Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?...


  • Published By :
  • Published Date : 2024-02-16 16:38:20

આપણે ત્યાં અનેક લોકો એવા હોય છે જે આજનું કમાઈને આજે ખાનારા હોય છે. કાલની ચિંતા નથી કરતા કે કાલે તેમને ભોજન મળશે કે નહીં. અનેક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા નથી હોતા તો પણ તે ખુશ હોય છે. પૈસા ભલે ઓછા હોય પરંતુ તેમનું જીવન સારી રીતે ચાલતું હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના....   



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.

એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ


ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ

સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?


સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;

દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.


- મકરંદ દવે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે