Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો...


  • Published By :
  • Published Date : 2024-02-14 15:11:15

આજે વેલેન્ટાઈન છે. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમને ઈજહાર કરવાનો દિવસ... પ્રેમ ભર્યા મેસેજ પ્રેમીઓએ એક બીજાને મોકલ્યા હશે. જનમો જનમ સુધી સાથે રહેવાના વચનો આપવામાં આવ્યા હશે વગેરે વગેરે.... પણ ત્યારે પ્રશ્ન થાય કે વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમી પ્રેમીકાઓ માટે જ હોય છે. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે મુકુલ ચોકસીની કવિતા જેમાં તે પ્રેમ કરવાનું કહી રહ્યા છે. પોતાના કામને, પોતાના પરિવારને... 


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો...  


જીવન નામના પ્રભુએ આપેલા ઉપહારને પ્રેમ કરો,

કેવળ પ્રિયજનને નહીં પણ, આખા પરિવારને પ્રેમ કરો...


શનિ-રવિની જેમ જ, સોમથી શુક્રવારને પ્રેમ કરો,

વાંચન, ભણતર, નોકરી-ધંધા અને વ્યાપારને પ્રેમ કરો... 


પ્રેમ કરનારને ય કરો, ને નહીં કરનારને પ્રેમ કરો,

સરકારોની સાથે તેના ટીકાકારને પ્રેમ કરો..


નદી, પહાડો, દરમિયા, જંગલ, સાંજ, સવારને પ્રેમ કરો, 

જણે બનાવ્યું આ સઘળું એ તારાણહારને પ્રેમ કરો..


એક જ જણને શાને માટે? એક હજારને પ્રેમ કરો,

કોઈ બિમારને કોઈ લાચાર, કોઈ નિરાધારને પ્રેમ કરો..


હિરોશિમાને, હોંગકોંગને, હરિદ્વારને પ્રેમ કરો,

તમામ વૈવિધ્યો, તમામ આચાર વિચારને પ્રેમ કરો..


અજવાળાં રિસાઈ ગયાં, તો અંધકારને પ્રેમ કરો,

ખુલ્લી બારી નહીં મળી, તો બંધ દ્વારને પ્રેમ કરો..


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો, 

પ્રેમ કરતાં જ રહેવાનાં કપરા નિર્ધારને પ્રેમ કરો..


સદ્દ આહાર, સદ્દ વિચાર સાથે સદાચારને પ્રેમ કરો,

મંદિર, મસ્જિદ, દેરાસર, ચર્ચ, ગુરૂદ્વારને પ્રેમ કરો..



વેલેન્ટાઈનને વસંત પંચમીના આ તહેવારને પ્રેમ કરો,

પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો.... 


- મુકુલ ચોકસી  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.