Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો...


  • Published By :
  • Published Date : 2024-02-14 15:11:15

આજે વેલેન્ટાઈન છે. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમને ઈજહાર કરવાનો દિવસ... પ્રેમ ભર્યા મેસેજ પ્રેમીઓએ એક બીજાને મોકલ્યા હશે. જનમો જનમ સુધી સાથે રહેવાના વચનો આપવામાં આવ્યા હશે વગેરે વગેરે.... પણ ત્યારે પ્રશ્ન થાય કે વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમી પ્રેમીકાઓ માટે જ હોય છે. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે મુકુલ ચોકસીની કવિતા જેમાં તે પ્રેમ કરવાનું કહી રહ્યા છે. પોતાના કામને, પોતાના પરિવારને... 


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો...  


જીવન નામના પ્રભુએ આપેલા ઉપહારને પ્રેમ કરો,

કેવળ પ્રિયજનને નહીં પણ, આખા પરિવારને પ્રેમ કરો...


શનિ-રવિની જેમ જ, સોમથી શુક્રવારને પ્રેમ કરો,

વાંચન, ભણતર, નોકરી-ધંધા અને વ્યાપારને પ્રેમ કરો... 


પ્રેમ કરનારને ય કરો, ને નહીં કરનારને પ્રેમ કરો,

સરકારોની સાથે તેના ટીકાકારને પ્રેમ કરો..


નદી, પહાડો, દરમિયા, જંગલ, સાંજ, સવારને પ્રેમ કરો, 

જણે બનાવ્યું આ સઘળું એ તારાણહારને પ્રેમ કરો..


એક જ જણને શાને માટે? એક હજારને પ્રેમ કરો,

કોઈ બિમારને કોઈ લાચાર, કોઈ નિરાધારને પ્રેમ કરો..


હિરોશિમાને, હોંગકોંગને, હરિદ્વારને પ્રેમ કરો,

તમામ વૈવિધ્યો, તમામ આચાર વિચારને પ્રેમ કરો..


અજવાળાં રિસાઈ ગયાં, તો અંધકારને પ્રેમ કરો,

ખુલ્લી બારી નહીં મળી, તો બંધ દ્વારને પ્રેમ કરો..


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો, 

પ્રેમ કરતાં જ રહેવાનાં કપરા નિર્ધારને પ્રેમ કરો..


સદ્દ આહાર, સદ્દ વિચાર સાથે સદાચારને પ્રેમ કરો,

મંદિર, મસ્જિદ, દેરાસર, ચર્ચ, ગુરૂદ્વારને પ્રેમ કરો..



વેલેન્ટાઈનને વસંત પંચમીના આ તહેવારને પ્રેમ કરો,

પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો.... 


- મુકુલ ચોકસી  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.