Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - સૂરજ! ધીમા તપો, ઘીમા તપો...


  • Published By :
  • Published Date : 2024-03-18 18:29:56

ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થઈ ગઈ છે. આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી અનુભુતી થઈ રહી છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધુ વધારે વધશે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી જશે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારી મેંદીનો રંગ ઊડી જાય રે 

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારો કંકુનો ચાંદલો ચોળાય રે

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારી વેણી લાખેણી કરમાય રે

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારાં કાજળ નેણેથી ઝરી જાય રે

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારી ચૂડી અણમોલી તરડાય રે

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારે સેંથેથી હીંગળો રેળાય રે

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારી પાની સુંવાળી બળી જાય રે

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


મારો કેને નો પંથે પૂરા થાય રે

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો


જેને શોધું કે દૂર સરી જાય રે 

સૂરજ! ધીમા તપો, ઘીમા તપો

 - ઝવેરચંદ મેઘાણી  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.