Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ધ્રુવ પટેલની રચના - ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં


  • Published By :
  • Published Date : 2024-01-09 15:45:16

અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળ્યા હશે કે તમારામાં રહેલા બાળકને જીવતો રાખવો જોઈએ. રોજ કંઈ નવું નવું જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. બાળ સહજ એક કુતુહલ હોવું જોઈએ જે તમને ઘરડા થતા અટકાવે છે. બાળક જેમ પોતાની આંખોમાં સપના લઈને ફરે છે તે તમારે પણ જીવનમાં ઉમંગ હોવો જોઈએ. આપણા વડીલો જ્યારે વાત કરતા હશે કે પહેલા બાળકો આવી મસ્તી કરતા હતા, આવા તોફોનો કરતા હતા તેવી મસ્તી આજકાલ બાળકોમાં જોવા નથી મળતી. શિક્ષણના ભાર નીચે બાળકનું બચપણ છીનવાઈ ગયું છે. 


આજે ધ્રુવ પટેલની રચના  

સાહિત્યના સમીપમાં આજે ધ્રુવ પટેલની રચના જેમાં તેમણે બાળકને લઈ વાત કરી છે. અજાણતા આપણે બાળક પર કેટલો બોજો નાખી દેતા હોઈએ છીએ તેની વાત કરી છે. માતા પિતા બાળક પર પોતાની ઈચ્છા થોપી દેતા હોય છે જેને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે. કોઈ વખત સરખામણીને કારણે બાળક પોતાના મનની વાત ખુલ્લીને નથી કહી શક્તો.



ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં

એના બચપણને ફૂલોની માફક ખીલવા દો

એ બાળક છે અને રમવા દો


બાળપણને આધુનિકતાથી ઘેરશો નહીં

એને રમકડાઓમાં માટી ભરવા દો

એ બાળક છે અને રમવા દો


ગુણોની સરખામણીએ એને તોલશો નહીં 

મનની વાત ખુલીન એને કહેવા દો

એ બાળક છે અને રમવા દો


ઈર્ષા, વેર ઝેરની ભાષા એને શીખવશો નહીં 

કાલી ઘેલી મીઠી વાણીમાં બોલવા દો

એ બાળક છે અને રમવા દો


પોતાની ઈચ્છાઓ એની પર થોપસો નહીં 

અને થોડું મનનું ધારેલું પણ કરવા દો

એ બાળક છે અને રમવા દો


કર્મોનાં પરિણામમાં એને બાંધશો નહીં 

એને શૈશવની આઝાદી માણવા દો

એ બાળક છે અને રમવા દો

     - ધ્રુવ પટેલ   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.