Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો...


  • Published By :
  • Published Date : 2024-02-14 15:11:15

આજે વેલેન્ટાઈન છે. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમને ઈજહાર કરવાનો દિવસ... પ્રેમ ભર્યા મેસેજ પ્રેમીઓએ એક બીજાને મોકલ્યા હશે. જનમો જનમ સુધી સાથે રહેવાના વચનો આપવામાં આવ્યા હશે વગેરે વગેરે.... પણ ત્યારે પ્રશ્ન થાય કે વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમી પ્રેમીકાઓ માટે જ હોય છે. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે મુકુલ ચોકસીની કવિતા જેમાં તે પ્રેમ કરવાનું કહી રહ્યા છે. પોતાના કામને, પોતાના પરિવારને... 


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો...  


જીવન નામના પ્રભુએ આપેલા ઉપહારને પ્રેમ કરો,

કેવળ પ્રિયજનને નહીં પણ, આખા પરિવારને પ્રેમ કરો...


શનિ-રવિની જેમ જ, સોમથી શુક્રવારને પ્રેમ કરો,

વાંચન, ભણતર, નોકરી-ધંધા અને વ્યાપારને પ્રેમ કરો... 


પ્રેમ કરનારને ય કરો, ને નહીં કરનારને પ્રેમ કરો,

સરકારોની સાથે તેના ટીકાકારને પ્રેમ કરો..


નદી, પહાડો, દરમિયા, જંગલ, સાંજ, સવારને પ્રેમ કરો, 

જણે બનાવ્યું આ સઘળું એ તારાણહારને પ્રેમ કરો..


એક જ જણને શાને માટે? એક હજારને પ્રેમ કરો,

કોઈ બિમારને કોઈ લાચાર, કોઈ નિરાધારને પ્રેમ કરો..


હિરોશિમાને, હોંગકોંગને, હરિદ્વારને પ્રેમ કરો,

તમામ વૈવિધ્યો, તમામ આચાર વિચારને પ્રેમ કરો..


અજવાળાં રિસાઈ ગયાં, તો અંધકારને પ્રેમ કરો,

ખુલ્લી બારી નહીં મળી, તો બંધ દ્વારને પ્રેમ કરો..


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો, 

પ્રેમ કરતાં જ રહેવાનાં કપરા નિર્ધારને પ્રેમ કરો..


સદ્દ આહાર, સદ્દ વિચાર સાથે સદાચારને પ્રેમ કરો,

મંદિર, મસ્જિદ, દેરાસર, ચર્ચ, ગુરૂદ્વારને પ્રેમ કરો..



વેલેન્ટાઈનને વસંત પંચમીના આ તહેવારને પ્રેમ કરો,

પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો.... 


- મુકુલ ચોકસી  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"