Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નાથાલાલ દવેની રચના - કામ કરે ઇ જીતે રે માલમ !


  • Published By :
  • Published Date : 2024-02-07 17:03:05

જગતના તાત વિશે આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણને દુ:ખ થાય કે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. વરસાદ ના આવે તો પણ પ્રોબ્લેમ અને વધારે વરસાદ આવે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. પાક સારો થયો હોય તો પણ ટેકાના ભાવ ના મળતા જગતનો તાત દુ:ખી થઈ જાય છે. ગમે તેટલી પીડા કેમ ના હોય પરંતુ ખેડૂત પોતાના ચહેરા પર આવવા નથી દેતો. અનેક ખેડૂતો હિંમત નથી હારતા અને કર્મને કરતા રહે છે. આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે નાથાલાલ દવેની રચના...  



ખેતર ખેડીને કરો સીમ સોહામણી !

કામ કરે ઇ જીતે રે માલમ !

કામ કરે ઇ જીતે.


આવડો મોટો મલક આપણો

બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે


ખેતર ખેડીને કરો સીમ સોહામણી !

બાંધો રે નદીયુંના નીર ;

માગે છે દેશ આજ મહેનત મજિયારી,

હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે


હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,

વેળા અમોલી આ વીતે;

આજે બુલંદ સૂરે માનવીની મહેનતના

ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે


– નાથાલાલ દવે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.