Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ધ્રુવ પટેલની રચના - ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં


  • Published By :
  • Published Date : 2024-01-09 15:45:16

અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળ્યા હશે કે તમારામાં રહેલા બાળકને જીવતો રાખવો જોઈએ. રોજ કંઈ નવું નવું જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. બાળ સહજ એક કુતુહલ હોવું જોઈએ જે તમને ઘરડા થતા અટકાવે છે. બાળક જેમ પોતાની આંખોમાં સપના લઈને ફરે છે તે તમારે પણ જીવનમાં ઉમંગ હોવો જોઈએ. આપણા વડીલો જ્યારે વાત કરતા હશે કે પહેલા બાળકો આવી મસ્તી કરતા હતા, આવા તોફોનો કરતા હતા તેવી મસ્તી આજકાલ બાળકોમાં જોવા નથી મળતી. શિક્ષણના ભાર નીચે બાળકનું બચપણ છીનવાઈ ગયું છે. 


આજે ધ્રુવ પટેલની રચના  

સાહિત્યના સમીપમાં આજે ધ્રુવ પટેલની રચના જેમાં તેમણે બાળકને લઈ વાત કરી છે. અજાણતા આપણે બાળક પર કેટલો બોજો નાખી દેતા હોઈએ છીએ તેની વાત કરી છે. માતા પિતા બાળક પર પોતાની ઈચ્છા થોપી દેતા હોય છે જેને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે. કોઈ વખત સરખામણીને કારણે બાળક પોતાના મનની વાત ખુલ્લીને નથી કહી શક્તો.



ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં

એના બચપણને ફૂલોની માફક ખીલવા દો

એ બાળક છે અને રમવા દો


બાળપણને આધુનિકતાથી ઘેરશો નહીં

એને રમકડાઓમાં માટી ભરવા દો

એ બાળક છે અને રમવા દો


ગુણોની સરખામણીએ એને તોલશો નહીં 

મનની વાત ખુલીન એને કહેવા દો

એ બાળક છે અને રમવા દો


ઈર્ષા, વેર ઝેરની ભાષા એને શીખવશો નહીં 

કાલી ઘેલી મીઠી વાણીમાં બોલવા દો

એ બાળક છે અને રમવા દો


પોતાની ઈચ્છાઓ એની પર થોપસો નહીં 

અને થોડું મનનું ધારેલું પણ કરવા દો

એ બાળક છે અને રમવા દો


કર્મોનાં પરિણામમાં એને બાંધશો નહીં 

એને શૈશવની આઝાદી માણવા દો

એ બાળક છે અને રમવા દો

     - ધ્રુવ પટેલ   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.