Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નાથાલાલ દવેની રચના - કામ કરે ઇ જીતે રે માલમ !


  • Published By :
  • Published Date : 2024-02-07 17:03:05

જગતના તાત વિશે આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણને દુ:ખ થાય કે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. વરસાદ ના આવે તો પણ પ્રોબ્લેમ અને વધારે વરસાદ આવે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. પાક સારો થયો હોય તો પણ ટેકાના ભાવ ના મળતા જગતનો તાત દુ:ખી થઈ જાય છે. ગમે તેટલી પીડા કેમ ના હોય પરંતુ ખેડૂત પોતાના ચહેરા પર આવવા નથી દેતો. અનેક ખેડૂતો હિંમત નથી હારતા અને કર્મને કરતા રહે છે. આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે નાથાલાલ દવેની રચના...  



ખેતર ખેડીને કરો સીમ સોહામણી !

કામ કરે ઇ જીતે રે માલમ !

કામ કરે ઇ જીતે.


આવડો મોટો મલક આપણો

બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે


ખેતર ખેડીને કરો સીમ સોહામણી !

બાંધો રે નદીયુંના નીર ;

માગે છે દેશ આજ મહેનત મજિયારી,

હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે


હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,

વેળા અમોલી આ વીતે;

આજે બુલંદ સૂરે માનવીની મહેનતના

ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે


– નાથાલાલ દવે



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.