Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?...


  • Published By :
  • Published Date : 2024-02-16 16:38:20

આપણે ત્યાં અનેક લોકો એવા હોય છે જે આજનું કમાઈને આજે ખાનારા હોય છે. કાલની ચિંતા નથી કરતા કે કાલે તેમને ભોજન મળશે કે નહીં. અનેક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા નથી હોતા તો પણ તે ખુશ હોય છે. પૈસા ભલે ઓછા હોય પરંતુ તેમનું જીવન સારી રીતે ચાલતું હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના....   



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.

એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ


ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ

સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?


સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;

દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.


- મકરંદ દવે



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.