Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો...


  • Published By :
  • Published Date : 2024-02-14 15:11:15

આજે વેલેન્ટાઈન છે. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમને ઈજહાર કરવાનો દિવસ... પ્રેમ ભર્યા મેસેજ પ્રેમીઓએ એક બીજાને મોકલ્યા હશે. જનમો જનમ સુધી સાથે રહેવાના વચનો આપવામાં આવ્યા હશે વગેરે વગેરે.... પણ ત્યારે પ્રશ્ન થાય કે વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમી પ્રેમીકાઓ માટે જ હોય છે. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે મુકુલ ચોકસીની કવિતા જેમાં તે પ્રેમ કરવાનું કહી રહ્યા છે. પોતાના કામને, પોતાના પરિવારને... 


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો...  


જીવન નામના પ્રભુએ આપેલા ઉપહારને પ્રેમ કરો,

કેવળ પ્રિયજનને નહીં પણ, આખા પરિવારને પ્રેમ કરો...


શનિ-રવિની જેમ જ, સોમથી શુક્રવારને પ્રેમ કરો,

વાંચન, ભણતર, નોકરી-ધંધા અને વ્યાપારને પ્રેમ કરો... 


પ્રેમ કરનારને ય કરો, ને નહીં કરનારને પ્રેમ કરો,

સરકારોની સાથે તેના ટીકાકારને પ્રેમ કરો..


નદી, પહાડો, દરમિયા, જંગલ, સાંજ, સવારને પ્રેમ કરો, 

જણે બનાવ્યું આ સઘળું એ તારાણહારને પ્રેમ કરો..


એક જ જણને શાને માટે? એક હજારને પ્રેમ કરો,

કોઈ બિમારને કોઈ લાચાર, કોઈ નિરાધારને પ્રેમ કરો..


હિરોશિમાને, હોંગકોંગને, હરિદ્વારને પ્રેમ કરો,

તમામ વૈવિધ્યો, તમામ આચાર વિચારને પ્રેમ કરો..


અજવાળાં રિસાઈ ગયાં, તો અંધકારને પ્રેમ કરો,

ખુલ્લી બારી નહીં મળી, તો બંધ દ્વારને પ્રેમ કરો..


હર પડકારને કરજો ને હર પ્રતિકારને પ્રેમ કરો, 

પ્રેમ કરતાં જ રહેવાનાં કપરા નિર્ધારને પ્રેમ કરો..


સદ્દ આહાર, સદ્દ વિચાર સાથે સદાચારને પ્રેમ કરો,

મંદિર, મસ્જિદ, દેરાસર, ચર્ચ, ગુરૂદ્વારને પ્રેમ કરો..



વેલેન્ટાઈનને વસંત પંચમીના આ તહેવારને પ્રેમ કરો,

પ્રેમ ઋતુમાં મન મૂકી આખા સંસારને પ્રેમ કરો.... 


- મુકુલ ચોકસી  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.