Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના - મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું....


  • Published By :
  • Published Date : 2024-03-20 15:13:47

એક જમાનો હતો જ્યારે ઘરના આંગણામાં ચકલીઓનો કલરવ સંભળાતો હતો. ઘરમાં ચકલીનો માળો હોતો હતો. પરંતુ હવે તો ચકલી જોવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. આજકાલના છોકરાને કદાચ એ પણ ખબર નહીં હોય કે ચકલી અસલમાં કેવી દેખાતી હશે. માત્ર ફોટામાં જોવી પડતી હશે. ચકલી લુપ્ત થઈ રહી છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ચકલીને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. સાહિત્યના સમીપમાં રમેશ પારેખની રચનાને પેશ કરવી છે.    


મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.


તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,

મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.


મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,

ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,


મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.


તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,

મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,

હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.


આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,


તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

– રમેશ પારેખ




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે