Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પટેલની રચના- મેવા માટે કરવી સેવા એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે...


  • Published By :
  • Published Date : 2024-03-11 16:47:00

આજકાલ માણસ એટલી જલ્દી સંબંધ બાંધી અને કાપી દે છે જેની કલ્પના પણ કદાચ કોઈએ નહીં કરી હોય. એ માણસ સામાન્ય હોય કે પછી નેતા હોય. જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં તે ઢળી પડે અને મુશ્કેલ સમયમાં કોણે સાથ આપ્યો હતો તે પણ ભૂલી જાય છે. અનેક ધારાસભ્યો પોતાના પદને છોડી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે અને આવનાર દિવસમાં હજી પણ પોતાના પક્ષને અલવિદા કહી જવાના છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નવા યુગનો ચેલો છું....  



નવા યુગનો ચેલો છું

નવા યુગનો ચેલો છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું

પવન પ્રમાણે શઢ ફેરવી,

લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..


ભવ્ય આશ્રમ નજરે પડતાં

તુરત જ ડેરા ડાલું છું

ગુરુની પાસે કંઠી બંધાવી

મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..


જેની હાકો વાગે સરકારમાં

એ નેતાને પીંછાણું છું

ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે

વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..


છપ્પન ભોગના થાળ દેખીને

દંડવતે ભગવંત શરણું શોધું છું

ભજન ધૂનો ગાઈ માઈકમાં

ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..


એડમીશન ટાણે શાળામાં જઈ

મુખ્ય શિક્ષકને વધાવું છું

ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને

લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..


મેવા માટે કરવી સેવા

એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે

પવન પ્રમાણે શઢ ફેરવી

લાભ મળે ત્યાં લોટું છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું.


– રમેશ પટેલ ‘આકાશદીપ’



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.