Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પટેલની રચના- મેવા માટે કરવી સેવા એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે...


  • Published By :
  • Published Date : 2024-03-11 16:47:00

આજકાલ માણસ એટલી જલ્દી સંબંધ બાંધી અને કાપી દે છે જેની કલ્પના પણ કદાચ કોઈએ નહીં કરી હોય. એ માણસ સામાન્ય હોય કે પછી નેતા હોય. જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં તે ઢળી પડે અને મુશ્કેલ સમયમાં કોણે સાથ આપ્યો હતો તે પણ ભૂલી જાય છે. અનેક ધારાસભ્યો પોતાના પદને છોડી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે અને આવનાર દિવસમાં હજી પણ પોતાના પક્ષને અલવિદા કહી જવાના છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નવા યુગનો ચેલો છું....  



નવા યુગનો ચેલો છું

નવા યુગનો ચેલો છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું

પવન પ્રમાણે શઢ ફેરવી,

લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..


ભવ્ય આશ્રમ નજરે પડતાં

તુરત જ ડેરા ડાલું છું

ગુરુની પાસે કંઠી બંધાવી

મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..


જેની હાકો વાગે સરકારમાં

એ નેતાને પીંછાણું છું

ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે

વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..


છપ્પન ભોગના થાળ દેખીને

દંડવતે ભગવંત શરણું શોધું છું

ભજન ધૂનો ગાઈ માઈકમાં

ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..


એડમીશન ટાણે શાળામાં જઈ

મુખ્ય શિક્ષકને વધાવું છું

ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને

લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..


મેવા માટે કરવી સેવા

એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે

પવન પ્રમાણે શઢ ફેરવી

લાભ મળે ત્યાં લોટું છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું.


– રમેશ પટેલ ‘આકાશદીપ’



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.