Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ધ્રુવ પટેલની રચના - ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં


  • Published By :
  • Published Date : 2024-01-09 15:45:16

અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળ્યા હશે કે તમારામાં રહેલા બાળકને જીવતો રાખવો જોઈએ. રોજ કંઈ નવું નવું જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. બાળ સહજ એક કુતુહલ હોવું જોઈએ જે તમને ઘરડા થતા અટકાવે છે. બાળક જેમ પોતાની આંખોમાં સપના લઈને ફરે છે તે તમારે પણ જીવનમાં ઉમંગ હોવો જોઈએ. આપણા વડીલો જ્યારે વાત કરતા હશે કે પહેલા બાળકો આવી મસ્તી કરતા હતા, આવા તોફોનો કરતા હતા તેવી મસ્તી આજકાલ બાળકોમાં જોવા નથી મળતી. શિક્ષણના ભાર નીચે બાળકનું બચપણ છીનવાઈ ગયું છે. 


આજે ધ્રુવ પટેલની રચના  

સાહિત્યના સમીપમાં આજે ધ્રુવ પટેલની રચના જેમાં તેમણે બાળકને લઈ વાત કરી છે. અજાણતા આપણે બાળક પર કેટલો બોજો નાખી દેતા હોઈએ છીએ તેની વાત કરી છે. માતા પિતા બાળક પર પોતાની ઈચ્છા થોપી દેતા હોય છે જેને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે. કોઈ વખત સરખામણીને કારણે બાળક પોતાના મનની વાત ખુલ્લીને નથી કહી શક્તો.



ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં

એના બચપણને ફૂલોની માફક ખીલવા દો

એ બાળક છે અને રમવા દો


બાળપણને આધુનિકતાથી ઘેરશો નહીં

એને રમકડાઓમાં માટી ભરવા દો

એ બાળક છે અને રમવા દો


ગુણોની સરખામણીએ એને તોલશો નહીં 

મનની વાત ખુલીન એને કહેવા દો

એ બાળક છે અને રમવા દો


ઈર્ષા, વેર ઝેરની ભાષા એને શીખવશો નહીં 

કાલી ઘેલી મીઠી વાણીમાં બોલવા દો

એ બાળક છે અને રમવા દો


પોતાની ઈચ્છાઓ એની પર થોપસો નહીં 

અને થોડું મનનું ધારેલું પણ કરવા દો

એ બાળક છે અને રમવા દો


કર્મોનાં પરિણામમાં એને બાંધશો નહીં 

એને શૈશવની આઝાદી માણવા દો

એ બાળક છે અને રમવા દો

     - ધ્રુવ પટેલ   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.