Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પટેલની રચના- મેવા માટે કરવી સેવા એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે...


  • Published By :
  • Published Date : 2024-03-11 16:47:00

આજકાલ માણસ એટલી જલ્દી સંબંધ બાંધી અને કાપી દે છે જેની કલ્પના પણ કદાચ કોઈએ નહીં કરી હોય. એ માણસ સામાન્ય હોય કે પછી નેતા હોય. જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં તે ઢળી પડે અને મુશ્કેલ સમયમાં કોણે સાથ આપ્યો હતો તે પણ ભૂલી જાય છે. અનેક ધારાસભ્યો પોતાના પદને છોડી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે અને આવનાર દિવસમાં હજી પણ પોતાના પક્ષને અલવિદા કહી જવાના છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નવા યુગનો ચેલો છું....  



નવા યુગનો ચેલો છું

નવા યુગનો ચેલો છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું

પવન પ્રમાણે શઢ ફેરવી,

લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..


ભવ્ય આશ્રમ નજરે પડતાં

તુરત જ ડેરા ડાલું છું

ગુરુની પાસે કંઠી બંધાવી

મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..


જેની હાકો વાગે સરકારમાં

એ નેતાને પીંછાણું છું

ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે

વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..


છપ્પન ભોગના થાળ દેખીને

દંડવતે ભગવંત શરણું શોધું છું

ભજન ધૂનો ગાઈ માઈકમાં

ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..


એડમીશન ટાણે શાળામાં જઈ

મુખ્ય શિક્ષકને વધાવું છું

ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને

લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..


મેવા માટે કરવી સેવા

એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે

પવન પ્રમાણે શઢ ફેરવી

લાભ મળે ત્યાં લોટું છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું.


– રમેશ પટેલ ‘આકાશદીપ’



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.