Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નાથાલાલ દવેની રચના - કામ કરે ઇ જીતે રે માલમ !


  • Published By :
  • Published Date : 2024-02-07 17:03:05

જગતના તાત વિશે આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણને દુ:ખ થાય કે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. વરસાદ ના આવે તો પણ પ્રોબ્લેમ અને વધારે વરસાદ આવે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. પાક સારો થયો હોય તો પણ ટેકાના ભાવ ના મળતા જગતનો તાત દુ:ખી થઈ જાય છે. ગમે તેટલી પીડા કેમ ના હોય પરંતુ ખેડૂત પોતાના ચહેરા પર આવવા નથી દેતો. અનેક ખેડૂતો હિંમત નથી હારતા અને કર્મને કરતા રહે છે. આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે નાથાલાલ દવેની રચના...  



ખેતર ખેડીને કરો સીમ સોહામણી !

કામ કરે ઇ જીતે રે માલમ !

કામ કરે ઇ જીતે.


આવડો મોટો મલક આપણો

બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે


ખેતર ખેડીને કરો સીમ સોહામણી !

બાંધો રે નદીયુંના નીર ;

માગે છે દેશ આજ મહેનત મજિયારી,

હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે


હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,

વેળા અમોલી આ વીતે;

આજે બુલંદ સૂરે માનવીની મહેનતના

ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે


– નાથાલાલ દવે



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.