Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું...


  • Published By :
  • Published Date : 2024-04-01 15:38:34

આપણે આપણામાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે કોઈ આપણને યાદ ના કરે તો વધારે દુ:ખ નથી થતું... આપણે પોતે આપણા મનને મનાવી લઈએ છીએ કે તે પોતાનામાં મસ્ત હશે અને એટલે જ કદાચ તે આપણને યાદ નથી કરતા. પરંતુ જો કોઈ સામેથી આપણને યાદ કરે છે તો દિલથી સારૂં લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જે કદાચ અનેક લોકોના દિલમાં વસતી હશે... જ્યારે જ્યારે પણ આ કવિતા સાંભળી હશે ત્યારે ત્યારે તમને પણ કોઈની યાદ આવી હશે...! 



‘મનને સારું લાગે છે’


ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું

વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહી હોય મોટું

પણ યાદ કરે જો કોઈ, તો મન ને સારું લાગે છે

આજને ભૂલી ગઈકાલના સ્મરણો જાગે છે


 


ઓળખીતા પણ થાય અજાણ્યા નજર ફેરવી લેતા

ફોન કરું તો અવાજ સાંભળી “હેલો! હેલો!” કહેતા

મૂંગા રહી પીધું એ આંસુ ખારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે


 


જીબ્રા ક્રોસિંગ પર થંભીને રાહ જોવું ધીરજથી

નથી ઉતાવળ કોઈ, હવે ના હરીફાઈ કોઈ થી

આગળ પાછળ ચાલતું પગલું મારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


મળવાનું તો ગમે ઘણું પણ મીટર લાગે માઈલ

તોય જાઉં તો મો મલકાવી મુકે નહિ મોબઈલ

પગને લાગ્યો થાક હવે આ હૈયે જાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


રોંગ નંબર પર લાંબી વાતો કરવાનું હવે ગમતું

સાવ અજાણ્યું કોઈ આ મારી એકલતાને ભરતું

ગમે છે, જયારે ડોરબેલ આ ઘર નો વાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સમ્ભારું?

નવી પેઢી જો પાસે બેસે તો હૈયું છલકાવું

નજર છે નબળી દુરની તોય ઊંડું તાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 

કાલ ભુલાઈશ એવો ભય ના મન ને વિચલિત કરતો

મને ક્યાં સહુ યાદ રહ્યા છે? હું પણ સત્ય સમજતો

હવે આ હવા આવનારી પેઢીને ભાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


ભુલઈશું તો નવું આવશે, એનો મહિમા થાશે

ભુંસાઈશું તો નવું લખાશે, નવા ગીત કોઈ ગાશે

આમ તો એ સઘળુંયે મનને મારું લાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે