Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-16 16:38:20

આપણે ત્યાં અનેક લોકો એવા હોય છે જે આજનું કમાઈને આજે ખાનારા હોય છે. કાલની ચિંતા નથી કરતા કે કાલે તેમને ભોજન મળશે કે નહીં. અનેક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા નથી હોતા તો પણ તે ખુશ હોય છે. પૈસા ભલે ઓછા હોય પરંતુ તેમનું જીવન સારી રીતે ચાલતું હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના....   



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.

એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ


ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ

સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?


સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;

દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.


- મકરંદ દવે



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..