગમતું

સાવ અજાણ્યું કોઈ આ મારી એકલતાને ભરતું

ગમે છે, જયારે ડોરબેલ આ ઘર નો વાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સમ્ભારું?

નવી પેઢી જો પાસે બેસે તો હૈયું છલકાવું

નજર છે નબળી દુરની તોય ઊંડું તાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 

કાલ ભુલાઈશ એવો ભય ના મન ને વિચલિત કરતો

મને ક્યાં સહુ યાદ રહ્યા છે? હું પણ સત્ય સમજતો

હવે આ હવા આવનારી પેઢીને ભાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


ભુલઈશું તો નવું આવશે, એનો મહિમા થાશે

ભુંસાઈશું તો નવું લખાશે, નવા ગીત કોઈ ગાશે

આમ તો એ સઘળુંયે મનને મારું લાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.