Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ધ્રુવ પટેલની રચના - ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં


  • Published By :
  • Published Date : 2024-01-09 15:45:16

અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળ્યા હશે કે તમારામાં રહેલા બાળકને જીવતો રાખવો જોઈએ. રોજ કંઈ નવું નવું જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. બાળ સહજ એક કુતુહલ હોવું જોઈએ જે તમને ઘરડા થતા અટકાવે છે. બાળક જેમ પોતાની આંખોમાં સપના લઈને ફરે છે તે તમારે પણ જીવનમાં ઉમંગ હોવો જોઈએ. આપણા વડીલો જ્યારે વાત કરતા હશે કે પહેલા બાળકો આવી મસ્તી કરતા હતા, આવા તોફોનો કરતા હતા તેવી મસ્તી આજકાલ બાળકોમાં જોવા નથી મળતી. શિક્ષણના ભાર નીચે બાળકનું બચપણ છીનવાઈ ગયું છે. 


આજે ધ્રુવ પટેલની રચના  

સાહિત્યના સમીપમાં આજે ધ્રુવ પટેલની રચના જેમાં તેમણે બાળકને લઈ વાત કરી છે. અજાણતા આપણે બાળક પર કેટલો બોજો નાખી દેતા હોઈએ છીએ તેની વાત કરી છે. માતા પિતા બાળક પર પોતાની ઈચ્છા થોપી દેતા હોય છે જેને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે. કોઈ વખત સરખામણીને કારણે બાળક પોતાના મનની વાત ખુલ્લીને નથી કહી શક્તો.



ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં

એના બચપણને ફૂલોની માફક ખીલવા દો

એ બાળક છે અને રમવા દો


બાળપણને આધુનિકતાથી ઘેરશો નહીં

એને રમકડાઓમાં માટી ભરવા દો

એ બાળક છે અને રમવા દો


ગુણોની સરખામણીએ એને તોલશો નહીં 

મનની વાત ખુલીન એને કહેવા દો

એ બાળક છે અને રમવા દો


ઈર્ષા, વેર ઝેરની ભાષા એને શીખવશો નહીં 

કાલી ઘેલી મીઠી વાણીમાં બોલવા દો

એ બાળક છે અને રમવા દો


પોતાની ઈચ્છાઓ એની પર થોપસો નહીં 

અને થોડું મનનું ધારેલું પણ કરવા દો

એ બાળક છે અને રમવા દો


કર્મોનાં પરિણામમાં એને બાંધશો નહીં 

એને શૈશવની આઝાદી માણવા દો

એ બાળક છે અને રમવા દો

     - ધ્રુવ પટેલ   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે