Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના - હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ...!


  • Published By :
  • Published Date : 2024-03-09 16:15:55

આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથી છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના.. અમારી વેદના...   



હજારો વર્ષની જૂની અમારી વેદના;

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;

સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!


અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!

ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!

વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!

અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!


પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –

અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!

દુવા માગી રહ્યું,જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,

ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:

ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?


જુઓ આ,તાત!ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,

જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,

જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:

સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!


ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!

ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!

લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!

મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!


તૂટે છે આભઊંચા આપણા આશામિનારા,

હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.


- ઝવેરચંદ મેઘાણી




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.