Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?...


  • Published By :
  • Published Date : 2024-02-16 16:38:20

આપણે ત્યાં અનેક લોકો એવા હોય છે જે આજનું કમાઈને આજે ખાનારા હોય છે. કાલની ચિંતા નથી કરતા કે કાલે તેમને ભોજન મળશે કે નહીં. અનેક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા નથી હોતા તો પણ તે ખુશ હોય છે. પૈસા ભલે ઓછા હોય પરંતુ તેમનું જીવન સારી રીતે ચાલતું હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના....   



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.

એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ


ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ

સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?


સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;

દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.


- મકરંદ દવે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.