Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!


  • Published By :
  • Published Date : 2024-02-03 18:53:16

મોબાઈલનો જમાનો છે આજે. એવું ભાગ્યે જ જોવા મળતું હશે કે માણસ પાસે મોબાઈલ નહીં હોય, અથવા માણસ મોબાઈલ નહીં વાપરતો હોય. મોબાઈલ દરેકની પાસે મળી આવે છે. પરંતુ આજકાલ માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે. મોબાઈલને સગવડ માટે વાપરવામાં આવતો હોય છે પરંતુ અનેક વખત તે જ સગવડનો દુરૂપયોગ કરવામાં આવે છે. માણસ હોય ક્યાંક અને લોકેશન ક્યાંકનું કહેતો થઈ ગયો છે. 


આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સ્વાર્થના સંબંધો આજકાલ માણસો રાખતા થઈ ગયા છે. જરૂર હોય તેટલી જ લાગણી બતાવતો માણસ થઈ ગયો છે. મોબાઈલમાં માણસ રચ્યો પચ્યો થઈ ગયો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે અશ્વિન ચૌધરીની રચના પ્રસ્તુત કરવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે!  



જરૂર જેટલી જ લાગણીઓ

રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે જ ઝીરો બેલેન્સ 

દેખાડતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

સામે કોણ છે એ જોઈને

સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી

મિત્રતાને પણ

સ્વીચ ઓફ કરતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

આજે રીટા તો કાલે ગીતા એમ

મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને

એ કોલ કરતો થઈ ગયો 

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ

જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તો!

એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

હોય બરોડામાં અને છું સુરતમાં

એમ કહેતો એ થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ

ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં

કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો

હવે શું થાય બોલો


આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.