Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું...


  • Published By :
  • Published Date : 2024-04-01 15:38:34

આપણે આપણામાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે કોઈ આપણને યાદ ના કરે તો વધારે દુ:ખ નથી થતું... આપણે પોતે આપણા મનને મનાવી લઈએ છીએ કે તે પોતાનામાં મસ્ત હશે અને એટલે જ કદાચ તે આપણને યાદ નથી કરતા. પરંતુ જો કોઈ સામેથી આપણને યાદ કરે છે તો દિલથી સારૂં લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જે કદાચ અનેક લોકોના દિલમાં વસતી હશે... જ્યારે જ્યારે પણ આ કવિતા સાંભળી હશે ત્યારે ત્યારે તમને પણ કોઈની યાદ આવી હશે...! 



‘મનને સારું લાગે છે’


ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું

વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહી હોય મોટું

પણ યાદ કરે જો કોઈ, તો મન ને સારું લાગે છે

આજને ભૂલી ગઈકાલના સ્મરણો જાગે છે


 


ઓળખીતા પણ થાય અજાણ્યા નજર ફેરવી લેતા

ફોન કરું તો અવાજ સાંભળી “હેલો! હેલો!” કહેતા

મૂંગા રહી પીધું એ આંસુ ખારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે


 


જીબ્રા ક્રોસિંગ પર થંભીને રાહ જોવું ધીરજથી

નથી ઉતાવળ કોઈ, હવે ના હરીફાઈ કોઈ થી

આગળ પાછળ ચાલતું પગલું મારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


મળવાનું તો ગમે ઘણું પણ મીટર લાગે માઈલ

તોય જાઉં તો મો મલકાવી મુકે નહિ મોબઈલ

પગને લાગ્યો થાક હવે આ હૈયે જાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


રોંગ નંબર પર લાંબી વાતો કરવાનું હવે ગમતું

સાવ અજાણ્યું કોઈ આ મારી એકલતાને ભરતું

ગમે છે, જયારે ડોરબેલ આ ઘર નો વાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સમ્ભારું?

નવી પેઢી જો પાસે બેસે તો હૈયું છલકાવું

નજર છે નબળી દુરની તોય ઊંડું તાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 

કાલ ભુલાઈશ એવો ભય ના મન ને વિચલિત કરતો

મને ક્યાં સહુ યાદ રહ્યા છે? હું પણ સત્ય સમજતો

હવે આ હવા આવનારી પેઢીને ભાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


ભુલઈશું તો નવું આવશે, એનો મહિમા થાશે

ભુંસાઈશું તો નવું લખાશે, નવા ગીત કોઈ ગાશે

આમ તો એ સઘળુંયે મનને મારું લાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .